મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

મોરબીના ખાનપર ગામેથી વતનમાં ગયેલા પિતા સાથે ન લઈ જતાં સગીરાએ ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત


SHARE







મોરબીના ખાનપર ગામેથી વતનમાં ગયેલા પિતા સાથે ન લઈ જતાં સગીરાએ ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત

મોરબી નજીકના ખાનપર ગામે વાડી રહીને મજૂરી કરતો યુવાન પોતાના વતનમાં જતો હતો જેથી તેની સગીર વયની દીકરીને તેની સાથે વતનમાં જવું હતું જોકે, સગીરાને તેના પિતા સાથે લઈ ગયા ન હતા જેથી સગીરાને લાગી આવ્યું હતું અને તેને ગળાફાંસો ખાઇ લીધો હતો જે તેની માતા જોઈ જતા તેને તાત્કાલિક સારવાર માટે મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઇ ગયા હતા જોકે સારવાર કારગત ન નિવડતા સગીરાનું મોત નિપજ્યું છે.જેથી કરીને આપઘાતના બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ખાનપર ગામે જયંતીભાઈની વાડી રહીને મજૂરીકામ કરતા મૂળ એમપીના રહેવાથી કાળુભાઈ વેશ્યાભાઈ બિલવાલ જાતે આદિવાસી (ઉમર ૪૩) ગત તા ૧૦/૪ ના રોજ પોતાના વતનમાં જતા હતા ત્યારે તેની સગીર વયની દીકરી સુનિતાબેન (ઉંમર ૧૪)ને અહિયાં ગમતું ન હોવાથી તેની સાથે વતનમાં જવું હતું જોકે કાળુભાઈ તેની દીકરીને સાથે લઈને ગયા ન હતા માટે ગત તા ૧૬/૪ ના રોજ સવારે ૧૧ વાગ્યાના અરસામાં સુનિતાએ પોતાની જાતે દુપટા વડે ગળાફાંસો ખાઇ લીધો હતો જે તેની માતા જોઈ લેતા તેને તાત્કાલિક દાંતરડા વડે દુપટો કાપી નાંખીને તેને સારવાર માટે પ્રથમ મોરબી સિવિલ હોસ્પિટલ અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઇ ગયા હતા જોકે સારવાર કારગત ન નિવડતા સગીરાનુ મોત નીપજયું હતું જેથી આપઘાતના આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે હાલમાં બનાવની નોંધ કરીને આગળની તપાસ શરૂ કરેલ છે






Latest News