મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીમાં કલેકટરે બહાર પાડવામાં આવેલા જાહેરનામાના સરેઆમ ધજાગરા છતાં પોલીસતંત્ર મૌન !


SHARE







મોરબીમાં કલેકટરે બહાર પાડવામાં આવેલા જાહેરનામાના સરેઆમ ધજાગરા છતાં પોલીસતંત્ર મૌન !

મોરબીના બેલા ગામ પાસે આવેલ ખોખરા હનુમાન મંદિર ખાતે ચાલતી રામકથામાં હજારોની સંખ્યામાં લોકો ઉમટશે તે વાત પહેલા તે નિશ્ચિત હતી જેથી કોઈ અનિચ્છનીય અકસ્માત ન બને તે માટે કલેક્ટર દ્વારા કથાના પ્રારંભ પહેલાં જ બેલા ગામથી લઈને ભરતનગર ગામ તરફ જતા રસ્તા ઉપર ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો તેમ છતાં પણ કથા ચાલી રહી છે ત્યારે ભારે વાહનોની અવરજવર થતી હોય છે ત્યારે ત્યાં મૂકવામાં આવેલ પોલીસ કર્મચારીઓ પણ જાણે કે મૂક પ્રેક્ષક બની ગયા હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો હતો અને કલેકટર દ્વારા બહાર પાડવામાં આવેલ જાહેરનામાની જો અમલવારી કરવાની ન હોય તો શા માટે જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું હતું કે સૌથી મોટો પ્રશ્ન છે

મોરબીના જેતપર રોડ ઉપર બેલા ગામની આસપાસ માં અનેક નાના-મોટા સિરામિક ઉદ્યોગ આવી ગયા છે અને ખાસ કરીને મોરબીના પીપળીથી લઈને જેતપર સુધીના વિસ્તારની અંદર લગભગ પોણા બસો કરતા વધુ સિરામિકના કારખાના આવેલા છે જેથી કરીને સતત આ રસ્તા ઉપર ભારે વાહનોની અવર-જવર રહેતી હોય છે અને ખાસ કરીને બેલા ગામથી ભરતનગર થઈને નેશનલ હાઈવેને જોડતો રસ્તો નીકળે છે માટે તે રસ્તા ઉપરથી ભારે વાહનોની અવર જવર પણ વધુ રહેતી હોય છે ત્યારે રામકથાના આયોજન દરમિયાન આવતા હજારો લોકોમાંથી કોઈ અકસ્માતનો ભોગ ન બને તે માટે થઇને કલેક્ટર દ્વારા ૮ તારીખથી કથાનો પ્રારંભ થવાનો હતો ત્યાર પહેલાંથી જ આ રસ્તા ઉપર ભારે વાહનોની અવર-જવર પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો પરંતુ હાલમાં જ્યારે કથા ચાલી રહી છે ત્યારે પણ ભારે વાહનોની અવરજવર ચાલુ રહેતી હોય છે અને ખાસ કરીને ટ્રકમાં ટાઇલ્સ અને રોમટીરીયલ્સ ભરીને ટ્રકની અવર-જવર થતી હોય છે ત્યારે કથાનું શ્રવણ કરવા માટે આવેલા લોકોમાંથી કોઈ અકસ્માતનો ભોગ બને તો તેની જવાબદારી કોની તે સૌથી મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે અને જો જિલ્લા કલેકટર દ્વારા બહાર પાડવામાં આવતા જાહેરનામાની પણ અમલવારી પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવતી ન હોય તો તેના માટે જવાબદાર કોણ તે સૌથી મોટો સવાલ અહીં ઊભો થઈ રહ્યો છે






Latest News