મોરબીના ખોખરા હરિહરધામે હનુમાન જયંતિ નિમિત્તે મહાઆરતી, રામધુન, સંતવાણી અને મહાપ્રસાદનું આયોજન હળવદ નજીક હોટલ પાસે તલવાર વડે કરાયેલ જીવલેણ હુમલાના ગુનામાં કોર્ટે 4 આરોપીઓને સજા અને દંડ ફટકાર્યો વાંકાનેરના અરણીટીંબા ગામે ત્યજી દેવાયેલ નવજાત બાળકીને શ્વાને બચકાં ભરીને ફાડી ખાધી મોરબી OSEM સ્કુલની વિદ્યાર્થિનીએ મેળવી રાષ્ટ્રીય સ્તરે સિધ્ધી મોરબીમાં ફૈબા દ્વારા ભત્રીજા-ભત્રીજીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે મેડિકલ કેમ્પ યોજાયો મોરબીમાં ભોજાણી પરિવારના કુળદેવી શ્રી ભવાની માતાજી મંદિરે નવચંડી યજ્ઞ માળીયા (મી)ના મોટા દહીસરા ગામે પ્રેમલગ્ન કરનારા યુવતીના કાકા ઉપર યુવાનના કૌટુંબિક વ્યક્તિએ કર્યો છરી વડે હુમલો હળવદમાં દુકાન પાસે હરાજી કરવાની ના કહેતા વેપારી ઉપર 5 શખ્સોનો પાઇપ વડે હુમલો
Breaking news
Morbi Today

હળવદના રણજીત ગઢ પાસે કાર પલટી જતાં મોરબીના યુવાનનું મોત


SHARE











હળવદના રણજીત ગઢ પાસે કાર પલટી જતાં મોરબીના યુવાનનું મોત

હળવદ માળીયા હાઇવે ઉપર આવેલા રણજીત ગઢના પાટીયા પાસે બલેનો કાર થોડા દિવસો પહેલા પલટી મારી ગઇ હતી જેથી કરીને કાર ચાલક યુવાનને ગંભીર ઈજાઓ થઈ હતી અને તેનું મોત નિપજયું હતું આ બનાવમાં મૃતક યુવાનના ભાઈની ફરિયાદ લઈને પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના શનાળા રોડ ઉપર આવેલ ચંદ્રેશનગરમાં રહેતો નીરજભાઈ મહેન્દ્રભાઈ કૂંડાળીયા જાતે પટેલ (ઉમર ૨૫) ગત તા.૧૬/૫ ના છ વાગ્યાના અરસામાં હળવદ માળીયા હાઇવે ઉપર આવેલા રણજીત ગામના પાટિયા પાસેથી પોતાની બલેનો કાર નંબર જીજે ૩૬ એસી ૩૮૩૪ લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે કોઈ કારણોસર કારચાલક નીરજભાઈ કૂંડાળીયાએ પોતાની કારના સ્ટિયરિંગ ઉપરથી કાબૂ ગુમાવી દીધો હતો જેથી કાર પલટી મારી ગઈ હતી અને યુવાનને શરીરે ગંભીર ઇજાઓ થઇ હતી જેથી તેનું મોત નીપજયું હતું જેથી અકસ્માતના આ બનાવમાં પોલીસે મૃતક યુવાનના ભાઈ ઉપેન્દ્રભાઈ મહેન્દ્રભાઈ કૂંડાળીયા જાતે પટેલ (ઉંમર ૧૯) ની ફરિયાદ લઈને આગળની રાબેતા મુજબની ઘરે છે

અકસ્માતમાં ઇજા

મોરબી તાલુકાના ભરત નગર ગામ પાસે ભરતવન પાસેથી પસાર થઈ રહેલા ટ્રક કંટેનર નંબર જીજે ૧૨ બીવી ૮૮૭૫ ના ચાલકે કોઈપણ પ્રકારની ઈશારો કર્યા વગર અચાનક પોતાનું વાહન વળાંકમાં વાળી લેતા બાઇક નંબર જીજે ૩૬ ડી ૩૬૬૩ ના ચાલક ધ્રુવભાઈ રમેશભાઈ રંગપરીયા (૨૪)ને હડફેટે લીધો હતો જેથી તેને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો અને ટ્રકનો ચાલકે પોતાનું વાહન ઘટનાસ્થળે મુકીને નાસી ગયો હતો માટે હાલમાં ભોગ બનેલા ધ્રુવભાઈના પરિવારજન પ્રકાશભાઈ દેવરાજભાઈ અઘારા જાતે પટેલ (ઉંમર ૪૦) રહે. રવાપર રોડ મધુરમ સોસાયટી કંકુપગલા એપાર્ટમેન્ટ વાળાની ફરિયાદ લઈને પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે






Latest News