મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ મોરબીના જેતપર ગામે આજે ઉપવાસી છાવણી ખાતે રક્તદાન કેમ્પ યોજાશે: ખેડૂતો વીજ કંપની સામે આક્રોશ સાથે રક્તદાન કરવા ઉમટી પડ્યા મોરબીના જેતપર ગામે છેલ્લા છ દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહેલ નેહુલ અમૃતિયાની તબિયત લથડી: ખેડૂતો હજુ પણ તેની માંગ ઉપર મક્કમ માળીયા (મી)માં હત્યાના બનાવમાં મૃત્યુ પામેલ પિતાની યાદ આવતી હોય સગીરાએ ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી નજીક હવા ભરતા સમયે ટ્રકનું ટાયર ફાટતા ઈજા પામેલ યુવાનનું મોત મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીના શનાળા રોડ હાઉસિંગ બોર્ડમાં મારામારી : ચાર સામે ફરિયાદ નોંધાઇ


SHARE











મોરબીના શનાળા રોડ હાઉસિંગ બોર્ડમાં મારામારી : ચાર સામે ફરિયાદ નોંધાઇ

મોરબીના શનાળા રોડ પર આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં ઘર પાસે ચપ્પલ ફેંકવા જેવી નજીવી બાબતે બોલાચાલી થયા બાદ મારામારી થઈ હતી જે અંગે ભોગ બનેલા વૃદ્ધાએ ચાર સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે મોરબીના શનાળા રોડ ન્યુ આદર્શ સોસાયટી ખાતે રહેતા શારદાબેન મુકેશભાઈ પાંચોટિયા જાતે પટેલ નામના ૬૫ વર્ષના વૃદ્ધાએ મોરબીના શનાળા રોડ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા રમેશભાઇ રબારી, તેમના પત્ની મીનાબેન અને પુત્રીઓ નેહાબેન અને સુરજબેન સામે ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, તેઓ પોતાના જૂના મકાન ગુજરાત હાઉસિંગ બોર્ડ ખાતે મકાનની સાફ-સફાઈ કરવા માટે અને સંભાળ લેવા માટે ગયા હતા ત્યારે તેમના મકાનના ફળિયામાં કોઈના ચંપલ પડેલા હોય તે ચંપલ શારદાબેન પાંચોટીયાએ બહાર ફરતાં રમેશભાઈ રબારીએ "મારા ઘરની સામે ચંપલ કેમ ફેંકેલ છે..?" તેમ કહીને ઝઘડો કરી બોલાચાલી કરી હતી અને ગાળો આપી હતી અને બાદમાં શારદાબેનના ઘરમાં પ્રવેશીને રમેશભાઇએ શારદાબેનને ફડાકો ઝીંકી દીધો હતો અને બાદમાં રમેશભાઈના પત્ની અને દીકરીઓએ આવીને ફરિયાદી શારદાબેનના વાળ ખેંચી મૂઢ માર મારી ઇજા પહોંચાડી હતી.હાલ શારદાબેનની ફરિયાદ ઉપરથી એ ડીવીઝન પોલીસ મથકના એ.એમ.ઝાપડિયાએ ચાર સામે ફરિયાદ નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના ખરેડા ગામના ધનજીભાઈ કેશાભાઇ ડઢાણીયા નામના ૫૩ વર્ષીય આધેડ જીકીયારી ગામના ડેમના ક્રોઝવે પાસે ખરેડા-જીકીયારીની વચ્ચેથી જતાં હતા ત્યારે ૂાઇક સ્લીપ થતા ઇજાઓ થવાથી સારવારમાં ખસેડાયા હતા. જ્યારે મોરબીના પંચાસર રોડ ઉપર ભારતપરા સરોવરની પાળ પાસે કોમ્યુનીટી હોલની નજીક રહેતા કાજલબેન દેવાભાઈ સનુરા (૨૧) એ કોઈ અકળ કારણોસર એસીડ પી વેતા તેને સારવાર માટે ખસેડાયા હોય એ ડિવિઝન પોલીસ મથકના એમ.જી.વાળાએ બનાવના કારણ અંગે આગળની તપાસ હાથ ધરી છે.

મહીલા સારવારમાં

મોરબીના કાલીકાનગર વિસ્તારના રહેવાસી વિભૂતિબેન પ્રફુલભાઈ લાવડીયા નામના ૩૪ વર્ષીય મહિલા બાઈકના પાછળના ભાગે બેસીને જતા હતા ત્યારે ગામ પાસેના ઉમિયા ભરડીયા નજીક તેઓ બાઇકમાંથી નિચે પડી જતા ઇજાઓ થવાથી સારવાર માટે મોરબીની હોસ્પિટલે ખસેડાયા હતા જ્યારે મોરબીના શનાળા રોડ શકિત પ્લોટ વિસ્તારમાં રહેતા શંકરભાઇ વેલજીભાઈ કોટક નગરદરવાજા તરફથી પોતાના ઘર તરફ જતા હતા તે સમયે જૂના બસ સ્ટેશન પાસે તેમનું બાઇક સ્લીપ થઇ જવાનો બનાવ બન્યો હતો જેમાં ઈજાઓ પહોંચતા તેમને પણ સારવાર માટે ખસેડાયા હતા.






Latest News