મોરબીમાં ડો. ભીમરાવ આંબેડકરની 135 મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન મોરબીમાં વેલનાથ બાપુની પૂણ્યતીથી નીમીતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન વાંકાનેર 108ની ટીમ બની 'દેવદૂત': ટેકનોલોજી-ત્વરિત નિર્ણયશક્તિથી નવજાત શિશુને આપ્યું નવજીવન મોરબીમાં પિતાની પુણ્યતિથિએ દીકરીએ કર્યું રક્તદાન કેમ્પનું આયોજન મોરબીમાં 25 લાખ માટે સીરામીક ઉદ્યોગપતિ અને તેના મિત્ર ઉપર જીવલેણ હુમલો કરનારા અજયભાઈ લોરીયાની ધરપકડ: ગાડી, ધોકો, કપડાં, મોબાઈલ કબ્જે કરતી પોલીસે પ્રાથમિક શિક્ષક વીણાબેન દલસાણિયા (દેસાઈ) એ મોરબીને રાજયકક્ષાએ ગૌરવ અપાવ્યું મોરબીમાં ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણકની ભવ્યાતી ભવ્ય ઉજવણી વાંકાનેર બાઉન્ડ્રી પાસે બાવળની જાળીમાં રૂપિયા માટે મિત્રની હત્યા કરનારા આરોપીને કોર્ટે ફટકારી આજીવન કેદની સજા
Breaking news
Morbi Today

ગાય અને ધરતીને બચાવવા માટે પ્રાકૃતિક ખેતી અનિવાર્ય: મોરબીની રામકથામાં ભુપેન્દ્રભાઈ પટેલની ટકોર 


SHARE











ગાય અને ધરતીને બચાવવા માટે પ્રાકૃતિક ખેતી અનિવાર્ય: મોરબીની રામકથામાં ભુપેન્દ્રભાઈ પટેલની ટકોર 

મોરબીના બેલા ગામ પાસે આવેલ ખોખરા હનુમાન હરિહર ધામ ખાતે રામકથા ચાલી રહી છે જેમાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ગઇકાલે હાજર રહ્યા હતા અને તેમણે ૧૦૮ ફૂટની હનુમાનજીની મૂર્તિના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી અને ખાસ કરીને તેઓએ લોકોને સંબોધન કરતા કહ્યું હતું કે ધરતી અને ગાય બંનેને બચાવવા માટે પ્રાકૃતિક ખેતી અનિવાર્ય છે અને જો પ્રાકૃતિક ખેતી આપવામાં આવશે તો લોકોના આરોગ્યમાં પણ ઘણો સુધારો થશે તેવી લાગણી વ્યક્ત કરી હતી

મોરબીના બેલા ગામ પાસે આવેલ ખોખરા હનુમાન હરિધામ ખાતે ૧૦૦૮ મહામંડલેશ્વર કનકેશ્વરી માતાજીની રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે અને તા. ૮ થી આ રામકથાનો પ્રારંભ કરવામાં આવ્યો છે જેનો લાભ લેવા માટે દરરોજ હજારોની સંખ્યામાં ભક્તો આવી રહ્યા છે દરમિયાન આજે તા. ૧૧ ના રોજ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, ભાજપના રાષ્ટ્રીય સચિવ કૈલાસ વિજયવર્ગીય, સાંસદ મોહનભાઇ કુંડારિયા, સાંસદ વિનોદભાઇ ચાવડા, જયંતિભાઈ કવાડીયા, જિલ્લા ભાજપના પ્રમુખ દુર્લભજીભાઈ દેથરિયા, માજી પ્રમુખ રાઘવજીભાઇ ગડારા, માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, માજી ધારાસભ્ય બાવનજીભાઈ મેતલિયા, કોંગ્રેસનાં ધારાસભ્ય લલિતભાઈ કગથરા, શહેર ભાજપ પ્રમુખ લાખાભાઇ જારીયા, તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઇ વસાદડીયા, જિલ્લા ભાજપ મહામંત્રી જયુભા જાડેજા, રણછોડભાઈ દલવાડી, જેસંગભાઈ હુંબલ સહિતના રામકથામાં હાજર રહ્યા હતા

 

ગુજરાતની અંદર બનાવવામાં આવેલ પ્રથમ ૧૦૮ ફૂટની હનુમાનજીની મૂર્તિ તેમજ ખોખરા હનુમાનના દર્શન કરીને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે ધન્યતા અનુભવી હતી અને તેમણે ખાસ કરીને આ તકે લોકોને સંબોધન કરતા કહ્યું હતું કે, કેશવાનંદ બાપુના પાવન પગની રજ જ્યાં પડેલી છે તે તીર્થભૂમિમાં આવીને તેઓએ ધન્યતા અનુભવી છે અને દરેક વ્યક્તિની અંદર તેમજ કણે કણમાં રામ વસેલા છે તેને જન જન સુધી પહોંચાડવાનું કામ સંતો મહંતો કરી રહ્યા છે અને હાલમાં ગૌમહિમાનું પણ આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આગામી સમયમાં ગાયને બચાવવા માટે જ સરકારે પ્રકૃતિક ખેતી ઉપર ભાર મૂક્યો છે અને ગાયની સાથોસાથ ધરતીને બચાવવા માટે પ્રાકૃતિક ખેતી અનિવાર્ય છે અને પ્રકૃતિક ખેતી કરવામાં આવે તો લોકોના આરોગ્યમાં પણ તેની ખૂબ સારી અસર જોવા મળશે તેવી લાગણી વ્યક્ત કરી હતી

કથાકાર કનકેશ્વરી માતાજીએ કથા દરમ્યાન કહ્યું હતું કે, જો ભારત દેશની અંદર ગાય ન હોત તો આ ભારતીય સંસ્કૃતિના ગ્રંથો અને પુરાણો ન હોત આટલું જ નહીં રામ કૃષ્ણ સહિતના અવતારો જે થઈ ગયા છે તેના પ્રાગટ્યમાં પણ ગાય છે માટે જો ગાય દેશની અંદર પ્રસન્ન હશે તો દેશ પ્રસન્ન રહેશે અને ગાય સમ્રુદ્ધ હશે તો દેશ સમ્રુદ્ધ રહેશે અને ગાયોની હત્યા કરનારના હાડકાં ખોખરા કરવાનું કામ ખોખરા હનુમાન કરશે તેવી લાગણી વ્યક્ત કરી હતી અને વધુમાં તેમણે કથા દરમ્યાન કહ્યું હતું કે, સંતાનના જન્મ પહેલા દીકરાને જન્મ આપવો છે કે પછી ભગવાનને જન્મ આપવો છે તેના માટે દંપતીએ ચિંતન કરવાની જરૂર છે અને દીકરો ખોળામાં આવે તે પહેલા તેને ભગવાન બનાવી દેવો તે માતા પિતાના હાથની વાત છે અને આ કથામાં આયોજક તરફથી દેશની રક્ષા માટે શાહિદ થયેલ જવાનોના પરિવારજનોને આર્થિક સહાયના ચેક મુખ્યમંત્રીના હસ્તે આપવામાં આવ્યા હતા






Latest News