મોરબી જીલ્લામાં પેટ્રોલ-ડીઝલના જથ્થા બાબતે સોશિયલ મીડિયામાં ફેલાતી અફવાઓથી દૂર રહેવા કલેકટરની લોકોને અપીલ માળીયા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠક ઉપર કોંગ્રેસમાંથી ચૂંટણી લડવા માટે 52 આગેવાનોએ સેન્સ આપી મોરબી શહેર-જીલ્લામાં વાહન ચાલકોએ પેટ્રોલ-ડીઝલ માટે લાઈનો લગાવી, પેટ્રોલ-ડીઝલની કોઈ અછત નથી-વિનોદભાઇ ડાભી ગુજરાત બાર કાઉન્સીલમાં સતત ચોથી વાર ચૂંટાયેલા દિલીપભાઇ પટેલનું મોરબીમાં વાજતે ગાજતે સ્વાગત કરાયું મોરબી સહિત ગુજરાતમાં વાવાઝોડું-કમોસમી વરસાદથી થયેલ નુકશાન સામે વળતર આપવા આપના આગેવાનની મુખ્યમંત્રીને રજૂઆત મોરબીમાં મહાપાલિકા દ્વારા નવા બનનારા ઓડિટોરીયમને મહારાજા મહેન્દ્રસિંહજી ઓડિટોરીયમ નામ આપવાની માંગ મોરબીમાં નોકરી અપાવવાના બહાને લઈ ગયા બાદ પરણીતા સાથે દુષ્કર્મ, આરોપીની ધરપકડ-જેલ હવાલે મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

વાંકાનેરના રાતાવીરડામાં ૧૧ નિરાધાર દિકરીઓનો રજવાડી લગ્નોત્સવ યોજાયો


SHARE











વાંકાનેરના રાતાવીરડામાં ૧૧ નિરાધાર દિકરીઓનો રજવાડી લગ્નોત્સવ યોજાયો

વાંકાનેર તાલુકાના રાતાવીરડા ગામના ગામના સરપંચ બાબુભાઈ ભરવાડ અને સાંઈબાબા મિત્ર મંડળ ટ્રસ્ટ દ્વારા તા.૧૯ ને મંગળવારના રોજ વાંકાનેરના રાતાવીરડા ગામે રામદેવપીર મંદિર ખાતે સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો અને જરૂરીયાતમંદ પરિવારની ૧૧ નિરાધાર દીકરીઓનો સમૂહ લગ્નોત્સવ રજવાડી ઠાઠ સાથે યોજાયો હતો આ સમૂહ લગ્નોત્સવમાં સોમવારની રાત્રે રાસ-ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં જુનિયર રમેશ મહેતા (મયુર બાપા), જુનિયર નરેશ કનોડિયા (કિશોરભાઇ ડાભી) સહિતના કલાકારોએ જમાવટ કરી હતીઅને બીજા દિવસે ૧૧ નિરાધાર દીકરીઓના ધામધુમથી લગ્ન કરાવવામાં આવ્યા હતા અને ત્યારે હેલીકોપ્ટર વડે પુષ્પવર્ષા કરવામાં આવી હતી તેમજ હાથી, ઘોડાગાડી સાથે ખેલૈયાઓ રમઝટ બોલાવશે હતી ત્યાર બાદ સંતો-મહંતો સહિતનાઓના આશીર્વાદ સાથે દીકરીઓએ પ્રભુતામાં ડગ માંડ્યા હતા




Latest News