વાંકાનેર બાઉન્ડ્રી પાસે બાવળની જાળીમાં રૂપિયા માટે મિત્રની હત્યા કરનારા આરોપીને કોર્ટે ફટકારી આજીવન કેદની સજા મોરબીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિના લીધે જિલ્લા કોંગ્રેસના મહામંત્રીને હોદા ઉપરથી સસ્પેન્ડ કરતાં જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ સામે સોશ્યલ મીડિયામાં વોર શરૂ ! તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ
Breaking news
Morbi Today

મોરબીમાં ચાલતી રામકથામાં રાજકીય આગેવાનોની હાજરીમાં વ્યાસપીઠ, કથાકાર અને પોથીનું અપમાન ?


SHARE











મોરબીમાં ચાલતી રામકથામાં રાજકીય આગેવાનોની હાજરીમાં વ્યાસપીઠ, કથાકાર અને પોથીનું અપમાન ?

મોરબીના ખોખરા હનુમાન ખાતે હાલમાં રામ કથા ચાલી રહી છે દરમિયાન રાજ્યના મુખ્યમંત્રી સહિતના રાજકીય આગેવાનો કથામાં આવ્યા હતા ત્યારે વ્યાસપીઠ, કથાકાર અને પોથીના અપમાન જેવો ઘાટ સર્જાયો હતો કારણ કે, વ્યાસપીઠની આગળના ભાગમાં રાજકીય આગેવાનો ગોઠવાઈ ગયા હતા જે ખરેખર વ્યાસપીઠ, કથાકાર તેમજ પોથીના અપમાન બરાબર હતું તેવું કથા શ્રવણ કરવા માટે આવેલા ઘણા બધા પ્રબુદ્ધ નાગરિકોમાં ચર્ચાઈ રહ્યું હતું

હાલમાં ગામોગામ જુદી જુદી કથાઓના આયોજન કરવામાં આવતા હોય છે જેમાં ભાગવત કથા, રામકથા કે પછી શિવ મહાપુરાણ કથાનું આયોજન કરવામાં આવે છે જેનું શ્રવણ કરીને લોકો ધન્યતા અનુભવતા હોય છે તેવી જ રીતે મોરબી અને મોરબી આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં તેમજ ભારતના જુદાજુદા રાજ્યના લોકો માટે મોરબીના બેલા ગામ પાસે આવેલ ખોખરા હનુમાન હરિહર ધામ ખાતે હાલમાં ૧૦૦૮ મહામંડલેશ્વર કનકેશ્વરી માતાજીની રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે અને દરમિયાન રામકથામાં રાજકીય કાર્યક્રમ હોય તેવો ઘાટ સર્જાયો હતો કારણ કે, એક બાજુ રામકથાનું કથાકાર કનકેશ્વરી માતાજી રસપાન કરવી રહ્યા હતા ત્યારે મુખ્યમંત્રી આવતાની સાથે જ કથા વિરામ કરી દેવામાં આવ્યો હતો અને વ્યાસપીઠની આગળના ભાગમાં જ્યાં પોથી મૂકવામાં આવી હતી તેની આગળના ભાગમાં મુખ્યમંત્રી સહિતના રાજકીય આગેવાનોને બેસાડવામાં આવ્યા હતા એટલું જ નહીં કથા નહીં પરંતુ રાજકીય કાર્યક્રમ હોય તે પ્રકારનો ઘાટ ત્યાં સર્જાયો હતો જેથી કરીને આ કથાનું રસપાન કરવા માટે દૂર દૂરથી આવેલા લોકોમાં ક્યાંકને ક્યાંક કચવાટની લાગણી જોવા મળી હતી

ખાસ કરીને કેટલાક પ્રબુદ્ધ નાગરિકોએ તો ત્યાં સુધી કહ્યું હતું કે આ આ કાર્યક્રમમાં કથાકાર, વ્યાસપીઠ અને પોથી આ બધાનું અપમાન આયોજકો દ્વારા કરવામાં આવ્યું છે કારણ કે અનેક જગ્યાઓ ઉપર કથાનું આયોજન થાય છે ત્યાં રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો સહિત લોકો આવતા હોય છે પરંતુ તેમની બેઠક વ્યવસ્થા કથાકાર, પોથી અને વ્યાસપીઠની આડે નહીં પરંતુ સ્ટેજ ઉપર એક સાઇડમાં કરવામાં આવતી હોય છે પરંતુ અહીંયાં જે પ્રકારની બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી તેને લઈને ક્યાંકને ક્યાંક લોકોમાં ગણગણાટ શરૂ થઈ ગયો હતો અને કથાકાર તેમજ વ્યાસપીઠ અને કથાની પોથીની ગરિમા જાળવવામાં આયોજકો અને વ્યવસ્થાપકો મોટી ચૂક કરી ગયા છે તેવી લાગણી લોકોએ વ્યક્ત કરી હતી






Latest News