સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આવતા : મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે મહત્વની બેઠક યોજાઈ મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર ચાલતા રોડના કામની સાથે વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર લાઇન નાખવા માંગ મોહનભાઈ કુંડારીયાની BBSSL ના ડિરેક્ટર પદે નિમણૂક મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મહિલા લીડરશીપ કોન્કલેવ યોજાયો મોરબીમાં વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલા લોકોની રજૂઆત સાંભળવા માટે પોલીસ દ્વારા જનસંપર્ક સભાનુ આયોજન વાંકાનેર વિધાનસભા બેઠકના વિસ્તારમાં 11 કરોડના ખર્ચે બનનારા નવા રોડનું ધારાસભ્યએ કર્યું ખાતમુહૂર્ત મોરબી મહાપાલિકાની ચૂંટણી લડવા માટે કોંગ્રેસમાં ૮૨ આગેવાનો સેન્સ પ્રક્રિયામાં જોડાયા મોરબીમાં બંધ પડેલા સિરામિક કારખાનાના શેડ બન્યા ક્રિકેટ મેચના મેદાન: વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ
Breaking news
Morbi Today

મોરબીમાં પૂર્વ પતિ કે માવતર ન સાચવતા અભયમની ટીમ આવી પરિણીતાની વાહરે


SHARE











મોરબીમાં પૂર્વ પતિ કે માવતર ન સાચવતા અભયમની ટીમ આવી પરિણીતાની વાહરે

સરકાર દ્વારા ૧૮૧ અભયમ સેવા સતત કાર્યરત કરવામાં આવેલ છે. અને મહિલા હેલ્પલાઇન નંબર થકી મહિલાઓ કોઈ પણ સંજોગોમાં તુરંત મદદ મેળવી શકે છે. ત્યારે મોરબીમાં એક પરિણીતાને પૂર્વ પતિ કે માવતર ન સાચવતા અભયમની ટીમ તેની વહારે આવી હતી

મોરબીની ૧૯ વર્ષીય પરિણીતાએ ૧૮૧ માં મદદ માટે ફોન કરે છે, જેથી અભયમ ટીમના કાઉન્સિલર મનિષા પરમાર, કોન્સ્ટેબલ કોકિલાબેન સોલંકી, પાયલોટ મિતેષભાઈ કુબાવત તુરંત યુવતીની મદદે દોડી ગયા હતા. સ્થળ પર પહોંચી કાઉન્સિલરે બન્ને પક્ષના સભ્યોનું કાઉન્સીલિંગ કરતા જાણવા મળ્યું હતું કે, એક મહિના પહેલા જ યુવતીએ મોરબીના જ એક યુવક સાથે પ્રેમ લગ્ન કર્યા હતા, જોકે પાંચ દિવસમાં જ છૂટાછેડા થઈ ગયા હતા, અને યુવતી આ વાત માનવ તૈયાર ન હતી. તેણી પતિની સાથે જ રહેવા માંગતી હતી પણ પતિ સ્વીકારવા તૈયાર ન હતો, કારણ કે અગાઉથી જ તેના છૂટાછેડા થઈ ગયા હતા. અને યુવતીના માવતરે પણ તેને પ્રેમ લગ્ન કર્યા હોય સાચવવાની ન કહી હતી ત્યાર બાદ પૂર્વ પતિએ કહ્યું હતું કે, છૂટાછેડા થઈ ગયા છે પણ જો યુવતીના પરિવારજનો રાજીખુશીથી લગ્ન કરી આપે તો તે યુવતીને સ્વીકારશે. આવી સ્થિતિમાં યુવતી ખૂબ જ મુશ્કેલી અનુભુવી રહી હતી. જોકે અભયમના અનુભવી કાઉન્સિલરે યુવતીના માતા-પિતાને ખૂબ જ સંયમ પૂર્વક સમજાવ્યા હતા. જેથી પિયરના સભ્યો દીકરીને સ્વીકારવા તૈયાર થઈ ગયા હતા.

રામામંડળનું ભવ્ય આયોજન

મોરબી તાલુકાના ઘુંટુ ગામે વશરામભાઈ ત્રિભોવનભાઈ સનારીયા દ્વારા અન્નક્ષેત્રના લાભાર્થે તા. ૧/૫ ને રવિવારના રોજ ગીતાનગર સોસાયટી ઘુંટુ ગામે રામામંડળનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સૌરાષ્ટ્રનું સુપ્રસિદ્ધ નવારામદેવળા ઢોલરાધામનું રામામંડળ રમઝટ બોલાવશે. ત્યારે કોમેડી કિંગ ભાવેશ ભગેડી પણ લોકોને મનોરંજન કરાવશે જેથી ધર્મપ્રેમી જનતાને કાર્યક્ર્મનો લાભ લેવા માટે આયોજકોએ આમંત્રણ આપ્યું છે 






Latest News