વાંકાનેર બાઉન્ડ્રી પાસે રોંગ સાઈડમાં આવેલ ડમ્પર ચાલકે બાઈકની હડફેટે લેતા આધેડનું મોત હળવદના દેવળીયા ગામે સ્કૂલેથી છૂટીને ઘરે જતી પાંચ છોકરીઓને બુલેટ ચાલાકા હડફેટે લેતા એકનું મોત, ત્રણને ઇજા: ગુનો નોંધાયો મોરબીમાં રોડની સફાઈ માટે મહાપાલિકામાં અરજી કર્યાનો ખાર રાખીને યુવાન અને તેના પિતા-ભાઈને ચાર શખ્સોએ માર માર્યો: 17,000 રૂપિયા પડાવી લીધા! મોરબીના જેતપર ગામે ઉપવાસી છાવણીમાં અદાણી કંપનીની તાનાશાહી અને ખેડૂતોની લાચારીને ઉજાગર કરતું નાટક રજૂ કરાયું માળીયા (મી)ના કાજરડા ગામ નજીકથી ચોરાઉ બાઇક-એક્ટિવા સાથે એક શખ્સ પકડાયો મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીના નવલખી હાઇવે ઉપર બે કાર અથડાતાં ચારને ઇજા


SHARE











મોરબીના નવલખી હાઇવે ઉપર બે કાર અથડાતાં ચારને ઇજા

મોરબી નવલખી હાઇવે ઉપર રોકડીયા હનુમાન મંદિર અને ત્રિમંદિરની વચ્ચેના ભાગે ગતરાત્રીના બે કાર અથડાઇ હતી.જે બનાવમાં કુલ ચાર લોકોને ઈજાઓ થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.બનાવની જાણ થતા તાલુકા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના નવલખી હાઇવે ઉપર રોકડીયા હનુમાન મંદિર અને ત્રિમંદિરની વચ્ચે વાહન અકસ્માતનો બનાવ સર્જાયો હતો.જેમાં બે કાર અથડાતા વિજય આયદન ડાંગર (૩૨) રહે.ખાખરડા તા.જી.મોરબી, આનંદ રૂપસિંગ રાવત (૩૦) અને નરપત ઓમસિંગ રાવત બંને રહે.વિદ્યુતનગર સર્કિટ હાઉસ સામે મોરબી-૨ ને ઈજાઓ થતા ત્રણેયને અહીંની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જ્યારે સામેની કારમાં રહેલ વિપુલ વાસુરભાઇ સોઢીયા (૨૯) રહે.વાવડી રોડ કબીરવાડી પાસેને ઇજાઓ પહોંચી હતી.વિપુલભાઇ પીપળીયા ચોકડી તરફ જતા હતા ત્યારે રોકડીયા હનુમાન મંદિર પાસે ઉપરોક્ત કાર અકસ્માત સર્જાયો હતો.બનાવની જાણ થતાં હાલમાં તાલુકા પોલીસ મથકના મનીષભાઈ બારૈયાએ બનાવ અંગે આગળની તપાસ હાથ ધરી છે.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના વજેપરમાં વાડી વિસ્તારમાં રહેતા ગોવિંદભાઇ નવઘણભાઈ પરમાર નામના ૭૦ વર્ષીય વૃદ્ધ રવાપર ચોકડીથી લીલાપર જતા રસ્તે જતા હતા ત્યારે તેમના મોટર સાયકલ આડે કુતરૂ ઉતરતા બાઈક સ્લીપ થઈ ગયું હતું જેથી ઈજાગ્રસ્ત થયેલા ગોવિંદભાઈ પરમારને અહીંની ક્રિષ્ના હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જ્યારે ધાંગધ્રાના રતનપર ગામના રહેવાસી પ્રકાશ જગાભાઈ ડોડીયા જાતે રજપુત નામના ૨૨ વર્ષીય યુવાનને ચિત્રોડી ગામના પાટિયા પાસે બાઇક સ્લીપ થઇ જવાના બનાવમાં ઈજાઓ પહોંચતા તેને અત્રીની આયુષ હોસ્પિટલ ખાતે સારવાર માટે લવાયો હતો.

મારામારીમાં ઇજા

મોરબીના સામાકાંઠા આવેલ ત્રાજપર વિસ્તારમાં ઘરે થયેલ મારામારીના બનાવમાં રામસંગ મોહનભાઈ બારૈયા નામના ૪૫ વર્ષીય યુવાનને ઇજાઓ થતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો.જ્યારે મોરબીના પાડાપુલ નીચે ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતા વિક્રમ ગોવિંદભાઈ વાઘેલા (૩૫), સંજય ગોવિંદ વાઘેલા (૨૨) અને ગોવિંદ કેશુભાઈ વાઘેલા (૬૦) નામના ત્રણ પિતા-પુત્રોને ઇજાઓ થતાં તેમને અહીંની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા અને વિક્રમભાઈને વધુ ઇજાઓ પહોંચેલ હોય તેને વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડાયો હોવાનું જાણવા મળેલ છે.પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે પથ્થરમારામાં ઉપરોક્ત ત્રણેયને ઇજાઓ થતાં સારવારમાં લઇ જવાયા હતા.






Latest News