મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીક યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ
Breaking news
Morbi Today

વાંકાનેરમાં પરશુરામધામના નિર્માર્થે શ્રીમદ્દ ભગવત કથાનું આયોજન


SHARE







વાંકાનેરમાં પરશુરામધામના નિર્માર્થે શ્રીમદ્દ ભગવત કથાનું આયોજન

વાંકાનેર સમસ્ત બ્રહ્નસમાજ દ્વારા વાંકાનેર ખાતે નિર્માણાધીન પરશુરામધામના લાભાર્થે વાંકાનેરમાં તા.૧૭-૪ થી તા.૨૩-૪ દરમિયાન શ્રીમદ્દ ભગવત કથાનું આયોજન કરવામાં આવેલ છે.કથા દરમિયાનમાં વિવિધ ધાર્મિક પ્રસંગો ધામધુમપુર્વક ઉજવાશે.

વાંકાનેર સમસ્ત બ્રહ્નસમાજ દ્વારા પરશુરામધામના નિર્માણાર્થે વાંકાનેરમાં શ્રીમદ્દ ભગવત કથાનો યોજવામાં આવેલ છે.કથા તા.૧૭-૪ થી ૨૩-૪ સુધી દરોજ બપોરે ૩:૩૦ થી સાંજના ૭ સુધી ચાલશે.કથાનું આયોજન રામ-બલરામ-પરશુરામ ગરબી ચોક, ભાટિયા સોસાયટી ખાતે કરાયેલ છે. શાસ્ત્રી મયુરભાઈ ભટ્ટ સંગીતમય શૈલીમા શ્રોતાઓને કથાનું રસુાન કરાવી રહ્યા છે.આવતીકાલ તા.૧૯-૪ ના રોજ નૃસિંહ પ્રાગટ્ય, તા.૨૦-૪ ના રોજ વામન પ્રાગટ્ય તેમજ શ્રીરામ જન્મોત્સવ અને શ્રીકૃષ્ણ જન્મોત્સવના પ્રસંગો ઉજવાશે, તા.૨૧-૪ ના રોજ ગિરિરાજ ઉત્સવ, તા.૨૨-૪ ના રોજ રૂક્ષ્મણી વિવાહ અને તા.૨૩-૪ ના રોજ સુદામા ચરિત્ર અને મહાપ્રસાદના આયોજન કરવામાં આવેલ છે.કથા નિમિતે આવતીકાલે તા.૧૯ તેમજ તા.૨૧ ના રોજ રાત્રીના નવ વાગ્યે સંતવાણી કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવેલ છે.






Latest News