મોરબીના ખોખરા હરિહરધામે હનુમાન જયંતિ નિમિત્તે મહાઆરતી, રામધુન, સંતવાણી અને મહાપ્રસાદનું આયોજન હળવદ નજીક હોટલ પાસે તલવાર વડે કરાયેલ જીવલેણ હુમલાના ગુનામાં કોર્ટે 4 આરોપીઓને સજા અને દંડ ફટકાર્યો વાંકાનેરના અરણીટીંબા ગામે ત્યજી દેવાયેલ નવજાત બાળકીને શ્વાને બચકાં ભરીને ફાડી ખાધી મોરબી OSEM સ્કુલની વિદ્યાર્થિનીએ મેળવી રાષ્ટ્રીય સ્તરે સિધ્ધી મોરબીમાં ફૈબા દ્વારા ભત્રીજા-ભત્રીજીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે મેડિકલ કેમ્પ યોજાયો મોરબીમાં ભોજાણી પરિવારના કુળદેવી શ્રી ભવાની માતાજી મંદિરે નવચંડી યજ્ઞ માળીયા (મી)ના મોટા દહીસરા ગામે પ્રેમલગ્ન કરનારા યુવતીના કાકા ઉપર યુવાનના કૌટુંબિક વ્યક્તિએ કર્યો છરી વડે હુમલો હળવદમાં દુકાન પાસે હરાજી કરવાની ના કહેતા વેપારી ઉપર 5 શખ્સોનો પાઇપ વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબીના ખાનપર ગામેથી વતનમાં ગયેલા પિતા સાથે ન લઈ જતાં સગીરાએ ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત


SHARE











મોરબીના ખાનપર ગામેથી વતનમાં ગયેલા પિતા સાથે ન લઈ જતાં સગીરાએ ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત

મોરબી નજીકના ખાનપર ગામે વાડી રહીને મજૂરી કરતો યુવાન પોતાના વતનમાં જતો હતો જેથી તેની સગીર વયની દીકરીને તેની સાથે વતનમાં જવું હતું જોકે, સગીરાને તેના પિતા સાથે લઈ ગયા ન હતા જેથી સગીરાને લાગી આવ્યું હતું અને તેને ગળાફાંસો ખાઇ લીધો હતો જે તેની માતા જોઈ જતા તેને તાત્કાલિક સારવાર માટે મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઇ ગયા હતા જોકે સારવાર કારગત ન નિવડતા સગીરાનું મોત નિપજ્યું છે.જેથી કરીને આપઘાતના બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ખાનપર ગામે જયંતીભાઈની વાડી રહીને મજૂરીકામ કરતા મૂળ એમપીના રહેવાથી કાળુભાઈ વેશ્યાભાઈ બિલવાલ જાતે આદિવાસી (ઉમર ૪૩) ગત તા ૧૦/૪ ના રોજ પોતાના વતનમાં જતા હતા ત્યારે તેની સગીર વયની દીકરી સુનિતાબેન (ઉંમર ૧૪)ને અહિયાં ગમતું ન હોવાથી તેની સાથે વતનમાં જવું હતું જોકે કાળુભાઈ તેની દીકરીને સાથે લઈને ગયા ન હતા માટે ગત તા ૧૬/૪ ના રોજ સવારે ૧૧ વાગ્યાના અરસામાં સુનિતાએ પોતાની જાતે દુપટા વડે ગળાફાંસો ખાઇ લીધો હતો જે તેની માતા જોઈ લેતા તેને તાત્કાલિક દાંતરડા વડે દુપટો કાપી નાંખીને તેને સારવાર માટે પ્રથમ મોરબી સિવિલ હોસ્પિટલ અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઇ ગયા હતા જોકે સારવાર કારગત ન નિવડતા સગીરાનુ મોત નીપજયું હતું જેથી આપઘાતના આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે હાલમાં બનાવની નોંધ કરીને આગળની તપાસ શરૂ કરેલ છે






Latest News