મોરબીના ઘુટું ગામેથી ત્રણ વર્ષના બાળકનું અપહરણ, ગુનો નોંધાયો માળીયા (મી)ના વવાણીયા ગામે સ્મશાનમાં અજાણ્યા શખ્સ દ્વારા દેવી-દેવતાઓની મૂર્તિઓમાં કરવામાં આવી તોડફોડ મોરબી નજીક સિરામિક કારખાનાના લેબર ક્વાર્ટરમાંથી 1.814 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો મોરબીમાંથી પરિણીતા ગુમ.પાનેલીથી ગુમ થયેલી યુવતીએ પ્રેમલગ્ન કરી લીધાનું ખુલ્યું મોરબીમાં યોજાયેલ કવિ સંમેલનમાં કવિઓએ રાજ્યમંત્રી-ધારાસભ્ય સહિતના શ્રોતાઓ સમક્ષ રજૂ કરી ઉત્કૃષ્ટ રચના ટંકારાના મીતાણા નજીક અને હળવદના ચરાડવા પાસે જુગારની જુદીજુદી બે રેડમાં 11 શખ્સ પકડાયા હળવદના કોયબા ગામના ખેડૂતો દ્વારા એમઆરસી કમિટીના નિર્ણય તથા ખાનગી કંપનની પાસેથી વળતર માટે સરકારે કરેલા પરિપત્રનો કરાયો ખુલ્લો વિરોધ મોરબી સિરામિક એસો.ના હૉલ ખાતે મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં સેફ્ટી સેમિનાર યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના બંધુનગર પાસે સ્કૂટર સ્લીપ થતાં ઇજા પામેલા યુવાનનું મોત


SHARE





મોરબીના બંધુનગર પાસે સ્કૂટર સ્લીપ થતાં ઇજા પામેલા યુવાનનું મોત

મોરબી-વાંકાનેર હાઇવે ઉપર આવેલ બંધુનગર ગામ પાસેથી યુવાન પોતાનું સ્કૂટર લઈને જતો હતો ત્યારે સ્કૂટરના સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા સ્કૂટર સ્લીપ થઈ ગયું હતું જેથી યુવાનને માથાના ભાગે ઈજા થઈ હતી અને તેનું મોત નીપજ્યું છે.જે બનાવમાં મૃતક યુવાનની પત્નીની ફરિયાદ લઈને પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

અકસ્માત બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેરમાં આવેલ રોયલ પાર્ક સોસાયટી વૃંદાવન એસટી ડેપોની પાછળ રહેતાં જ્યોતિબેન જીતેશભાઈ રાઠોડ (ઉંમર ૪૩) એ મોરબી તાલુકા પોલીસ મથક ખાતે હાલમાં પોતાના મૃતક પતિની સામે ફરીયાદ નોંધાવતા પોલીસે મૃતક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.જેમાં ફરિયાદી જયોતિબેને જણાવ્યું છે કે તેના પતિ જીતેશભાઈ નાનજીભાઈ રાઠોડ (ઉમર ૪૫) સ્કૂટર લઈને તેના પિતાના ઘરે ગત તા.૭-૫ ના રોજ સવારે સાડા દસેક વાગ્યાના અરસામાં મોરબી-વાંકાનેર હાઇવે ઉપર આવેલ બંધુનગર ગામ નજીક ચામુંડા હોટલ પાસેથી પસાર થઇ રહ્યા હતા ત્યારે સ્કૂટર ચાલક જીતેશભાઇએ સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા વાહન સ્લીપ થઈ ગયું હતું. જેથી જીતેશભાઈ નાનજીભાઈ રાઠોડ નિચે પટકાવાથી માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હોવાથી તેમનું મૃત્યુ નીપજયું હતુ. તેઓ પોતાના પિતાના ઘરે વાંકાનેર ગયા હતા અને ત્યાંથી પરત આવતા હતા ત્યારે અકસ્માતનો આ બનાવ બન્યો હતો જેમાં યુવાનું મોત નીપજયું છે હાલમાં મૃતક જીતેશભાઇના પત્નીની ફરિયાદ લઈને તાલુકા પીએસઆઇ આઈ.એમ. અજમેરીએ રાબેતા મુજબની આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બમ્પના લીધે અકસ્માત

સુરેન્દ્રનગરના કારેલા ગામના વતની વિલાસબેન અશોકભાઈ ધાકડીયા નામની ૨૬ વર્ષીય મહિલા મોટર સાયકલમાં પાછળ બેસીને મોરબી-વાંકાનેર હાઇવે ઉપરથી જતા હતા ત્યારે મોરબી તાલુકાના નવા જાંબુડિયા ગામની પાસે રોડ ઉપર બનાવવામાં આવેલા બમ્પમાં તેઓ બાઇકમાંથી નીચે પડી ગયા હતા જેથી કરીને ઈજાગ્રસ્ત થયેલા વિલાસબેન ધાકડીયાને અહીંની હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડાયા હતા.અત્રે નોંધનીય છે કે હાઇવે, સર્વીસ રોડ તેમજ મોરબી સીટી વિસ્તાર અને સોસાયટી વિસ્તારોમાં આડેધડ કરવામાં આવેલા બમ્પ હાલ લોકો માટે ત્રાસદાયક બની ગયા છે તે નરી વાસ્તવીકતા છે.

 




Latest News