મોરબીમાં તાજિયાના તહેવાર પહેલા પોલીસનું ફૂટ પેટ્રોલીંગ યોજાયું વાંકાનેરના કણકોટ ગામે જાહેરમાંથી દારૂની 224 બોટલ સાથે એક શખ્સ પકડાયો ખાનગી વીજ કંપની પાસેથી વળતરનો મામલો, મોરબીના જેતપર ગામે ઉપવાસી છાવણી ખાતે મહિલાઓ દ્વારા આનંદનો ગરબો યોજી અનોખો વિરોધ વ્યક્ત કરાયો મોરબીની જુદીજુદી શાળાઓમાં ડીડીઓ-મેયરની હાજરીમાં અને ટંકરાના જીવાપર ગામે જિલ્લા પંચાયત પ્રમુખની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ ઉજવાયો ટંકારા આઇટીઆઇ ખાતે ૩૦ જૂને યોજાશે ઔદ્યોગિક ભરતી મેળો શાળા પ્રવેશોત્સવમાં કરી જાહેરાત: વાંકાનેરના ભેરડા ગામની શાળામાં પેવાર બ્લોક માટે 3 લાખની ગ્રાન્ટ આપતા ધારાસભ્ય જીતુભાઈ સોમાણી વાંકાનેરના કોઠી અને મહિકા ગામે કલેક્ટરની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો ટંકારાના વિરપર ગામે રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

વાંકાનેર નજીક બાબા રામદેવ હોટલનો સિક્યુરીટી ગાર્ડ ૭૦ બોટલ દારૂ-૧૫ બિયરના ટીન સાથે પકડાયો


SHARE











વાંકાનેર નજીક બાબા રામદેવ હોટલનો સિક્યુરીટી ગાર્ડ ૭૦ બોટલ દારૂ-૧૫ બિયરના ટીન સાથે પકડાયો

વાંકાનેર તાલુકાનાં વઘાસીયા ગામની સીમમાં આવેલ બાબા રામદેવ હોટલનો સિક્યુરીટી ગાર્ડ દારૂનો ધંધો કરતો હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં હોટલની બાજુમાં સરકારી ખરાબની જગ્યામાં દારૂની રેડ કરી હતી ત્યારે ૭૦ બોટલ દારૂ અને ૧૫ બિયરના ટીન મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે કુલ ર૮૭૫૦ ના મુદામાલ સાથે એક શખ્સની ધરપકડ કરેલ છે. 

વાંકાનેર પોલીસે સ્ટેશનમાં ફરજા બજાવતા હરપાલસિંહ જયેન્દ્રસિંહ પરમાર તથા દીવ્યરાજસિંહ દેવેન્દ્રસિંહ ઝાલાને સંયુકત બાતમી હકીકત મળેલ હતી કે વઘાસીયા ગામની સીમમાં ટોલનાકાથી આગળ મેક્ટાઈલ્સ સીરામીકમાં જવાના રસ્તાની બાજુમાં બાબા રામદેવ હોટલના સિક્યુરીટી વાળા મદનલાલ મીણા રહે. હાલ બાબા રામદેવ હોટલ મુળ રહે. રાજસ્થાન વાળાએ બાબા રામદેવ હોટલની પાછળ ખરાબામાં દારૂનો જથ્થો દાટી રાખ્યો છે અને તેમાથી દારૂનું વેચાણ કરવામાં આવે છે જેથી કરીને ચોકકસ બાતમી આધારે દારૂની રેઈડ કરતા બાબા રામદેવ હોટેલની પાછળના ભાગે ખરાબાની જમીનમાંથી ભારતિય બનાવટની શીલપેક ૭૦ બોટલો તથા ૧૫ બિયરના ટીન મળી આવ્યા હતા જેથી કરીને દારૂ બીયર અને મોબાઈલ સાથે આરોપી મદનલાલ નરસીહરામ જાતે મીણા (ઉ.૨૫) રહે. હાલ વઘાસીયા ટોલનાકા પાસે મેક્ટાઈલ્સ સીરામીકમાં જવાના રસ્તા પાસે બાબારામદેવ હોટલ વાળાની ર૮૭૫૦ ના મુદામાલ સાથે ધરપકડ કરેલ છે આ કામગીરી પીઆઇ એચ.એન.રાઠોડ, હીરાભાઈ તેજાભાઈ મઠીયા, હરપાલસિંહ જયેન્દ્રસિંહ પરમાર, ભરતભાઈ આપાભાઈ ખાંભરા, કૃષ્ણરાજસિંહ પુથ્વીરાજસિંહ ઝાલા, પ્રતિપાલસિંહ અનીરૂધ્ધસિંહ તથા અજીતભાઈ ભુરાભાઈ સોલંકી દ્રારા કરવામાં આવેલ છે.

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ






Latest News