મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ મોરબીના જેતપર ગામે આજે ઉપવાસી છાવણી ખાતે રક્તદાન કેમ્પ યોજાશે: ખેડૂતો વીજ કંપની સામે આક્રોશ સાથે રક્તદાન કરવા ઉમટી પડ્યા મોરબીના જેતપર ગામે છેલ્લા છ દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહેલ નેહુલ અમૃતિયાની તબિયત લથડી: ખેડૂતો હજુ પણ તેની માંગ ઉપર મક્કમ
Breaking news
Morbi Today

મોરબીના ભક્તિનગર સર્કલ પાસે ઓવરબ્રિજના સર્વિસ રોડ અને બ્રિજ નીચેનો રોડ યોગ્ય કરવાની કોંગ્રેસની માંગ


SHARE











મોરબીના ભક્તિનગર સર્કલ પાસે ઓવરબ્રિજના સર્વિસ રોડ અને બ્રિજ નીચેનો રોડ યોગ્ય કરવાની કોંગ્રેસની માંગ

મોરબીના ભક્તિનગર સર્કલ પાસે ઓવરબ્રિજ બનાવવાની કામગીરી પૂર્ણ થઇ ગયેલ છે અને ઓવરબ્રિજની બંન્ને સાઇડમાં સર્વિસ રોડ તેમજ બ્રિજ નીચેથી પસાર થતો રસ્તો ખરાબ છે જેના લીધે અવારનવાર નાના-મોટા અકસ્માતો થાય છે માટે મોરબી માર્ગ-મકાન વિભાગના કાર્યપાલક ઇજનેરને મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી દ્વારા લેખિતમાં રજૂઆત કરીને તાત્કાલિક સર્વિસ રોડ સહિતના કામોને પૂરા કરવાની માંગ કરવામાં આવી છે

મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી ચેતનભાઇ એરવાડીયા દ્વારા મોરબી જિલ્લા માર્ગ મકાન વિભાગના કાર્યપાલક ઇજનેરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે જેમાં તેમણે જણાવ્યું છે કે મોરબીના શનાળા રોડ ઉપર ભક્તિનગર સર્કલ પાસે ઓવરબ્રિજ બનાવવાની કામગીરી છેલ્લા ઘણા સમયથી ચાલુ કરીને હાલમાં ઓવરબ્રિજ બનાવવાનું કામ પૂર્ણ થઇ ગયેલ છે ત્યારે ઓવરબ્રિજની બન્ને બાજુએ સર્વિસ રોડ પહોળા બનાવવાની કામગીરી તેમજ બિસ્માર રસ્તાના રીપેર કામ તાત્કાલિક અસરથી હાથ ધરવામાં આવે અને ઓવરબ્રિજની નીચેના ભાગમાંથી પસાર થવાનો રસ્તો પણ અતિ ખરાબ હોવાના કારણે નાના મોટા અકસ્માતો થાય છે માટે કોઈ નિર્દોષ વ્યક્તિનો જીવ જાય તે પહેલા યોગ્ય રસ્તો કરવામાં આવે તેવી માંગ કરેલ છે જો કે, કામ કયારે કરવામાં આવશે તે તો આગામી સમય જ બતાવશ






Latest News