મોરબીના મહેન્દ્રનગર આઈટીઆઈ નજીક દવા પી જતા પરણીતા સારવારમાં મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા ભવ્ય તીજ ઉત્સવનું આયોજન, ઉત્સવમાં જોડાવા આમંત્રણ કચ્છ અને મોરબીથી અન્ય રાજ્યોને જોડતી નવી ટ્રેન સેવાઓ, સવલતો માટેની કેન્દ્રીય રેલ મંત્રીને રજૂઆત કરતા સાંસદ વિનોદ ચાવડા મોરબીની ઓમશાંતિ વિદ્યાલયમાં વિદ્યાર્થીઓએ માટે જાદુગર રાજકુમારનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં સિરામિક ટ્રેડિંગનું કામ કરતાં વેપારી યુવાન સાથે આર્મીના નામે 12.42 લાખની ઠગાઇ મોરબીમાં સામુ શુ કામ જુએ છે તેવું કહીને યુવાનને માથામાં ઈંટના 3 ઘા માર્યા: 3 સામે ફરિયાદ મુંબઈમાં રહેતા વૃદ્ધાની વાંકાનેરના ઠીકરીયાળા ગામે આવેલ જમીન ઉપર ગેરકાયદે દુકાનો બનાવી લેનાર સામે લેન્ડ ગ્રેબિંગ મોરબીના નારણકા ગામે પતિ અન્ય છોકરી સાથે ફોનમાં વાત કરતો હોવાની શંકા રાખીને મહિલાએ ફોન તોડી નાખ્યો અને બાદમાં કર્યો આપઘાત
Breaking news
Morbi Today

વાકાંનેર તાલુકા કક્ષાના આરોગ્ય મેળાનો ૧૮૪૮ લાભાર્થીઓએ લાભ લીધો


SHARE







વાકાંનેર તાલુકા કક્ષાના આરોગ્ય મેળાનો ૧૮૪૮ લાભાર્થીઓએ લાભ લીધો

ભારત સરકાર અને ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા યોજાઇ રહેલા આરોગ્ય મેળામાં યુનિક હેલ્થ કાર્ડ, આયુષ્માન ભારત કાર્ડ, વિવિધ વિભાગોના તજજ્ઞો દ્વારા નિદાન, લેબોરેટરી સેવા, પાયાની આરોગ્ય સેવાઓ, મફત દવાઓ, નિરામય ગુજરાત અંતર્ગત ડાયાબિટીસ, બી.પી., કેન્સર, માનસીક રોગોનું નિદાન ઉપરાંત ચેપી અને બિનચેપી રોગોના અટકાયતી ઉપાયો અંગેની માહિતી આ આરોગ્ય મેળામાં ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. વાકાંનેર તાલુકા કક્ષાના આરોગ્ય મેળામાં કુલ ૧૮૪૮ લાભાર્થીઓએ લાભ લીધો હતો. અને લાભાર્થીઓએ જનરલ ચેક-અપ, ફેમિલી પ્લાનીંગ, ગાયનેક, એઇડ્સ કાઉન્સેલીંગ, અસ્થમા, મેડીસીન, હોમિયોપેથી, મેલેરિયા સહિતના વિભાગોની સેવાઓનો લાભ લીધો હતો. તેમજ તમાકુ, આલ્કોહોલ વ્યસનમુક્તિ માર્ગદર્શન અને કેન્સર અટકાયતી જાગૃતિ વિશે લાભાર્થીઓને જાણકારી આપવામાં આવી હતી.આ પ્રસંગે વાકાંનેર પ્રાંત અધિકારી શેરસીયા, જિલ્લા આરોગ્ય અધિકારી જે.એમ. કતીરા, તાલુકા આરોગ્ય અધિકારી કારોલીયા સહિત આરોગ્ય તેમજ અન્ય સંબંધિત વિભાગના અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા






Latest News