મોરબીમાં ભારતી વિદ્યાલયના વિદ્યાર્થીઓ દ્વારા સ્મશાનની પવિત્ર ભૂમિ ઉપર તિરંગો લહેરાવીને સલામી અપાઈ મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન
Breaking news
Morbi Today

મોરબીના પંચાસર રોડ ઓમ પાર્કમાં રહેતો યુવાન ઘરેથી ગુમ


SHARE







મોરબીના પંચાસર રોડ ઓમ પાર્કમાં રહેતો યુવાન ઘરેથી ગુમ

મોરબીના પંચાસર રોડ ઉપર નાની કેનાલ પાસે ઓમપાર્કમાં શીવ પેલેસ-૧૦૧ માં રહેતો અને સિરામીક રો-મટિરિયલનો ધંધો કરતો હીતેશભાઇ જમનભાઇ ચનીયારા પટેલ (૨૮) નામના યુવાન બે દિવસ પહેલા તા.૧૨-૫ ના સવારે ૧૦ વાગ્યે તેના ઘરેથી નીકળી ગયેલ છે અને તે ઘરેથી પરત આવેલ નથી જેથી કરીને યુવાન ગુમ થયો હોવાની મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશને તેના પિતા જમનાભાઇ ચનીયારા હાલ રહે.મોરબી પંચાસર નાની કેનાલ પાસે શિવપેલેસ મૂળ રહે.લખતર તા.જોડીયા જામનગરએ તેમનો દિકરો હિતેષ ગુમ થયો હોવાની ફરિયાદ લખાવવામાં આવી હતી અને આ બનાવની તપાસ કરતાં એ.એમ જાપડિયા સાથે વાત કરતાં તેમણે કહ્યું હતું કે, ઘરેથી ચાલ્યા ગયેલા હિતેષે તેના પરિવારજન સાથે ફોનથી વાત કરી છે જો કે, હાલમાં તે કયા છે..? અને શા માટે ઘરેથી ચાલી ગયો છે..? તેની કોઈ માહિતી તેના પરિવારને આપી નથી માટે યુવાનને શોધવા માટે તજવીજ ચાલી રહી છે.

વાહન અકસ્માતમાં ઈજા

હળવદ તાલુકાના સાપકડા ગામના રહેવાથી ચંદ્રિકાબેન દેવજીભાઈ ચૌહાણ નામની ૪૦ વર્ષીય મહિલા મોટરસાયકલના પાછળના ભાગે બેસીને જતા હતા ત્યારે રસ્તામાં તેઓ પડી જતાં તેઓને સારવાર માટે અહીં ખસેડવામાં આવ્યા હતા અને બનાવની જાણ થતાં પોલીસે નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે. જ્યારે મોરબી તાલુકાના જેતપર ગામે રહેતો આર્યન નરેશભાઈ ચૌહાણ નામનો ત્રણ વર્ષનો બાળક સગાની સાથે ખરીદી કરવા મોરબી આવ્યો હતો અને ત્યારે અહીંની શાકમાર્કેટ પાસે તે બાઇકમાંથી નીચે પડી જતા ઇજા થતાં આર્યન નરેશભાઈ ચૌહાણને પણ સારવારમાં ખસેડાયો હતો.





Latest News