મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ આચારવાના ગુનામાં બે આરોપીની ધરપકડ મોરબીમાં યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપીને વ્યાજની પઠાણી ઉઘરાણી કરવાના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ મોરબીમાં સમસ્ત હિન્દુ સેવા ગ્રુપ ગુજરાત દ્વારા સર્વજ્ઞાતિ સમૂહલગ્નનું આયોજન મોરબીમાં રબારી અને ભરવાડ સમાજની સભામાં શિક્ષણ, સંગઠન અને રાજકારણ ઉપર ભાર મુક્તા આગેવાનો મોરબીમાં ધક્કાવાળી મેલડી માતાજીના નવરંગ માંડવાનું આયોજન:  ચૈત્રી નવરાત્રી નિમિતે રાસ ગરબાનું આયોજન હળવદના રાયસંગપર-મયુરનગર વચ્ચે નજીવી વાતમાં યુવાનને ચાર શખ્સોએ પાઇપ-ધોકા વડે મારમાર્યો મોરબીનો સિરામિક ઉદ્યોગ યુએસ સહિતના દેશોમાં એક્સપોર્ટ માર્કેટ ગુમાવે તેવા તેવા સંકેત, કન્ટેનરના ડેમરેજ-સરચાર્જ સામે એક્સપોર્ટરો માટે રાહતના સમાચાર સોશ્યલ મીડિયાનો ફાયદો: મોરબી નજીકથી ગુમ થયેલ યુવાન જામનગરમાંથી મળી આવ્યો
Breaking news
Morbi Today

મોરબી કોર્ટે ડેકલેરેશન તથા કાયમી મનાઇ હુકમ મેળવવા અને વેચાણ દસ્તાવેજ રદ કરવા કરેલ દાવો ના મંજુર કર્યો


SHARE











મોરબી કોર્ટે ડેકલેરેશન તથા કાયમી મનાઇ હુકમ મેળવવા અને વેચાણ દસ્તાવેજ રદ કરવા કરેલ દાવો ના મંજુર કર્યો

આ કેસની હકીકત એવી છે કે વાદી વિરજીભાઈ કાનજીભાઈ પરમાર રહે.મોર ભગતની વાડી શકત શનાળાની બાજુમાં મોરબી વાળાએ તેમના પિતા કાનાભાઇ ધનાભાઇ પરમાર વિગેરે ૫ પ્રતિવાદીઓ સામે મોરબીની સિવિલ કોર્ટમાં રે.દિવાની કેસ નં-૧૦૧/૨૦૧૫ દાખલ કરી મોરબી તાલુકાના વજેપર ગામતળની નવી શરતની જમીન જે ગોકુળનગર તરીકે ઓળખાય છે.તે માહેના પ્લોટ નંબર-૪૯ પૈકીમાંથી આશરે ૮૦૦ ચો.ફુટ જગ્યા પ્રતિવાદી કાનાભાઇ ધનાભાઇ પરમારે વાદીને અનાજ દળવાની ઘંટી ચલાવવાના હેતુ કાઢી આપેલ છે અને તેનો કબ્જો ભોગવટો વાદીનો છે.તેમ જણાવી ડેકલેરેશન તથા કાયમી મનાઇ હુકમ મેળવવા અને વેચાણ દસ્તાવેજ રદ કરવા મોરબીની કોર્ટમાં દિવાની કેસ નંબર ૧૦૧/૨૦૧૫ દાખલ કર્યો હતો જે કૈસ નામદાર કોર્ટમાં ચાલી જતા નામદાર કોર્ટે વાદીની જુબાની, વાદીએ રજુ કરેલ પુરાવાઓ તથા પ્રતિવાદીઓની જુબાની તથા પ્રતિવાદીઓએ રજુ કરેલ પુરાવાઓને ધ્યાને લઇને પ્રતિવાદી નંબર ૧ થી ૩ ના વકીલ બી.બી.હડીયલની ધારદાર રજુઆત માન્ય રાખીને વાદીનો કાયમી મનાઇ હુકમ માટેનો દાવો ના મંજુર કરતો હુકમ ગત તા.૩૧-૩-૨૨ ના રોજ ફરમાવ્યો હતો.આ કામમાં પ્રતિવાદી નંબર ૧ થી ૩ તરફેથી મોરબીના સીનીયર વકીલ બી.બી. હડીયલ રોકાયેલ હતા.






Latest News