તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વાડીએ પાણીની કુંડીમાં ડૂબી જવાથી દોઢ વર્ષની બાળકીનું મોત હળવદના ધુળકોટ ગામે શક્તિ માતાજીના મંદિરમાંથી સોના-ચાંદીના 80 છતર, ચાંદીનો મુગટ અને સોનાની બે ટીલડીની ચોરી
Breaking news
Morbi Today

વાંકાનેર શહેનશાહ હઝરત શાહ બાવા ઉષૅની શાનો શોકતથી શાનદાર ઉજવણી કરાઇ


SHARE











વાંકાનેર શહેનશાહ હઝરત શાહ બાવા ઉષૅની શાનો શોકતથી શાનદાર ઉજવણી કરાઇ

(શાહરૂખ ચૌહાણ) કહેવાય છે કે વાંકાનેર શહેર શાહબાવા અને નાગાબાવા બન્ને મિત્રોએ વસાવેલું શહેર છે. શાહબાવાના જીવનકાળ દરમ્યાન તેમને ઉપયોગ લીધેલા ગાદી, તકિયા ધોકો... વિગેરે આજે પણ વાંકાનેર રાજ પરિવારે સંપૂર્ણ ઇજ્જત સાથે સાચવીને રાખેલ છે. જેમને શાહબાવાના શ્રદ્ધાળુઓને દિદાર માટે રાજ પરિવાર દર વર્ષે ઉર્ષ કમિટીને આપે છે. લોકો તેમના દિદાર કરે છે. આ ગાદી-તકિયા અને પાઘડી વગેરે જેવી વસ્તુઓ.. જેને શાહબાવાએ જીવનમાં ઉપયોગમાં લીધેલી હતી એ વસ્તુઓ સાથે જોરાવીર પીરની દરગાહથી શાહબાવા દરગાહ સુધી  જુલુસમાં માર્કેટ ખાતે મુસ્લિમ એકતા ગૃપ દ્વારા ઠંડા પાણી અને શરબત છાશ વિતરણ કરવામાં આવ્યું હતું આ ગ્રુપ દ્વારા વાંકાનેર પીઆઇ એન.એ. વસાવા તથા હીરાભાઈ મજેઠીયા અને મમદભાઈ રાઠોડનું સન્માન કરવામાં આવ્યું હતું ત્યારબાદ શાહબાવાને ત્યાં ચાદર ચઢાવવામાં આવે છે. આ વિધિમાં રાજ પરિવારના મહારાણા કેસરીદેવસિંહ અને ગુલમામદભાઈ બ્લોચે ખાસ હાજરી આપી હતી. તેઓએ પણ ચાદર ચઢાવી હતી. આ ઉર્ષમા વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાભરમાંથી શ્રદ્ધાળુ લોકો ઉમટી પડ્યા હતા અને તેઓ માટે ખાસ ન્યઝની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ ન્યાઝની વ્યવસ્થા રામચોક, બાજુમાં આવેલ મંદિર અને બ્રાહ્મણની ભોજનશાળામાં રાખવામાં આવે છે. એ પણ એક હિન્દુ-મુસ્લિમ એકતાનું પ્રતીક રૂપે છે દરવર્ષે રમજાન ઈદના બીજા દિવસે શાહબાવાનો ઉર્ષ હોય છે. જેમા બપોરના ન્યાજ હોય છે અને રાત્રે ઈશાની નમાજ બાદ અંદર ચલાવવામાં આવે છે.






Latest News