મોરબીમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડથી સરદાર પટેલના સ્ટેચ્યુ સુધી તિરંગા યાત્રા યોજાશે મોરબી જિલ્લામાં વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસ અંતર્ગત નાલંદા વિદ્યાલયમાં વ્યાખ્યાનમાળા-મૌન રેલીનું આયોજન મોરબીના હળવદ ખાતે વાહન અકસ્માત, આધેડ સારવારમાં કાલે મોરબીના મચ્છુ જળ હોનારની 47 મી વરસી: અનેક આંખોમાં આંસુનો બાંધ તૂટશે, દિવંગતોની યાદમાં મૌન રેલી યોજાશે મોરબીના ઇન્દિરાનગર પાસે વોંકળા કાંઠેથી ૩૪ બોટલ દારૂ સાથે એક પકડાયો ખેડૂત હાર્યો તો દેશ હાર્યો- મોરબીના જેતપર ગામે ઉપવાસ છાવણીમાં ગામની દીકરીઓએ રજૂ કર્યું નાટક મોરબીમાં ગોડાઉનમાંથી યુરિયા ખાતરની 1272 ગુણી મળી આવતા તપાસ શરૂ મોરબી શહેર-તાલુકા અને હળવદના કડિયાણા ગામે જુગારની 4 રેડમાં 20 શખ્સો પકડાયા
Breaking news
Morbi Today

મોરબીના કન્યા છાત્રાલય દ્વારા કન્યા કેળવણીને પ્રોત્સાહન : ૫૦ ટકા ફી માફ


SHARE







મોરબીના કન્યા છાત્રાલય દ્વારા કન્યા કેળવણીને પ્રોત્સાહન : ૫૦ ટકા ફી માફ

મોરબીના કન્યા છાત્રાલય દ્વારા કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવાના હેતુથી બીએસસીના પ્રથમ સેમેસ્ટરની ૫૦ ટકા ફી માફીની જાહેરાત કરવામાં આવેલી છે.તા.૧૪-૫ થી તા.૨૨-૫ સુધીમાં જે કોઈના દ્રારા રજિસ્ટ્રેશન કરાવવામાં આવશે તેને બીએસસી કોર્ષના પ્રથમ સેમેસ્ટરની ૫૦ ટકા ફી માફી કરવામાં આવશે.૧૨ સાયન્સના પરિણામ બાદ કોઈપણ દીકરી બીએસસી કોર્ષમાં એડમિશન લેવા ઇચ્છતી હોય તેમના માટે શ્રી કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ-મોરબી સંચાલિત શ્રીમતી જે.એ.પટેલ મહિલા સાયન્સ કોલેજમાં બીએસસીના પહેલા સેમેસ્ટરની ૫૦ ટકા ફી માફીની જાહેરાત કરવામાં આવેલી છે.જેના લીધે વિદ્યાર્થીઓના વાલીઓનો આર્થીંક બોજ હળવો થઈ શકશે તથા દીકરીઓને પણ ભણવા માટે પ્રોત્સાહન મળશે.તા.૧૪-૫ થી તા.૨૨-૫ સુધી જ આ યોજનાનો લાભ મળશે અને વધુ વિગત માટે મોબાઈલ નંબર ૯૬૮૭૯ ૩૧૦૩૭ અથવા ૯૩૧૩૦ ૬૨૨૧૪ ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.






Latest News