હળવદના બુટવડા ગામે ચારિત્રની શંકાથી કંટાળીને પરણીતાએ કરેલ આપઘાતના બનાવ પતિ  સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે નજીવ વાતમાં યુવાને કડા અને પાઇપ વડે 5 શખ્સો માર માર્યો મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ સરતાનપર ચોકડી પાસે ટ્રકની પાછળ કાર ઘૂસી જતા બે યુવાનોના મોત ટંકારાના ઘુનડા (સ) ગામે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો 10,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેર: પત્નીએ કામમાં બારોબાર ધ્યાન આપવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં કલેકટરે બહાર પાડવામાં આવેલા જાહેરનામાના સરેઆમ ધજાગરા છતાં પોલીસતંત્ર મૌન !


SHARE











મોરબીમાં કલેકટરે બહાર પાડવામાં આવેલા જાહેરનામાના સરેઆમ ધજાગરા છતાં પોલીસતંત્ર મૌન !

મોરબીના બેલા ગામ પાસે આવેલ ખોખરા હનુમાન મંદિર ખાતે ચાલતી રામકથામાં હજારોની સંખ્યામાં લોકો ઉમટશે તે વાત પહેલા તે નિશ્ચિત હતી જેથી કોઈ અનિચ્છનીય અકસ્માત ન બને તે માટે કલેક્ટર દ્વારા કથાના પ્રારંભ પહેલાં જ બેલા ગામથી લઈને ભરતનગર ગામ તરફ જતા રસ્તા ઉપર ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો તેમ છતાં પણ કથા ચાલી રહી છે ત્યારે ભારે વાહનોની અવરજવર થતી હોય છે ત્યારે ત્યાં મૂકવામાં આવેલ પોલીસ કર્મચારીઓ પણ જાણે કે મૂક પ્રેક્ષક બની ગયા હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો હતો અને કલેકટર દ્વારા બહાર પાડવામાં આવેલ જાહેરનામાની જો અમલવારી કરવાની ન હોય તો શા માટે જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું હતું કે સૌથી મોટો પ્રશ્ન છે

મોરબીના જેતપર રોડ ઉપર બેલા ગામની આસપાસ માં અનેક નાના-મોટા સિરામિક ઉદ્યોગ આવી ગયા છે અને ખાસ કરીને મોરબીના પીપળીથી લઈને જેતપર સુધીના વિસ્તારની અંદર લગભગ પોણા બસો કરતા વધુ સિરામિકના કારખાના આવેલા છે જેથી કરીને સતત આ રસ્તા ઉપર ભારે વાહનોની અવર-જવર રહેતી હોય છે અને ખાસ કરીને બેલા ગામથી ભરતનગર થઈને નેશનલ હાઈવેને જોડતો રસ્તો નીકળે છે માટે તે રસ્તા ઉપરથી ભારે વાહનોની અવર જવર પણ વધુ રહેતી હોય છે ત્યારે રામકથાના આયોજન દરમિયાન આવતા હજારો લોકોમાંથી કોઈ અકસ્માતનો ભોગ ન બને તે માટે થઇને કલેક્ટર દ્વારા ૮ તારીખથી કથાનો પ્રારંભ થવાનો હતો ત્યાર પહેલાંથી જ આ રસ્તા ઉપર ભારે વાહનોની અવર-જવર પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો પરંતુ હાલમાં જ્યારે કથા ચાલી રહી છે ત્યારે પણ ભારે વાહનોની અવરજવર ચાલુ રહેતી હોય છે અને ખાસ કરીને ટ્રકમાં ટાઇલ્સ અને રોમટીરીયલ્સ ભરીને ટ્રકની અવર-જવર થતી હોય છે ત્યારે કથાનું શ્રવણ કરવા માટે આવેલા લોકોમાંથી કોઈ અકસ્માતનો ભોગ બને તો તેની જવાબદારી કોની તે સૌથી મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે અને જો જિલ્લા કલેકટર દ્વારા બહાર પાડવામાં આવતા જાહેરનામાની પણ અમલવારી પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવતી ન હોય તો તેના માટે જવાબદાર કોણ તે સૌથી મોટો સવાલ અહીં ઊભો થઈ રહ્યો છે






Latest News