મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ મોરબીના મકનસર ગામ પાસે ટ્રક નીચે ચગડાઈ જવાથી યુવાનનું મોત કેમ મારી સાથે વાત નથી કરતો, પાવર આવી ગયો છે તેવું કહીને મોરબીના શનાળા ગામે યુવાનને મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીના વીસીપારમાં રસ્તા ઉપર વહેતો વિકાસ દેખાયો !


SHARE







મોરબીના વીસીપારમાં રસ્તા ઉપર વહેતો વિકાસ દેખાયો !

છેલ્લા વર્ષોમાં મોરબી શહેરમાં ભૂગર્ભની સમસ્યાઓને ઉકેલવા માટે પાલિકા દ્વારા લાખો નહી પરંતુ કરોડો રૂપિયાના ખર્ચા કરી નાખવામાં આવેલ છે જો કે, આજની તારીખે મોરબીના શનાળા રોડ સહિતના વિસ્તારમાં ભૂગર્ભ ગટરના પાણી રોડ ઉપર વહેતા હોય અથવા તો ભરાયેલા હોય તેવું જોવા મળે છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી ત્યારે મોરબીના વીસીપારમાં એક બે દિવસ નહીં પરંતુ છેલ્લા ૧૦ દિવસથી ગુજરાત મેરી ટાઈમ બોર્ડની ઓફિસ સામે મુખ્યમાર્ગ ઉપર મોરબી નગરપાલિકાની બેદરકારીના લીધે વહેતો વિકાસ દેખાઇ રહયો છે અને ભૂગર્ભ ગટરના ગંદા પાણી રસ્તા ઉપર વહી રહ્યા હોવાથી લોકોને ના છૂટકે તે ગંદકીમાંથી પસાર થવું પડે છે અને સમસ્યાના લીધે છેલ્લા ઘણા દિવસોથી ગુજરાત મેરિટાઇમ બોર્ડેનો મુખ્ય દરવાજો આવન જાવન માટે બંધ કરી દેવામાં આવેલ છે ત્યારે સવાલએ ઊભો થાય છે કે લોકોની સુખાકારીમાં વધારો કરવા માટે હવે તો પાલિકામાં વિપક્ષ પણ નથી તો પણ આ વહેતો વિકાસ બંધ કેમ કરવામાં આવતો નથી તે સૌથી મોટો સવાલ છે






Latest News