મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબી કોર્ટે ડેકલેરેશન તથા કાયમી મનાઇ હુકમ મેળવવા અને વેચાણ દસ્તાવેજ રદ કરવા કરેલ દાવો ના મંજુર કર્યો


SHARE













મોરબી કોર્ટે ડેકલેરેશન તથા કાયમી મનાઇ હુકમ મેળવવા અને વેચાણ દસ્તાવેજ રદ કરવા કરેલ દાવો ના મંજુર કર્યો

આ કેસની હકીકત એવી છે કે વાદી વિરજીભાઈ કાનજીભાઈ પરમાર રહે.મોર ભગતની વાડી શકત શનાળાની બાજુમાં મોરબી વાળાએ તેમના પિતા કાનાભાઇ ધનાભાઇ પરમાર વિગેરે ૫ પ્રતિવાદીઓ સામે મોરબીની સિવિલ કોર્ટમાં રે.દિવાની કેસ નં-૧૦૧/૨૦૧૫ દાખલ કરી મોરબી તાલુકાના વજેપર ગામતળની નવી શરતની જમીન જે ગોકુળનગર તરીકે ઓળખાય છે.તે માહેના પ્લોટ નંબર-૪૯ પૈકીમાંથી આશરે ૮૦૦ ચો.ફુટ જગ્યા પ્રતિવાદી કાનાભાઇ ધનાભાઇ પરમારે વાદીને અનાજ દળવાની ઘંટી ચલાવવાના હેતુ કાઢી આપેલ છે અને તેનો કબ્જો ભોગવટો વાદીનો છે.તેમ જણાવી ડેકલેરેશન તથા કાયમી મનાઇ હુકમ મેળવવા અને વેચાણ દસ્તાવેજ રદ કરવા મોરબીની કોર્ટમાં દિવાની કેસ નંબર ૧૦૧/૨૦૧૫ દાખલ કર્યો હતો જે કૈસ નામદાર કોર્ટમાં ચાલી જતા નામદાર કોર્ટે વાદીની જુબાની, વાદીએ રજુ કરેલ પુરાવાઓ તથા પ્રતિવાદીઓની જુબાની તથા પ્રતિવાદીઓએ રજુ કરેલ પુરાવાઓને ધ્યાને લઇને પ્રતિવાદી નંબર ૧ થી ૩ ના વકીલ બી.બી.હડીયલની ધારદાર રજુઆત માન્ય રાખીને વાદીનો કાયમી મનાઇ હુકમ માટેનો દાવો ના મંજુર કરતો હુકમ ગત તા.૩૧-૩-૨૨ ના રોજ ફરમાવ્યો હતો.આ કામમાં પ્રતિવાદી નંબર ૧ થી ૩ તરફેથી મોરબીના સીનીયર વકીલ બી.બી. હડીયલ રોકાયેલ હતા.






Latest News