મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

ટંકારાના ખેડૂતો માટે ચેકડેમ, ખેત તલાવડા રિપેરીંગ માટે ઝુંબેશ


SHARE













ટંકારાના ખેડૂતો માટે ચેકડેમખેત તલાવડા રિપેરીંગ માટે ઝુંબેશ

ચૂંટણી સમયે એક બીજાના કટ્ટર હરીફ તરીકે પ્રજા સામે આવતા રાજકીય નેતાઓ પ્રજાના પ્રશ્ને જો એક બને તો ખરેખર પ્રજાના પ્રશ્ન ચપટી વગાડતા ઉકેલી શકાય છે. આવું જ એક ઉદાહરણ ટંકારાના ભાજપ અને કોંગ્રેસના ચૂંટાયેલા સદસ્યોએ પૂરું પાડ્યું છે. ચેકડેમ અને તૂટેલા ખેત તલાવડા પ્રશ્ને કોંગ્રેસના જિલ્લા પંચાયત સદસ્ય ભુપતભાઈ ગોધાણી અને ભાજપના નથુભાઈ કડીવાર એક બનીને કામ કરી રહ્યા હોય વર્ષો જુનો પ્રશ્ન ઉકેલાવાની લોકોને આશા બંધાઈ છે. 

ટંકારા બેઠકના જીલ્લા પંચાયતના કૉંગ્રેસના સદસ્ય ભુપતભાઇ ગોધાણી અને ભાજપના મહિલા સદસ્યના પતિ દ્વારા નાનીસિચાઈ વિભાગના અધિકારીઓ સાથે રાખી ટંકારા તાલુકામાં અતિવૃષ્ટિથી ટુટી ગયેલ ખેત તલાવડા કોઝવેનુ નિરીક્ષણ કરી એસ્ટિમેટ તૈયાર કર્યું છે. ત્રણ વર્ષથી ટુટેલી પાઝને કારણે વરસાદનું પાણી વેડફાઇ જતુ હોય બન્ને આગેવાનોએ ખેડૂતોનું હિત વિચારી મહત્વની કામગીરી હાથ ઉપર લીધી છે. જીલ્લા પંચાયત હસ્તકની નાનીસિચાઈ યોજના હેઠળ શહેરના વાડી વિસ્તારમાં વરસાદી પાણી સંગહ માટે બનાવેલ તલાવડા પાઝ અતિશય વરસાદ કારણે તૂટી ગયા બાદ ખેડૂતની અનેક રજૂઆતો કરી હોય જીલ્લા પંચાયતના સદસ્ય ભુપત ગોધાણી અને નથુભાઈ કડીવાર લગત વિભાગના અધિકારી માલવિયા સાથે સ્થળ ઉપર પહોંચી જાત નિરીક્ષણ કર્યું હતું અને એસ્ટિમેટ મુકી આગામી દિવસોમાં આ કામ શરૂ કરવા સુચના પણ આપવામાં આવી હતી.

 






Latest News