મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને કચ્છના સાંસદ વિનોદભાઈ ની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વાડીએ પાણીની કુંડીમાં ડૂબી જવાથી દોઢ વર્ષની બાળકીનું મોત હળવદના ધુળકોટ ગામે શક્તિ માતાજીના મંદિરમાંથી સોના-ચાંદીના 80 છતર, ચાંદીનો મુગટ અને સોનાની બે ટીલડીની ચોરી મોરબીના ન્યુ ચંદ્રનગરમાં શ્રીમદ્ સપ્તાહમાં શિવજી વિવાહનો પ્રસંગ ઉજવાયો વાંકાનેરના ઓળ ગામના હળદર ધાર વિસ્તારમાં ખનીજ માફિયા ઉપર પોલીસે-ખાણ ખનીજની ટિમ ત્રાટકી: 4.10 કરોડનો મુદામાલ કબ્જે
Breaking news
Morbi Today

હળવદ જીઆઇડીસીમાં મીઠાના કારખાનામાં ગોઝારો અકસ્માત : દીવાલ પડતાં ૩૦ દટાયા, ૧૦ થી વધુના મોતની સંભાવના


SHARE











હળવદ જીઆઇડીસીમાં મીઠાના કારખાનામાં ગોઝારો અકસ્માત : દીવાલ પડતાં ૩૦ દટાયા, ૧૦ થી વધુના મોતની સંભાવના

મોરબી જિલ્લાના હળવદમાં આવેલી જીઆઇડીસીની અંદર મીઠાના કારખાનાની દિવાલ પડતા દિવાલ અને મીઠની થેલીઓ હેઠળ ૩૦ જેટલા મજુરો દબાયા હતા જે પૈકી દશેક લોકોના મોત નિપજ્યા હોવાનું અને અન્ય લોકોને જેસીબીની મદદથી બબાર કાઢવા શોધખોળ ચાલુ હોવાનું જાણવા મળેલ છે.

મળતી માહિતી મુજબ હળવદ જીઆઇડીસી પાસે આજે સવારે બારેક વાગ્યાના અરસામાં સાગર સોલ્ટ નામના મીઠના કારખાનામાં અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં મીઠાની કોથળીઓ ભરવાની કામગીરી ચાલુ હતી તે દરમિયાન બપોરના બારેક વાગ્યાના અરસામાં કારખાનાની દીવાલ ધસી પડતાં દિવાલના કાટમાળ તેમજ મીઠાની થેલીઓ હેઠળ અંદાજે  ૩૦ જેટલા મજુરો દબાયા હતા જેથી દબાયેલા લોકોને બહાર કાઢવા માટે હીટાચી તેમજ જેસીબી મશીન દ્વારા તેઓને બહાર કાઢવાની કામગીરી ચાલુ હતી.દરમિયાન નાની મોટી ઉમરના આશરે દશેક લોકોના મોત નિપજ્યા હોવાનું પ્રાથમિક ધોરણે જાણવા મળેલ છે.કારખાનામાં મજુરો મીઠું ભરવાનું કામ કરી રહ્યા હતા તે દરમિયાન યુનીટની દીવાલ કોઈ કારણોસર ધરાશાયી થઈ હતી. સંભવતઃ મીઠાની થેલીઓની થપ્પીઓ દિવાલની પાસે ઊભી કરવામાં આવેલ હોય અને તેનો લોડ વધી જવાથી આ દીવાલ ધસી પડી હોય તેવું હાલ પ્રાથમિક ધોરણે સ્થળ ઉપર હાજર લોકો તરફથી જાણવા મળી રહ્યું છે.હાલ દીવાલના કાટમાળ અને મીઠાની થૈલીઓના કાટમાળ હેઠળ મીઠું ભરવાની કામગીરી કરી રહેલા ૩૦ જેટલા મજૂરો દબાયા હતા જેને લીધે કાટમાળ હેઠળ દબાઇ જવાથી અને મીઠાની થૈલીઓ નિચે દબાઈ જવાથી અંદાજે ૧૦ લોકોનાં મોત નીપજ્યાં હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે.હાલ હીટાચી અને જેસીબીની મદદથી ફસાયેલા લોકોને તેમજ મૃતકોની બોડીને બહાર કાઢવામાં આવી રહ્યા છે. ખુબ મોટી સંખ્યામાં લોકો અને અધિકારીઓ સ્થળ ઉપર પહોંચી ગયા છે મોરબી જીલ્લામાં આ ગોઝારી ઘટના બનતાં સમગ્ર મોરબી જીલ્લામાં આ બાબતને લઈને ચકચાર મચી ગયેલ છે.






Latest News