મોરબીમાં આવેલ ગજાનંદ એપાર્ટમેન્ટના ફ્લેટમાં જુગાર રમતા પાંચ શખ્સો 2.62 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીના સીરામીક ઉદ્યોગમાં પાઇપલાઇન મારફતે ગેસ સપ્લાય કરતી બે કંપનીના ભાવમાં જમીન આસમાનનો તફાવત !, ઉદ્યોગકારોની મૂંઝવણમાં સતત વધારો: હાલમાં ઉદ્યોગકારો એમજીઓ કરાર ન કરે તેવા સંકેત મોરબીમાં વ્યાજે લીધેલા 2.40 લાખ સામે 7.67 લાખ ચૂકવી દીધા છતાં ગીરવે મુકેલા દાગીના અને કોરા ચેક પાછા નહીં આપતા દંપતી સામે ગુનો નોંધાયો ભારે કરી: મોરબીમાં બાઈક વ્યવસ્થિત રાખવાનું કહેતા નિવૃત્ત પોલીસ કર્મચારીને ઝાપટ મારીને ગાળો આપી છરી મારવાનો પ્રયાસ મોરબીમાં બાઈક ચાલકે હડફેટે લેતા ઇજા પામેલ 12 વર્ષના બાળકનું મોત મોરબીમાં વેપાર માટે યુવાને વ્યાજે લીધેલા 5 લાખ સામે 7.90 લાખ ચૂકવ્યા છતાં બે શખ્સો દ્વારા પઠાણી ઉઘરાણી, મારી નાખવાની ધમકી હળવદના માથક ગામે રહેતા યુવાને અગાઉ કરેલ ફરિયાદ પાછી ખેંચી લેવા માટે ફોન ઉપર ગાળો આપીને ઠામ પતાવી દેવાની ધમકી મોરબીમાં જુદી જુદી બે જગ્યાએથી દારૂની 17 બોટલ સાથે ત્રણ શખ્સો પકડાયા, ત્રણ ની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીના સામાકાંઠા ગળેફાસો ખાઇ જતાં સગીરાનું મોત


SHARE











મોરબીના સામાકાંઠા ગળેફાસો ખાઇ જતાં સગીરાનું મોત

મોરબીના સામાકાંઠે આવેલા ઇન્દિરાનગર વિસ્તારમાં રહેતા કોળી પરિવારની સગીર વયની દીકરી કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઇ ગઇ હતી જેથી કરીને સગીરાનું મોત નિપજતા ડેડબોડીને પીએમ માટે સિવિલ ખસેડવામાં આવી હતી અને બનાવ અંગે જાણ થતા બી ડિવિઝન પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના સામાકાંઠે મહેન્દ્રનગર ગામની પાસે આવેલ ઇન્દિરાનગર વિસ્તારમાં રહેતા નારણભાઈ દેથરીયા જાતે કોળીની ૧૫ વર્ષીય દીકરી શોભનાબેન ગઈકાલ તા.૧૮-૫ ના સાંજના પાંચેક વાગ્યાના અરસામાં તેના ઘેર કોઈ કારણોસર ગળેફાંસો ખાઇ ગઇ હતી જેથી કરીને તેણીનું મોત નિપજતાં મૃતદેહને પીએમ માટે અહીં સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો અને ફરજ પરના તબીબ દ્વારા બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે હાલ બનાવ અંગે નોંધ કરી છે અને કયા કારણોસર મૃતક શોભનાબેન નારણભાઈ દેથરીયા જાતે કોળી નામની ૧૫ વર્ષીય સગીરાએ અંતિમ પગલું ભર્યું છે..? એ દિશામાં હાલમાં હેડ કોન્સ્ટેબલ જગદીશભાઈ ડાંગર દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

મારામારીમાં ઇજા

મોરબીની મેમણ શેરી વિસ્તારમાં રહેતી અમીનાબેન જાવેદજા શાહમદાર જાતે ફકીર નામની ૧૫ વર્ષીય સગીરાને ઘર મારામારીના બનાવવા ઇજાઓ થતા તેને સારવાર માટે અત્રે સિવિલ હોસ્પિટલ લાવવામાં આવી હતી બનાવને પગલે નોંધ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવેતા ખુલ્યો હતુ કે અમીનાબેન પોતાના પિતાની સાથે રહે છે અને માતા અલગ રહે છે દરમિયાન માતાના ઘેર જતાં તે વાતને લઈને પિતાએ જ ગુસ્સે થઇને તેણીને માર માર્યો હતો..!

જ્યારે મોરબી નજીકના શનાળા ગામે રહેતા જીજ્ઞાબા મહાવીરસિંહ ઝાલા નામની ૩૫ વર્ષીય મહિલા ફિનાઇલ પી જતા તેણીને અહીંની મંગલમ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવી હતી હોસ્પિટલ સત્તાવાળાઓ દ્વારા પોલીસને જાણ કરાતા હાલમાં એ ડિવિઝન પોલીસ મથકના પી.એચ.બોરાણા દ્વારા બનાવ સંદર્ભે તપાસ હાથ ધરવામાં આવતા ખુલ્યું હતું કે જીજ્ઞાબાના લગ્નને સાતેક વર્ષ થયા હોય પરંતુ હાલ તેઓને સંતાન ન હોય તે બાબતનું મનમા લાગી આવવાથી વિચારવાયુ થઈ જતાં તેમને ઉપરોક્ત પગલું ભર્યું હતું.






Latest News