મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબીના વાડી વિસ્તારમાં વીજ કનેકશનો પ્રશ્ન બ્રિજેશભાઈ મેરજાની જહેમતથી ઉકેલાયો


SHARE











મોરબીના વાડી વિસ્તારમાં વીજ કનેકશનો પ્રશ્ન બ્રિજેશભાઈ મેરજાની જહેમતથી ઉકેલાયો

મોરબીના વાડી વિસ્તારમાં ગૃહ ઉદ્યોગોને વીજ કનેકશનો મેળવવામાં મુશ્કેલી પડતી હતી જેની પંચાયત વિભાગના મંત્રી અને મોરબી માળીયાના ધારાસભ્યને રજૂઆત કરવામાં આવી હતી જેથી કરીને લોકોને પડતી મુશ્કેલી નિવારવા માટે નિણર્ય લેવામાં આવેલ છે જેથી કરીને બ્રિજેશભાઈ મેરજાની મહેનત રંગ લાવતા સથવારા સમાજે મંત્રીનો આભાર વ્યક્ત કરેલ છે

મોરબીના વાડી વિસ્તારમાં જ્યાં સથવારા સમાજની વસ્તી આવેલી છે તે વિસ્તારમાં ગૃહ ઉદ્યોગો માટે વીજ કનેકશન મેળવવામાં ભારે મૂશ્કેલીઓ રહેતી હતી આ અંગે સથવારા સમાજ દ્વારા વખતોવખત રજુઆતો થતી આવતી હતી અને મોરબી માળીયાના ધારાસભ્ય અને મંત્રી બ્રિજેશભાઈ મેરજાએ આ બાબતે રાજયના ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ તથા નાણાં મંત્રી કનુભાઇ દેસાઇ સાથે સથવારા સમાજના મુખ્ય આગેવાનો મોરબી શહેર ભાજપના મહામંત્રી ભાવેશભાઇ કણઝારીયા, મોરબી પાલિકાના પ્રમુખ કુસુમબેન પરમાર, કે.કે.પરમાર, ગણેશભાઇ ડાભી સહિતના કોર્પોરેટરો તેમજ સંગઠનના પદાધિકારીઓની હાજરીમાં બેઠક રાખી હતી આ બેઠકમાં સથવારા સમાજના વાડી વિસ્તારમાં ગૃહ ઉદ્યોગ માટે વીજ કનેકશન મેળવવામાં પડતી મુશ્કેલીનું નિરાકરણ લાવવામાં આવ્યું છે રાજયના ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ દ્વારા પશ્ચિમ ગુજરાત વીજ કંપની લી.ના મુખ્ય ઇજનેર (ટેક.), રાજકોટને જરૂરી આદેશ કરવામાં આવ્યા છે

આમ, હવે સથવારા સમાજની આ વાડી વિસ્તારમાં ગૃહ ઉદ્યોગ માટે વીજ કનેકશનો મેળવવામાં પડતી સમસ્યાનો કાયમી ધોરણે ઉકેલ લાવવામાં બ્રિજેશ મેરજાને સફળતા મળી છે આવા એક મહત્વના નિર્ણય લેવા માટે સતત મહેનત અને કામગીરીનું ફલોઅપ કરનાર મોરબી માળીયા ના માનનીય ધારાસભ્ય અને મંત્રી બ્રિજેશભાઈ મેરજાનો સથવારા સમાજના સૌ આગેવાનોએ આભાર વ્યક્ત કરેલ છે તેમજ રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ તેમજ ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ તથા નાણાંમંત્રી કનુભાઇ દેસાઇનો ખાસ આભાર વ્યક્ત કરેલ છે અને વર્ષોથી અણઉકેલ આ પ્રશ્નના નિરાકરણ આવતા સથવારા સમાજમાં આનંદની લાગણી છે.






Latest News