વાંકાનેરમાં શનિવારે ગાયત્રી શકિતપીઠનો 34મો પાટોત્સવ ઉજવાશે મોરબીમાં ડ્રેનેજ-સ્ટ્રોમ વોટરના કામ માટે જુદાજુદા ત્રણ રોડને પોણો મહિના સુધી બંધ કરાયા મોરબી જિલ્લા કમલમ ખાતે પ્રભારી મંત્રીની હાજરીમાં ચૂંટણી લક્ષી બેઠક યોજાઈ મોરબીમાં શનિવારે ખાખરેચી દરવાજે આવેલ શ્રી લીલા લીમડાવાળી મેલડીનો નવરંગ માંડવો યોજાશે જય શ્રી રામના નારા સાથે મોરબીમાં રામ નવમીના દિવસે સમગ્ર હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો ભવ્ય શોભાયાત્રા યોજાઇ મોરબીના જલારામ ધામ ખાતે ભગવાન રામનું પૂજન, મહાઆરતી અને મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાયો મોરબી મહાપાલિકાની 12 બેઠકો ઉપર કોંગ્રેસના સત્તાવાર ઉમેદવારોના નામ જાહેર કરાયા, જો સત્તા ઉપર કોંગ્રેસ આવશે તો કૌભાંડીયાઓ થશે જેલ ભેગા: પુષ્પરાજસિંહ જાડેજા મોરબી જિલ્લામાં LCB, SOG તેમજ જુદાજુદા પોલીસ સ્ટેશનમાંથી કુલ 12 પીએની બદલી, નવા 6 મુકાયા
Breaking news
Morbi Today

ટંકારાની ઓઇલ મિલમાં આધેડે કરેલા આપઘાતના બનાવમાં ૧૦ વ્યાજખોરો સામે ગુનો નોંધાયો


SHARE











ટંકારાની ઓઇલ મિલમાં આધેડે કરેલા આપઘાતના બનાવમાં ૧૦ વ્યાજખોરો સામે ગુનો નોંધાયો

ટંકારામાં આવેલ ઓઇલ મિલની ઓફિસની અંદર આધેડે થોડા દિવસો પહેલા આપઘાત કર્યો હતો જે બનાવમાં મૃતકના દીકરાએ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ૧૦ વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાવી છે અને વ્યાજખોરોને તેના પૈસા અને વ્યાજની રકમ આપી દીધી હોવા છતાં પણ વ્યાજખોરો દ્વારા રૂબરૂ મળીને અવાર નવાર પૈસા અને વ્યાજની પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી અને મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી ફરિયાદીના પિતાએ ગળાફાંસો ખાઇને આપઘાત કરેલ છે માટે હાલમાં પોલીસે ૧૦ શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે. 

જાણવા મળતી વિગત પ્રમાણે ટંકારા તાલુકાના ટંકારામાં લક્ષ્મી સોસાયટી શેરી નં-૧૬ માં રહેતા કિશનભાઇ જગદીશભાઈ જીવાણી (ઉંમર ૨૪) એ હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અશ્વિનભાઈ બાબુભાઈ મસોત રહે. લજાઈ, દિલુભા કણુભા ઝાલા ગુરુકૃપા ફાયનાન્સ મોરબી, બાબાલાલ બોરીચા રહે. મીતાણા, વિક્રમ જેઠાભાઇ બોરીચા રહે. મિતાણા, માંડાભાઇ ભરવાડ રાજશક્તિ પાન ટંકારા, દિપકભાઈ રાણાભાઈ ભરવાડ રહે. ટંકારા, સંજયભાઈ રાણાભાઈ ભરવાડ રહે. ટંકારા, નવઘણ રાણાભાઈ ભરવાડ રહે. ટંકારા,  મુન્નાભાઈ તલાશવાળા રહે. રામપર અને ભલાભાઇ ધારાભાઇ ભરવાડ રહે. લક્ષ્મીનારાયણ સોસાયટી ટંકારા વાળાની સામે પોતાના પિતાને મળવા માટે મજબૂર કર્યા હોવા અંગેની ફરિયાદ નોંધાવી છે. 

જેમાં ફરિયાદીએ લખવ્યું છે કે, તેના પિતાએ આરોપીઓ પાસેથી વ્યાજે પૈસા લીધા હતા અને પૈસા તેમજ મુદ્દલ આપી દીધેલ હોવા છતાં પણ અવારનવાર વ્યાજખોરો દ્વારા તેને રૂબરૂ મળીને પૈસા તેમજ વ્યાજની પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી અને મારી નાખવાની ધમકી આપવામાં આવતી હતી જેથી કરીને તેના પિતાએ ગત તા.૧૮/૪/ ના રોજ પ્રભુ ચરણ આશ્રમ પાસે આવેલ તેના મિત્રની રાજેશ્વરી ઓઇલ મીલની ઓફિસમાં દોરડા વડે ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો હાલમાં મૃતકના દીકરાએ નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે ૧૦ વ્યાજખોરોની સામે આઇપીસી કલમ ૩૦૬, ૫૦૬(૨) તેમજ ગુજરાત નાણાં ધીરધાર અધિનિયમ ૨૦૧૧ ની કલમ ૫, ૩૩(૩), ૪૦ અને ૪૨ મુજબ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરે છે.






Latest News