મોરબી જીલ્લામાં પેટ્રોલ-ડીઝલના જથ્થા બાબતે સોશિયલ મીડિયામાં ફેલાતી અફવાઓથી દૂર રહેવા કલેકટરની લોકોને અપીલ માળીયા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠક ઉપર કોંગ્રેસમાંથી ચૂંટણી લડવા માટે 52 આગેવાનોએ સેન્સ આપી મોરબી શહેર-જીલ્લામાં વાહન ચાલકોએ પેટ્રોલ-ડીઝલ માટે લાઈનો લગાવી, પેટ્રોલ-ડીઝલની કોઈ અછત નથી-વિનોદભાઇ ડાભી ગુજરાત બાર કાઉન્સીલમાં સતત ચોથી વાર ચૂંટાયેલા દિલીપભાઇ પટેલનું મોરબીમાં વાજતે ગાજતે સ્વાગત કરાયું મોરબી સહિત ગુજરાતમાં વાવાઝોડું-કમોસમી વરસાદથી થયેલ નુકશાન સામે વળતર આપવા આપના આગેવાનની મુખ્યમંત્રીને રજૂઆત મોરબીમાં મહાપાલિકા દ્વારા નવા બનનારા ઓડિટોરીયમને મહારાજા મહેન્દ્રસિંહજી ઓડિટોરીયમ નામ આપવાની માંગ મોરબીમાં નોકરી અપાવવાના બહાને લઈ ગયા બાદ પરણીતા સાથે દુષ્કર્મ, આરોપીની ધરપકડ-જેલ હવાલે મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીમાં પતિને પ્રેમસબંધની જાણ થઈ જતાં પરિણીતાએ ગળાફાંસો ખાઇને કર્યો આપઘાત


SHARE











મોરબીમાં પતિને પ્રેમસબંધની જાણ થઈ જતાં પરિણીતાએ ગળાફાંસો ખાઇને કર્યો આપઘાત

મોરબીના ભડીયાદ રોડ ઉપર આવેલ ટાઇલ્સના કારખાનાની અંદર રહેતી અને મજૂરી કામ કરતી પરણિતાના પ્રેમસંબંધની તેના પતિને જાણ થઇ ગઇ હતી જેથી પરિણીતાએ વતનમાં જવાનું કહ્યું હતું અને ત્યાર બાદ પોતે પોતાની જાતે ગળાફાંસો ખાઇને કારખાનાની ઓરડીમાં આપઘાત કરી લીધેલ હતો જેથી કરીને તેના મૃતદેહને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આપઘાતના આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરેલ છે

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી નજીકના ભડીયાદ રોડ ઉપર આવેલ મિલેનિયમ ટાઇલ્સ નામના કારખાનામાં મજૂરી કામ કરતી અને ત્યાં રહેતી લક્ષ્મીબેન દોબાભાઇ બારડે જાતે આદિવાસી (ઉંમર ૨૦) એ પોતાની ઓરડીમાં પંખા વડે નાયલોનની દોરી બાંધી દીધો હતો જેથી કરીને તેના મૃતદેહને તેના પતિ દોબાભાઇ બારડે જાતે આદિવાસી (ઉમર ૨૦) મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લઇને આવ્યા હતા અને ત્યારબાદ આપઘાતના બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને વધુમાં આ બનાવની તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઇ વી.બી.પીઠીયા ચલાવી રહ્યા છે અને પોલીસ સુત્રો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે આપઘાત કરી લેનાર મહિલાના પ્રેમસંબંધની જાણ તેના પતિને થઈ ગઈ હતી અને પરણિતાએ વતનમાં જવા માટેની વાત કરી હતી ત્યારબાદ પોતે પોતાની જાતે ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો છે અને મહિલાએ કરેલા આપઘાતથી બે દીકરીઓએ માતાની છત્રછાયા ગુમાવી છે




Latest News