મોરબીના સીરામીક ઉદ્યોગમાં પાઇપલાઇન મારફતે ગેસ સપ્લાય કરતી બે કંપનીના ભાવમાં જમીન આસમાનનો તફાવત !, ઉદ્યોગકારોની મૂંઝવણમાં સતત વધારો: હાલમાં ઉદ્યોગકારો એમજીઓ કરાર ન કરે તેવા સંકેત મોરબીમાં વ્યાજે લીધેલા 2.40 લાખ સામે 7.67 લાખ ચૂકવી દીધા છતાં ગીરવે મુકેલા દાગીના અને કોરા ચેક પાછા નહીં આપતા દંપતી સામે ગુનો નોંધાયો ભારે કરી: મોરબીમાં બાઈક વ્યવસ્થિત રાખવાનું કહેતા નિવૃત્ત પોલીસ કર્મચારીને ઝાપટ મારીને ગાળો આપી છરી મારવાનો પ્રયાસ મોરબીમાં બાઈક ચાલકે હડફેટે લેતા ઇજા પામેલ 12 વર્ષના બાળકનું મોત મોરબીમાં વેપાર માટે યુવાને વ્યાજે લીધેલા 5 લાખ સામે 7.90 લાખ ચૂકવ્યા છતાં બે શખ્સો દ્વારા પઠાણી ઉઘરાણી, મારી નાખવાની ધમકી હળવદના માથક ગામે રહેતા યુવાને અગાઉ કરેલ ફરિયાદ પાછી ખેંચી લેવા માટે ફોન ઉપર ગાળો આપીને ઠામ પતાવી દેવાની ધમકી મોરબીમાં જુદી જુદી બે જગ્યાએથી દારૂની 17 બોટલ સાથે ત્રણ શખ્સો પકડાયા, ત્રણ ની શોધખોળ હળવદમાં ઘરે મોડા આવતા પતિ સાથે બોલાચાલી ઝઘડો થતાં પરિણીતાએ કર્યો આપઘાત
Breaking news
Morbi Today

ટંકારાના નાના ખીજડીયા ગામે યુવાનની સગાઈ કે લગ્ન ન થતાં કર્યો ઝેર પીને આપઘાત


SHARE











ટંકારાના નાના ખીજડીયા ગામે યુવાનની સગાઈ કે લગ્ન ન થતાં કર્યો ઝેર પીને આપઘાત

ટંકારા તાલુકાના નાના ખીજડીયા ગામે રહેતા યુવાનની ઉંમર વધતી જતી હતી અને તેના સગાઈ કે લગ્ન ન થતા હોય કંટાળી જઈને ઝેરી દવા પી લીધી હતી જેથી સારવાર માટે તેને ટંકારા અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઇ ગયા હતા જોકે, સારવાર કારગત ન નિવડતા યુવાનનું મોત નીપજયું હતું જેથી આપઘાતના બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે ટંકારા તાલુકાના નાના ખીજડીયા ગામે રહેતા દિપકભાઇ રમેશભાઈ રાણાવા (૨૫) ની પાસે ગઈકાલે પોતાની જાતે જ ઝેરી દવા પી લીધી જેથી કરીને તેને પ્રથમ સારવાર માટે ટંકારા અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઇ ગયા હતા જોકે સારવાર કારગત ન નિવડતા આ યુવાનનું મોત નિપજયું હતું અને આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી વધુમાં પોલીસ સુત્રો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે મૃતક યુવાનની ઉંમર વધતી જતી હોય અને સગાઈ કે લગ્ન ન થતા હોવાથી કંટાળી જઈને તેણે જાતે ઝેરી દવા પી લીધી હતી તેવું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે

સારવારમાં મોત

વાંકાનેર તાલુકાના ગારિયા ગામે રહેતા રમેશભાઇ ખાખીરામભાઈ ગોંડલીયા થોડા સમય પહેલા સાઈકલ લઈને જઈ રહ્યા હતા ત્યારે કોઈ કારણોસર તે સાયકલ પરથી નીચે પડી ગયા હતા જેથી કરીને તેને ગંભીર ઈજા થઈ હોવાના કારણે પ્રથમ વાંકાનેર અને ત્યાંથી રાજકોટ સારવાર માટે ખસેડયા હતા અને બાદમાં વધુ સારવાર માટે તેને અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા જોકે સારવાર કારગત ન નિવડતા રમેશભાઇ ગોંડલીયાનું મૃત્યુ નીપજયું હતું જેથી  અકસ્માતનાં બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News