મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં પતિને પ્રેમસબંધની જાણ થઈ જતાં પરિણીતાએ ગળાફાંસો ખાઇને કર્યો આપઘાત


SHARE











મોરબીમાં પતિને પ્રેમસબંધની જાણ થઈ જતાં પરિણીતાએ ગળાફાંસો ખાઇને કર્યો આપઘાત

મોરબીના ભડીયાદ રોડ ઉપર આવેલ ટાઇલ્સના કારખાનાની અંદર રહેતી અને મજૂરી કામ કરતી પરણિતાના પ્રેમસંબંધની તેના પતિને જાણ થઇ ગઇ હતી જેથી પરિણીતાએ વતનમાં જવાનું કહ્યું હતું અને ત્યાર બાદ પોતે પોતાની જાતે ગળાફાંસો ખાઇને કારખાનાની ઓરડીમાં આપઘાત કરી લીધેલ હતો જેથી કરીને તેના મૃતદેહને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આપઘાતના આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરેલ છે

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી નજીકના ભડીયાદ રોડ ઉપર આવેલ મિલેનિયમ ટાઇલ્સ નામના કારખાનામાં મજૂરી કામ કરતી અને ત્યાં રહેતી લક્ષ્મીબેન દોબાભાઇ બારડે જાતે આદિવાસી (ઉંમર ૨૦) એ પોતાની ઓરડીમાં પંખા વડે નાયલોનની દોરી બાંધી દીધો હતો જેથી કરીને તેના મૃતદેહને તેના પતિ દોબાભાઇ બારડે જાતે આદિવાસી (ઉમર ૨૦) મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લઇને આવ્યા હતા અને ત્યારબાદ આપઘાતના બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને વધુમાં આ બનાવની તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઇ વી.બી.પીઠીયા ચલાવી રહ્યા છે અને પોલીસ સુત્રો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે આપઘાત કરી લેનાર મહિલાના પ્રેમસંબંધની જાણ તેના પતિને થઈ ગઈ હતી અને પરણિતાએ વતનમાં જવા માટેની વાત કરી હતી ત્યારબાદ પોતે પોતાની જાતે ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો છે અને મહિલાએ કરેલા આપઘાતથી બે દીકરીઓએ માતાની છત્રછાયા ગુમાવી છે






Latest News