મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીક યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ
Breaking news
Morbi Today

મોરબી ડો.હેડગેવાર સ્મારક સમિતિ દ્વારા આંબેડકર ચોક ખાતે કાર્યક્રમ યોજાયો


SHARE







મોરબી ડો.હેડગેવાર સ્મારક સમિતિ દ્વારા આંબેડકર ચોક ખાતે કાર્યક્રમ યોજાયો

સદીના મહાનાયક, ભારતરત્ન પૂ.બાબાસાહેબ અંબેડકરજીની ૧૩૧ મી જન્મજયંતિના પાવન અવસરે ડો.હેડગેવાર સ્મારક સમિતિ મોરબી દ્વારા આંબેડકર ચોક ખાતે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.આ પાવન પ્રસંગે ડો. આંબેડકરજીની પ્રતિમાને આરએસએસના કાર્યકરો તથા સ્થાનિક રહેવાસીઓ દ્વારા હારતોરા કરવામાં આવ્યા હતા અને વિશેષમાં આ વિસ્તારમાં ચાલતા શિવણ કેન્દ્ર ખાતે ડો.બાબાસાહેબના એકાત્મ ભારતના સંદર્ભે વિચાર અંગે પ્રવચન રાખવામાં આવેલું હતું. આ કાર્યક્રમમાં વક્તા તરીકે રાજેશભાઇ બદ્રકિયાએ ડો.બાબાસાહેબ દ્વારા સમગ્ર હિન્દુસમાજની એકતા, બંધુતા અંગે ઉત્કૃષ્ટ કાર્ય કરેલા તે વિશેની વાત કરી હતી અને લલિતભાઈ ભાલોડિયા, મહેશભાઈ બોપલીયા, પ્રચારક હસમુખભાઈ પટેલ, વિજયભાઈ રાવલ, રણછોડભાઈ કુંડારિયા, જેઠાભાઇ કવૈયા ઉપરાંત સ્થાનિક કાર્યકર્તાઓ વિનુભાઈ, રાહુલભાઈ, આરતીબેન શુકલા, ભૂમિબેન તથા અન્ય ભાઈઓ-બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.






Latest News