મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

વાંકાનેરના પંચાસિયા ગામે રહેતી પરિણીતા ઘરેથી નીકળ્યા બાદ ગુમ


SHARE













વાંકાનેરના પંચાસિયા ગામે રહેતી પરિણીતા ઘરેથી નીકળ્યા બાદ ગુમ

વાંકાનેરના પંચાસિયા ગામે રહેતી પરિણીતા પોતાના ઘરેથી વાંકાનેર પાલિકા કચેરીએ જવા માટે નીકળ્યા બાદ ઘરે પરત આવેલ નથી જેથી હાલમાં તેના પિતાએ દીકરી ગુમ થઈ હોવા અંગેની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુમશૂધા નોંધી કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે

જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેર તાલુકાના પંચાસિયા ગામે રહેતા દેવરાજભાઈ બધાભાઈ કુંઢીયા જાતે દેવીપુજક (ઉંમર ૫૦) એ હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે તેની દીકરી સંગીતા ઉર્ફે રાધા નિતેશભાઇ દેલવાણીયા જાતે દેવીપુજક (ઉંમર ૨૮) ગુમ થઈ હોવા અંગેની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે ગત તા.૬/૪/૨૦૨૨ ના રોજ સવારે દસેક વાગ્યાના અરસામાં તેની દીકરી તેઓના ઘરેથી પોતાની દીકરી પૂજાના જન્મના દાખલામા સુધારો કરાવવા માટે વાંકાનેર નગરપાલિકા કચેરીએ જવા માટે નીકળી હતી ત્યારબાદ તે ઘરે પરત આવેલ નથી જેથી કરીને સંગીતાબેન ગુમ થયા હોવા અંગેની તેના પિતા દેવરાજભાઈની ફરિયાદ લઈને પોલીસે પરિણીતાની શોધવા માટે તેને કવાયત શરૂ કરેલ છે

યુવતી ગુમ

મોરબી શહેરના નવલખી રોડ ઉપર આવેલ કુબેરનગરમાં ત્રિલોકધામ મંદિરની સામેના ભાગમાં રહેતા ભીખાભાઇ અવચરભાઇ થરેસા જાતે કોળી (ઉ.૫૨)ની દીકરી સેજલબેન (ઉંમર ૧૯) તા. ૨૧/૪ ના રોજ સાંજના સાતેક વાગ્યાના અરસામાં પોતાના ઘરેથી કોઈને કશું કહ્યા વગર નીકળ્યા બાદ ગુમ થઈ ગયેલ છે જેથી કરીને હાલમાં ભીખાભાઈ થરેશાએ દીકરી ગુમ થઈ હોવાની ફરિયાદ આપતા પોલીસે ગુમ શુધા નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે 






Latest News