Morbi Today
મોરબીમાં ત્રણ દિવસ માટે છાશ વિતરણ કરાયું
SHARE
મોરબીમાં ત્રણ દિવસ માટે છાશ વિતરણ કરાયું
મોરબીના શનાળા રોડ ઉપર દવાખાનું ધરાવતા અને બાંધકામ વ્યવસાયમાં સંકળાયેલા ડો.બી.કે.લહેરૂ તથા મહેશભાઈ ભટ્ટ સહિતના મિત્ર મંડળ દ્વારા તા.૧૮ થી ૨૦ એમ ત્રણ દિવસ માટે ઠંડી છાશનું વિતરણ કરવામાં આવ્યુ હતુ.તાજેતરમાં ભારે ગરમી પડી રહી હોય લોકોને આંશીક રાહત આપવા માટે ત્રણ દિવસ માટે દરરોજ સવારે ૧૦ થી ૧ વાગ્યા સુધી શનાળા રોડ ડો.બી.કે.લહેરૂના દવાખાના ખાતે ઠંડી છાસનું વિતરણ કરવામાં આવ્યુ હતુ. જેનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો









