મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ મોરબીના મહેન્દ્રનગર આઈટીઆઈ નજીક દવા પી જતા પરણીતા સારવારમાં મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા ભવ્ય તીજ ઉત્સવનું આયોજન, ઉત્સવમાં જોડાવા આમંત્રણ કચ્છ અને મોરબીથી અન્ય રાજ્યોને જોડતી નવી ટ્રેન સેવાઓ, સવલતો માટેની કેન્દ્રીય રેલ મંત્રીને રજૂઆત કરતા સાંસદ વિનોદ ચાવડા
Breaking news
Morbi Today

મોરબીમાં ચાલતી રામકથામાં રાજકીય આગેવાનોની હાજરીમાં વ્યાસપીઠ, કથાકાર અને પોથીનું અપમાન ?


SHARE







મોરબીમાં ચાલતી રામકથામાં રાજકીય આગેવાનોની હાજરીમાં વ્યાસપીઠ, કથાકાર અને પોથીનું અપમાન ?

મોરબીના ખોખરા હનુમાન ખાતે હાલમાં રામ કથા ચાલી રહી છે દરમિયાન રાજ્યના મુખ્યમંત્રી સહિતના રાજકીય આગેવાનો કથામાં આવ્યા હતા ત્યારે વ્યાસપીઠ, કથાકાર અને પોથીના અપમાન જેવો ઘાટ સર્જાયો હતો કારણ કે, વ્યાસપીઠની આગળના ભાગમાં રાજકીય આગેવાનો ગોઠવાઈ ગયા હતા જે ખરેખર વ્યાસપીઠ, કથાકાર તેમજ પોથીના અપમાન બરાબર હતું તેવું કથા શ્રવણ કરવા માટે આવેલા ઘણા બધા પ્રબુદ્ધ નાગરિકોમાં ચર્ચાઈ રહ્યું હતું

હાલમાં ગામોગામ જુદી જુદી કથાઓના આયોજન કરવામાં આવતા હોય છે જેમાં ભાગવત કથા, રામકથા કે પછી શિવ મહાપુરાણ કથાનું આયોજન કરવામાં આવે છે જેનું શ્રવણ કરીને લોકો ધન્યતા અનુભવતા હોય છે તેવી જ રીતે મોરબી અને મોરબી આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં તેમજ ભારતના જુદાજુદા રાજ્યના લોકો માટે મોરબીના બેલા ગામ પાસે આવેલ ખોખરા હનુમાન હરિહર ધામ ખાતે હાલમાં ૧૦૦૮ મહામંડલેશ્વર કનકેશ્વરી માતાજીની રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે અને દરમિયાન રામકથામાં રાજકીય કાર્યક્રમ હોય તેવો ઘાટ સર્જાયો હતો કારણ કે, એક બાજુ રામકથાનું કથાકાર કનકેશ્વરી માતાજી રસપાન કરવી રહ્યા હતા ત્યારે મુખ્યમંત્રી આવતાની સાથે જ કથા વિરામ કરી દેવામાં આવ્યો હતો અને વ્યાસપીઠની આગળના ભાગમાં જ્યાં પોથી મૂકવામાં આવી હતી તેની આગળના ભાગમાં મુખ્યમંત્રી સહિતના રાજકીય આગેવાનોને બેસાડવામાં આવ્યા હતા એટલું જ નહીં કથા નહીં પરંતુ રાજકીય કાર્યક્રમ હોય તે પ્રકારનો ઘાટ ત્યાં સર્જાયો હતો જેથી કરીને આ કથાનું રસપાન કરવા માટે દૂર દૂરથી આવેલા લોકોમાં ક્યાંકને ક્યાંક કચવાટની લાગણી જોવા મળી હતી

ખાસ કરીને કેટલાક પ્રબુદ્ધ નાગરિકોએ તો ત્યાં સુધી કહ્યું હતું કે આ આ કાર્યક્રમમાં કથાકાર, વ્યાસપીઠ અને પોથી આ બધાનું અપમાન આયોજકો દ્વારા કરવામાં આવ્યું છે કારણ કે અનેક જગ્યાઓ ઉપર કથાનું આયોજન થાય છે ત્યાં રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો સહિત લોકો આવતા હોય છે પરંતુ તેમની બેઠક વ્યવસ્થા કથાકાર, પોથી અને વ્યાસપીઠની આડે નહીં પરંતુ સ્ટેજ ઉપર એક સાઇડમાં કરવામાં આવતી હોય છે પરંતુ અહીંયાં જે પ્રકારની બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી તેને લઈને ક્યાંકને ક્યાંક લોકોમાં ગણગણાટ શરૂ થઈ ગયો હતો અને કથાકાર તેમજ વ્યાસપીઠ અને કથાની પોથીની ગરિમા જાળવવામાં આયોજકો અને વ્યવસ્થાપકો મોટી ચૂક કરી ગયા છે તેવી લાગણી લોકોએ વ્યક્ત કરી હતી






Latest News