મોરબી જીલ્લામાં પેટ્રોલ-ડીઝલના જથ્થા બાબતે સોશિયલ મીડિયામાં ફેલાતી અફવાઓથી દૂર રહેવા કલેકટરની લોકોને અપીલ માળીયા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠક ઉપર કોંગ્રેસમાંથી ચૂંટણી લડવા માટે 52 આગેવાનોએ સેન્સ આપી મોરબી શહેર-જીલ્લામાં વાહન ચાલકોએ પેટ્રોલ-ડીઝલ માટે લાઈનો લગાવી, પેટ્રોલ-ડીઝલની કોઈ અછત નથી-વિનોદભાઇ ડાભી ગુજરાત બાર કાઉન્સીલમાં સતત ચોથી વાર ચૂંટાયેલા દિલીપભાઇ પટેલનું મોરબીમાં વાજતે ગાજતે સ્વાગત કરાયું મોરબી સહિત ગુજરાતમાં વાવાઝોડું-કમોસમી વરસાદથી થયેલ નુકશાન સામે વળતર આપવા આપના આગેવાનની મુખ્યમંત્રીને રજૂઆત મોરબીમાં મહાપાલિકા દ્વારા નવા બનનારા ઓડિટોરીયમને મહારાજા મહેન્દ્રસિંહજી ઓડિટોરીયમ નામ આપવાની માંગ મોરબીમાં નોકરી અપાવવાના બહાને લઈ ગયા બાદ પરણીતા સાથે દુષ્કર્મ, આરોપીની ધરપકડ-જેલ હવાલે મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

વાંકાનેરના પંચાસિયા ગામે રહેતી પરિણીતા ઘરેથી નીકળ્યા બાદ ગુમ


SHARE











વાંકાનેરના પંચાસિયા ગામે રહેતી પરિણીતા ઘરેથી નીકળ્યા બાદ ગુમ

વાંકાનેરના પંચાસિયા ગામે રહેતી પરિણીતા પોતાના ઘરેથી વાંકાનેર પાલિકા કચેરીએ જવા માટે નીકળ્યા બાદ ઘરે પરત આવેલ નથી જેથી હાલમાં તેના પિતાએ દીકરી ગુમ થઈ હોવા અંગેની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુમશૂધા નોંધી કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે

જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેર તાલુકાના પંચાસિયા ગામે રહેતા દેવરાજભાઈ બધાભાઈ કુંઢીયા જાતે દેવીપુજક (ઉંમર ૫૦) એ હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે તેની દીકરી સંગીતા ઉર્ફે રાધા નિતેશભાઇ દેલવાણીયા જાતે દેવીપુજક (ઉંમર ૨૮) ગુમ થઈ હોવા અંગેની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે ગત તા.૬/૪/૨૦૨૨ ના રોજ સવારે દસેક વાગ્યાના અરસામાં તેની દીકરી તેઓના ઘરેથી પોતાની દીકરી પૂજાના જન્મના દાખલામા સુધારો કરાવવા માટે વાંકાનેર નગરપાલિકા કચેરીએ જવા માટે નીકળી હતી ત્યારબાદ તે ઘરે પરત આવેલ નથી જેથી કરીને સંગીતાબેન ગુમ થયા હોવા અંગેની તેના પિતા દેવરાજભાઈની ફરિયાદ લઈને પોલીસે પરિણીતાની શોધવા માટે તેને કવાયત શરૂ કરેલ છે

યુવતી ગુમ

મોરબી શહેરના નવલખી રોડ ઉપર આવેલ કુબેરનગરમાં ત્રિલોકધામ મંદિરની સામેના ભાગમાં રહેતા ભીખાભાઇ અવચરભાઇ થરેસા જાતે કોળી (ઉ.૫૨)ની દીકરી સેજલબેન (ઉંમર ૧૯) તા. ૨૧/૪ ના રોજ સાંજના સાતેક વાગ્યાના અરસામાં પોતાના ઘરેથી કોઈને કશું કહ્યા વગર નીકળ્યા બાદ ગુમ થઈ ગયેલ છે જેથી કરીને હાલમાં ભીખાભાઈ થરેશાએ દીકરી ગુમ થઈ હોવાની ફરિયાદ આપતા પોલીસે ગુમ શુધા નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે 




Latest News