મોરબીમાં મિત્રના લગ્નમાં ગયેલ યુવાનને કાતરૂ કેમ મારતો હતો તેવું કહીને વાસા-બેઠકના ભાગે છરીના ઘા ઝીંકી દીધા વાંકાનેર તાલુકામાં તળાવ ઊંડા કરવા અને પાળ મજબૂત કરવા કામનું જિજ્ઞાશબેન મેરે ખાતમહૂર્ત કર્યું મોરબી મનપાની ફાયર શાખામાં ૨૧ ઓપરેટરોની કોન્ટ્રાક્ટ બેઇઝ ભરતી કરાઇ મોરબી મનપા દ્વારા ડોગ સેલ્ટર બનાવવાની કામગીરી ચાલુ, વેક્સિનેશન પણ શરૂ કરાશે મોરબીના સરદાર રોડ, શનાળા રોડ સહિતના વિસ્તારોમાંથી ગેરકાયદે દબાણો દુર કરાયા મોરબી મહાનગરપાલિકા આશ્રયગૃહ ખાતે આશ્રીતો માટે ઈ-નિર્માણ યોજના કેમ્પ યોજાયો મોરબીના પંચાસર રોડે 300 મકાનનું ડિમોલેશન કરતાં પહેલા સ્થાનિકોને વૈકલ્પિક વ્યવસ્થા આપવાની માંગ: કમિશનરને આવેદન પાઠવ્યું હળવદ તાલુકામાં સગીરા સાથે દુષ્કર્મના કેસમાં આરોપીને 20 વર્ષની સખ્ત કેદની સજા, 25000 નો દંડ
Breaking news
Morbi Today

“સાવધાન”: મોરબીના સિરામિક ઉદ્યોગકાર સાથે છેતરપિંડી કરનારા બે શખ્સ પાસા હેઠળ જેલ હવાલે


SHARE













“સાવધાન”: મોરબીના સિરામિક ઉદ્યોગકાર સાથે છેતરપિંડી કરનારા બે શખ્સ પાસા હેઠળ જેલ હવાલે

મોરબીના જેતપર રોડે બે સિરામિક ઉદ્યોગકાર સાથે છેતરપિંડી કરીને માલ માંગવી લીધા બાદ રૂપિયા નહીં આપીને છેતરપિંડી કરવામાં આવી હતી જે ગુનામાં પકડાયેલા શખ્સો સામે પાસની દરખાસ્ત મૂકવામાં આવી હતી જેને મંજૂર કરવામાં આવતા બંને આરોપીને રાજકોટ અને આમદવાદની જેલમાં પાસા હેઠળ ધકેલવામાં આવેલ છે

મોરબીના રવાપર રોડ ઉપર આવેલ આલાપ રોડમાં પાસે સત્તાધાર-૨ સોસાયટીમાં શિલ્પ પેલેસમાં રહેતા પારસભાઇ જયસુખભાઇ ગોધાણી જાતે પટેલ (ઉ.૨૪)નું બેલા ગામની સીમમાં લીઝા ટાઇલ્સ નામનું સિરામિકનું કારખાનું આવેલ છે ત્યારે ટાઇલ્સના બોક્ષ લીધા બાદ ૬.૫૯ લાખ ન આપીને છેતરપિંડી કરવામાં આવી હતી તેવી જ રીતે કાલિદાસ ઉર્ફે કાળુભાઇ જાદવજીભાઇ માકસણા (૩૪)નું પીપળી ગામની સીમમાં આવેલ સેફોન સિરામિક નામના કારખાનેથી ટાઇલ્સના ૧૭૫૦ બોક્ષ લીધા બાદ બિલના રૂપિયા ૫.૮૧ લાખ ન આપીને છેતરપિંડી કરવામાં આવી હતી આમ કુલ મળીને ૧૨.૪૧ લાખની સી છેતરપીંડીના ગુનામાં પોલીસે અગાઉ નિલેશભાઇ પ્રવિણભાઇ સાવલીયા જાતે પટેલ (ઉ ૨૭) રહે, સુરત અને જગદીશભાઇ શંભુભાઇ જોગાણી જાતે પટેલ (ઉ.૩૭) રહે સુરત વાળાની ધરપકડ કરી હતી ત્યાર બાદ આ બંને શખ્સોની સામે પાસની દરખાસ્ત મૂકવામાં આવી હતી જેને જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા મંજૂર કરવામાં આવી છે જેથી કરીને પોલીસે નિલેશભાઇ પ્રવિણભાઇ સાવલીયા જાતે પટેલ (ઉ ૨૭) રહે, સુરત વાળાને અમદાવાદની જેલમાં અને જગદીશભાઇ શંભુભાઇ જોગાણી જાતે પટેલ (ઉ.૩૭) રહે સુરત વાળાને રાજકોટની જેલમાં ધકેલવામાં આવેલ છે.,

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ






Latest News