હળવદના બુટવડા ગામે ચારિત્રની શંકાથી કંટાળીને પરણીતાએ કરેલ આપઘાતના બનાવ પતિ  સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે નજીવ વાતમાં યુવાને કડા અને પાઇપ વડે 5 શખ્સો માર માર્યો મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ સરતાનપર ચોકડી પાસે ટ્રકની પાછળ કાર ઘૂસી જતા બે યુવાનોના મોત ટંકારાના ઘુનડા (સ) ગામે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો 10,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેર: પત્નીએ કામમાં બારોબાર ધ્યાન આપવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

વાંકાનેરમાં માંધાતા  ગ્રૂપ દ્વારા આયોજિત પ્રથમ સમૂહ લગ્નમાં જોડાવા માટે ફોર્મ સ્વીકારવાનું શરૂ


SHARE











વાંકાનેરમાં માંધાતા  ગ્રૂપ દ્વારા આયોજિત પ્રથમ સમૂહ લગ્નમાં જોડાવા માટે ફોર્મ સ્વીકારવાનું શરૂ

(શાહરૂખ ચૌહાણ દ્વારા) વાંકાનેરમાં માંધાતા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રથમ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે અને તેમાં ૨૧ દીકરીઓના એક જ માંડવે લગ્ન કરવામાં આવશે જેના માટેના ફોર્મ ભરવાની કામગીરી હાલમાં શરૂ કરવામાં આવી છે અને આગામી તા.૫/૫ સુધી ફોર્મ સ્વીકારવા માટેની કામગીરી ચાલુ રાખવામાં આવશે તેવું આયોજકોએ જણાવ્યું છે અને વહેલા તે પહેલાના ધોરણે જેના ફોર્મ પહેલા આવેલા હશે તેના સ્વીકારી લેવામાં આવશે

વાંકાનેરના માંધાતા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સમસ્ત કોળી સમાજ માંધાતા ગ્રુપે પ્રથમ સમૂહ લગ્નનું આયોજન કર્યું છે આ સમૂહ લગ્ન આગામી તા.૨૧/૫ ને શનિવારના રોજ વૈશાખ વદ છઠના રોજ ભગવાન માંધાતા દેવ અને સંત શ્રી વેલનાથ બાપુના મંદિરના વિશાળ મેદાનમાં જાલી બસ સ્ટેન્ડ પાસે યોજાવાના છે જેના માટે તેને હાલમાં વાર કન્યાના ફોર્મ ભરવાનું ચાલુ કરવામાં આવ્યું છે અને તા. ૧૭/૪ થી લઈને તા ૫/૫ સુધી ફોર્મ સ્વીકારવાની કામગીરી ચાલુ રાખવામાં આવશે અને ફોર્મ ભરવા માટે લગ્નગ્રંથીએ જોડાનાર યુવક-યુવતીના જન્મના જરૂરી આધાર પુરાવા, સરનામાં તેમજ તેઓની ઓળખના પૂરાવા સહિતની વિગતો સાથે ફોર્મ સાથે રજુ કરવાની રહેશે તેમજ સમૂહ લગ્ન સમિતિ દ્વારા કેટલાક નિયમો બનાવવામાં આવેલા છે જેમાં ખાસ કરીને વર અને કન્યા પક્ષ તરફથી લગ્ન સમૂહ લગ્નમાં જોડાવા માટે વાર અને કન્યા બંને પક્ષેથી ૧૧-૧૧ હજાર રૂપિયાની ફી નક્કી કરવામાં આવે છે અને કોઇ કારણોસર કોઈ યુગલના લગ્ન મોકૂફ રાખવાના થાય તો તેની ફીને ટ્રસ્ટમાં દાન તરીકે સ્વીકારવામાં આવશે તે પરત આપવામાં આવશે નહીં તેવો નિર્ણય કરવામાં આવ્યો છે તેની સાથોસાથ સમૂહલગ્નમાં જોડાનાર કન્યા પક્ષ તરફથી જ્ઞાતિના રિવાજ વગર કોઈપણ જાતની લેતી દેતી કરવાની નથી અને ચાંદલો કેહાથગરણા  કરવાની મનાઈ છે અને સમયસર લગ્ન વિધિ સંપન્ન થાય તે માટે સમૂહલગ્નમાં જોડાનાર દરેક પરિવારે ફટાકડા કે બેન્ડવાજા વગર સમૂહ લગ્નના સ્થળ સુધી સમયસર પહોંચી જવાનું રહેશે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જીગ્નેશબેન મેર, રતિલાલભાઈ અણીયારીયા, ગંભીરભાઈ નાકીયા, ભગવાનજીભાઈ મેર, રમેશભાઈ ગણોદીયા, હસમુખભાઈ ભૂસંડીયા, શામજીભાઈ માંડાણી, ભરતભાઈ ડાભી, હનાભાઈ ડાભીમ વેરશીભાઈ માલકીયા, દેવશીભાઇ સાપરા અને હેમંતભાઈ ધરજીયા સહિતની ટીમે જહેમત ઉઠાવી રહી છે






Latest News