સોશ્યલ મીડિયાનો ફાયદો: મોરબી નજીકથી ગુમ થયેલ યુવાન જામનગરમાંથી મળી આવ્યો મોરબીના લાલબાગ સેવા સદનમાં વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું ! સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આવતા : મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે મહત્વની બેઠક યોજાઈ મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર ચાલતા રોડના કામની સાથે વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર લાઇન નાખવા માંગ મોરબીના મોહનભાઈ કુંડારીયાની BBSSL ના ડિરેક્ટર પદે નિમણૂક મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મહિલા લીડરશીપ કોન્કલેવ યોજાયો મોરબીમાં વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલા લોકોની રજૂઆત સાંભળવા માટે પોલીસ દ્વારા જનસંપર્ક સભાનુ આયોજન વાંકાનેર વિધાનસભા બેઠકના વિસ્તારમાં 11 કરોડના ખર્ચે બનનારા નવા રોડનું ધારાસભ્યએ કર્યું ખાતમુહૂર્ત
Breaking news
Morbi Today

મોરબીમાં આગામી રવિવારે રક્તદાન કેમ્પનું આયોજન


SHARE











મોરબીમાં આગામી રવિવારે રક્તદાન કેમ્પનું આયોજન

મોરબીના પાટીદાર રત્ન સમાન અને સેવાના ભેખધારી સ્વ. શીવાભાઈ ઓગણજા (શિવાબાપા) ની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે. શિવાબાપાએ પોતાના જીવનમાં હંમેશા સેવાને  જ પ્રાધાન્ય આપ્યું હતું  અને મોરબી પંથકના અનેક લોકોના સેવા કર્યો કર્યા એવા પાટીદાર સમાજના  સ્વ.શીવાભાઈ ઓગણજા (શિવાબાપા) ની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે.તેઓની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે આગામી તા.17-4 ને રવિવારના રોજ સવારે સાડા આઠથી સાંજના પાંચ વાગ્યા સુધી કન્યા છાત્રાલય ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે. તેમજ  તા.17 ને રવિવારના સવારે 8:30વાગ્યે કન્યા છાત્રાલય ખાતે છગન ભગત સીતારામ મંડળ (રામગઢ કોયલી) દ્વારા સુંદરકાંડના પાઠનું પણ યોજવામાં આવેલ હોય ઓગણજા પરિવાર દ્વારા તેનો  લાભ લેવા અને રક્તદાન કેમ્પમાં સહભાગી બનાવા અપીલ કરવામાં આવેલ છે.વધુ માહીતી માટે મો.૯૮૨૫૬ ૭૨૧૬૦ અથવા ૯૮૨૫૬ ૭૧૫૨૪ ઉપર સંપર્ક કરવાાદીમાં જણાવાયેલ છે.






Latest News