હળવદના બુટવડા ગામે ચારિત્રની શંકાથી કંટાળીને પરણીતાએ કરેલ આપઘાતના બનાવ પતિ  સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે નજીવ વાતમાં યુવાને કડા અને પાઇપ વડે 5 શખ્સો માર માર્યો મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ સરતાનપર ચોકડી પાસે ટ્રકની પાછળ કાર ઘૂસી જતા બે યુવાનોના મોત ટંકારાના ઘુનડા (સ) ગામે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો 10,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેર: પત્નીએ કામમાં બારોબાર ધ્યાન આપવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં મકાનના પૈસા ચૂકવવાના ટેન્શનમાં ગળેફાંસો ખાઈ લેતા આધેડનું મોત


SHARE











મોરબીમાં મકાનના પૈસા ચૂકવવાના ટેન્શનમાં ગળેફાંસો ખાઈ લેતા આધેડનું મોત

મોરબીના નવલખી રોડ ઉપર આવેલા લાયન્સનગર વિસ્તારમાં રહેતા આધેડે ગળેફાસો ખાઇ લેતાં તેમની ડેડબોડીને પીએમ માટે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવી હતી.પોલીસના જણાવ્યા પ્રમાણે તેઓએ લીધેલા મકાનના પૈસા ચૂકવવાના હોય અને તે બાબતના ટેન્શનને લઈને તેમણે ઉપરોક્ત પગલું ભરી લીધું હતું.

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ મોરબીના નવલખી રોડ ઉપર આવેલા લાયન્સનગર વિસ્તારમાં રહેતા પરેશભાઈ કિશોરભાઇ પરમાર (ઉમર ૨૦) નામના યુવાને પોલીસ મથક ખાતે જાણ કરી હતી કે તેમના પિતા કિશોરભાઈ કાનજીભાઈ પરમાર (ઉમર ૪૫) એ નવલખી રોડ ઉપર ઇશ્વરીયા મહાદેવના રસ્તે રેલ્વેના ફાટક નજીક વીજ પોલ સાથે દોરી બાંધીને ગળેફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેઓના પિતા કિશોરભાઇ પરમારનું મોત નિપજ્યું હતું.આ બનાવની જાણ થતા બી ડિવિઝન પોલીસ મથકના એ.એમ.ઝાપડિયાએ બનાવ અંગે નોંધ કરી આગળની તપાસ હાથ ધરી હતી.વધુમાં મળતી માહિતી મુજબ મૃતક કિશોરભાઈએ મકાન લીધું હોય અને તેના પેમેન્ટના હપ્તા ચૂકવવાના થતા હોય તેના ટેન્શનમાં તેઓએ ઉપરોક્ત પગલું ભરી લેતા તેમનું મોત નિપજ્યું હતું.

ઝેરી દવા પી લેતા સારવારમાં

વાંકાનેર તાલુકાના રાજસ્થળી ગામના જયંતીભાઈ ગોવિંદભાઈ બાવળીયા નામના ૨૮ વર્ષીય યુવાને કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેને અહીંની મંગલમ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.જ્યારે મોરબીની અમૃતવાટિકા સોસાયટીમાં રહેતા નરેન્દ્રભાઈ છગનભાઈ ગામા નામના ૩૬ વર્ષીય યુવાન કાર લઈને જતા હતા ત્યારે તેઓની કાર ટ્રેક્ટર સાથે અથડાતા સર્જાયેલા અકસ્માતના બનાવમાં ઇજાઓ થતાં નરેન્દ્રભાઈને અહીંની ક્રિષ્ના હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.

પોલીસે બનાવની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.

મારામારીમાં ઇજા

મોરબી તાલુકાના ધુળકોટ ગામે રહેતા દેવજીભાઈ ડાયાભાઈ વાઘેલા નામના ૭૦ વર્ષીય વૃદ્ધને મારામારીના બનાવમાં ઇજાઓ થતા તેમને સારવાર માટે અહીં સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જ્યારે મોરબી તાલુકાના રાજપર ગામે આસ્થા હસમુખભાઈ ધોળકિયા નામની આઠ વર્ષીય બાળકી ઘર પાસે સાયકલ લઇને રમી રહી હતી તે દરમ્યાન સાયકલમાંથી પડી જતાં ઇજાઓ થવાથી તેને પણ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લાવવામાં આવી હતી.






Latest News