મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

વાંકાનેર સિવિલમાં ડોકટર નથી કરો ગાંધીનગર ફરીયાદઃ સુપ્રિટેન્ડન્ટનો દર્દીના પરિવારજનને જવાબ !?


SHARE







(શાહરૂખ ચૌહાણ દ્વારા) મોરબી જીલ્લાની વાંકાનેર સિવિલ હાલમાં માંદગીના બિછાને હોય તેવો ઘાટ સર્જાયો છે કેમ કે, ડોકટર ન હોવાથી દર્દીઓ અને તેના પરિવારજનોને હેરાન થવુ પડે છે અને જો દર્દીના પરિવારજ ડોકટરની વ્યવસ્થા માટે સુપ્રિટેન્ડન્ટ સાથે ફોન ઉપર વાત કરે તો એવો જવાબ આપવામાં આવે છે કે, "અમે ઉપર જાણ કરી દીધી છે તમે વાંકાનેર સિવિલમાં ડોકટર નથી તેવી ગાંધીનગર ફરિયાદ કરો" જેથી દર્દીઓને નાછુટકે પ્રાઇવેટમાં કે પછી રાજકોટ લઇ જવા પડે છે

ગુજરાતમાં દર વર્ષે આરોગ્ય ની સેવાઓ વધારવા માટે લાખો કરોડો રૂપિયાના ખર્ચા કરવામાં આવે છે પરંતુ આરોગ્યની સાધનસામગ્રીનો ઉપયોગ કરીને દર્દીઓની સેવા કરી શકે તે માટે લઈને હોસ્પિટલમાં ડોક્ટર અથવા તો મેડિકલ સ્ટાફ ન હોવાના કારણે દર્દીઓ અને દર્દીના પરિવારજનો હાલાકીનો સામનો કરતા હોય છે આવો જ ઘાટ મોરબી જિલ્લામાં આવતી વાંકાનેર સિવિલ હોસ્પિટલમાં જોવા મળ્યો છે વાંકાનેર સિવિલ હોસ્પિટલમાં વાંકાનેર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લોકો પોતાના પરિવારજનને સારવાર માટે લઈને આવે છે પરંતુ ત્યાં ડોક્ટર અને મેડિકલ સ્ટાફની પૂરતા પ્રમાણમાં વ્યવસ્થા ન હોવાને કારણે દર્દીઓને સમયસર સારવાર મળતી નથી અને ઘણી વખત દર્દીઓને ખાનગી હોસ્પિટલમાં લઈ જવા પડે અથવા તો તેને રાજકોટ સારવાર માટે ખસેડવા પડે તેવી પરિસ્થિતિ ઊભી થતી હોય છે

વાંકાનેરમાં રહેતા એક વ્યક્તિના પત્નીને ઊલટીઓ થતી હોવાથી તેને સારવાર માટે તે સિવિલે લઈને ગયા હતા જોકે ફરજ પર કોઈ ડોક્ટર હાજર ન હોવાથી તેઓએ વાંકાનેર સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ હરપાલસિંહ પરમાર સાથે ફોન પર વાત કરી હતી ત્યારે તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે અમે ઉપર લેખિત જાણ કરી દીધી છે કે વાંકાનેર હોસ્પિટલમાં ડોક્ટર નથી અહીંયા ત્રણ ડોક્ટર મુકવામાં આવેલ છે જેમાંથી એક રજા ઉપર છે, એકના લગ્ન છે અને એકે ગઇકાલે નોકરી કરી લીધી છે તમે રાજકોટ અને ગાંધીનગર ફરીયાદ કરો તેવુ કહ્યુ હતુ અને દર્દીના પરિવારજને સુપ્રિટેન્ડન્ટને કરેલ ફોનનો ઓડિયો હાલમાં સોશ્યલ મિડીયામાં વાયરલ થયો છે






Latest News