મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબીમાં પૂર્વ પતિ કે માવતર ન સાચવતા અભયમની ટીમ આવી પરિણીતાની વાહરે


SHARE













મોરબીમાં પૂર્વ પતિ કે માવતર ન સાચવતા અભયમની ટીમ આવી પરિણીતાની વાહરે

સરકાર દ્વારા ૧૮૧ અભયમ સેવા સતત કાર્યરત કરવામાં આવેલ છે. અને મહિલા હેલ્પલાઇન નંબર થકી મહિલાઓ કોઈ પણ સંજોગોમાં તુરંત મદદ મેળવી શકે છે. ત્યારે મોરબીમાં એક પરિણીતાને પૂર્વ પતિ કે માવતર ન સાચવતા અભયમની ટીમ તેની વહારે આવી હતી

મોરબીની ૧૯ વર્ષીય પરિણીતાએ ૧૮૧ માં મદદ માટે ફોન કરે છે, જેથી અભયમ ટીમના કાઉન્સિલર મનિષા પરમાર, કોન્સ્ટેબલ કોકિલાબેન સોલંકી, પાયલોટ મિતેષભાઈ કુબાવત તુરંત યુવતીની મદદે દોડી ગયા હતા. સ્થળ પર પહોંચી કાઉન્સિલરે બન્ને પક્ષના સભ્યોનું કાઉન્સીલિંગ કરતા જાણવા મળ્યું હતું કે, એક મહિના પહેલા જ યુવતીએ મોરબીના જ એક યુવક સાથે પ્રેમ લગ્ન કર્યા હતા, જોકે પાંચ દિવસમાં જ છૂટાછેડા થઈ ગયા હતા, અને યુવતી આ વાત માનવ તૈયાર ન હતી. તેણી પતિની સાથે જ રહેવા માંગતી હતી પણ પતિ સ્વીકારવા તૈયાર ન હતો, કારણ કે અગાઉથી જ તેના છૂટાછેડા થઈ ગયા હતા. અને યુવતીના માવતરે પણ તેને પ્રેમ લગ્ન કર્યા હોય સાચવવાની ન કહી હતી ત્યાર બાદ પૂર્વ પતિએ કહ્યું હતું કે, છૂટાછેડા થઈ ગયા છે પણ જો યુવતીના પરિવારજનો રાજીખુશીથી લગ્ન કરી આપે તો તે યુવતીને સ્વીકારશે. આવી સ્થિતિમાં યુવતી ખૂબ જ મુશ્કેલી અનુભુવી રહી હતી. જોકે અભયમના અનુભવી કાઉન્સિલરે યુવતીના માતા-પિતાને ખૂબ જ સંયમ પૂર્વક સમજાવ્યા હતા. જેથી પિયરના સભ્યો દીકરીને સ્વીકારવા તૈયાર થઈ ગયા હતા.

રામામંડળનું ભવ્ય આયોજન

મોરબી તાલુકાના ઘુંટુ ગામે વશરામભાઈ ત્રિભોવનભાઈ સનારીયા દ્વારા અન્નક્ષેત્રના લાભાર્થે તા. ૧/૫ ને રવિવારના રોજ ગીતાનગર સોસાયટી ઘુંટુ ગામે રામામંડળનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સૌરાષ્ટ્રનું સુપ્રસિદ્ધ નવારામદેવળા ઢોલરાધામનું રામામંડળ રમઝટ બોલાવશે. ત્યારે કોમેડી કિંગ ભાવેશ ભગેડી પણ લોકોને મનોરંજન કરાવશે જેથી ધર્મપ્રેમી જનતાને કાર્યક્ર્મનો લાભ લેવા માટે આયોજકોએ આમંત્રણ આપ્યું છે 






Latest News