મોરબીની ગીતાંજલી વિધાલયમાં વિદ્યાર્થીઓ-વાલીઓ માટે ફ્રી મેડિકલ કેમ્પ યોજાયો મોરબીમાં ડો. હેડગેવાર સ્મારક સમિતિ દ્વારા ચાલતા સીવણ કેન્દ્રમાં તાલીમ લીધેલ બહેનોને પ્રમાણપત્ર અપાયા મોરબીમાં અકસ્માતમાં મૃત્યુ પામેલ વ્યક્તિના પરિવારને ૧૦ લાખનો વીમો વ્યાજ સહિત ચૂકવવા ગ્રાહક અદાલતનો આદેશ મોરબીની પી.જી.પટેલ કોલેજમાં સંવિધાન હત્યા દિવસ અંતર્ગત વિદ્યાર્થીઓએ ડોક્યુમેન્ટરી ફિલ્મ નિહાળી મોરબી અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી રચના કરવા ધારાસભ્યએ કરેલી રજૂઆત ફળી મોરબી જીલ્લામાં મેલેરીયા વિરોધી માસની ઉજવણી અંતર્ગત સઘન સર્વેલન્સની કામગીરી કરાઈ મોરબી જિલ્લામાં 31 જુલાઇ સુધી હથિયારબંધી: 4 થી વધુ લોકોને ભેગા થવા ઉપર પ્રતિબંધ મોરબી જીલ્લામાં વિવિધ સ્થળોએ સીસીટીવી કેમેરા મૂકવા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું
Breaking news
Morbi Today

મોરબીમાં લેન્ડ ગ્રેબિંગના ગુનામાં પકડાયેલા આરોપીઓના શરતી જામીન મંજૂર​​​​​​​ 


SHARE















મોરબીમાં લેન્ડ ગ્રેબિંગના ગુનામાં પકડાયેલા આરોપીઓના શરતી જામીન મંજૂર 

મો૨બી સેસન્સ કોર્ટમાં લેન્ડ ગ્રેબિંગના ગુનામાં ધરપકડ થયેલ આરોપીઓના જામીન માટે અરજી કરવામાં આવી હતી ત્યારે આરોપી સુનિલ અમરશીભાઈ વરાણીયાનવઘણ અમરશીભાઈ વરાણીયા અને ભવનભાઈ મંગાભાઈ વેસરા જાતે ભરવાડ રહેબધા જ લક્ષ્મીનગર કો-ઓપરેટીવ હાઉસિંગ સોસાયટી વાળાના વકીલ દ્વારા કોર્ટમાં કરવામાં આવેલ દલીલને ધ્યાને રાખીને કોર્ટે આરોપીઓના શરતી જામીન મંજૂર કર્યા છે

થોડા સેમી પહેલા મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં હીરાલાલ ગણેશભાઈ નેસડીયાએ ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે લેન્ડ ગ્રેબિંગ સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરી હતી જેમાં રીયાદીની માલીકીની લક્ષ્મીનગર કો.ઓ.હા. સોસાયટી પ્લોટ નં. ૧ ઉપરના બ્લોક નં. ૨૧ વાળા પ્લોટ ઉપર આરોપીઓએ  ગેરકાયદેસર કબજો કરી વપરાશ કરી જમીન પચાવી પાડી હોવાનું લખાવ્યું હતું જેથી કરીને આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી હતી અને આરોપી તરફે મોરબી જીલ્લાના સીનીયર ધારાશાસ્ત્રી દીલીપ આ૨. અગેચાણીયા રોકાયેલ હતા અને આરોપી તરફે દલીલ કરવામાં આવેલી હતી કે આરોપી તદન નદોષ છે ખોટી ફરીયાદ આધારે પોલીસે ખોટી રીતે આરોપીઓને ગંભીર ગુનામાં સંડોવી દીધેલ છે આ કામમાં મોટાભાગની તપાસ પુરી થઈ ગયેલ છે અને આરોપીની સીધી કે આડકતરી આ ગુનામાં સંડોવણી નથી અને કોઈ ગુનાહીત ભુતકાળ ધરાવતા નથી જેથી આરોપી પક્ષના વકીલની દલીલ માન્ય રાખી આરોપીઓને શરતી જામીન પર છોડવાનો હુકમ કરેલ છે આ કેસમાં આરોપી તરફે મોરબી જીલ્લાના સીનીયર ધારાશાસ્ત્રી દીલીપભાઈ અગેચાણીયાજીતેન અગેચાણીયાસુનીલ માલકીયાજે.ડી. સોલંકી રોકાયેલા હતા .






Latest News