મોરબીમાં ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણકની ભવ્યાતી ભવ્ય ઉજવણી વાંકાનેર બાઉન્ડ્રી પાસે બાવળની જાળીમાં રૂપિયા માટે મિત્રની હત્યા કરનારા આરોપીને કોર્ટે ફટકારી આજીવન કેદની સજા મોરબીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિના લીધે જિલ્લા કોંગ્રેસના મહામંત્રીને હોદા ઉપરથી સસ્પેન્ડ કરતાં જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ સામે સોશ્યલ મીડિયામાં વોર શરૂ ! તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર
Breaking news
Morbi Today

મોરબીમાં કલેકટરે બહાર પાડવામાં આવેલા જાહેરનામાના સરેઆમ ધજાગરા છતાં પોલીસતંત્ર મૌન !


SHARE











મોરબીમાં કલેકટરે બહાર પાડવામાં આવેલા જાહેરનામાના સરેઆમ ધજાગરા છતાં પોલીસતંત્ર મૌન !

મોરબીના બેલા ગામ પાસે આવેલ ખોખરા હનુમાન મંદિર ખાતે ચાલતી રામકથામાં હજારોની સંખ્યામાં લોકો ઉમટશે તે વાત પહેલા તે નિશ્ચિત હતી જેથી કોઈ અનિચ્છનીય અકસ્માત ન બને તે માટે કલેક્ટર દ્વારા કથાના પ્રારંભ પહેલાં જ બેલા ગામથી લઈને ભરતનગર ગામ તરફ જતા રસ્તા ઉપર ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો તેમ છતાં પણ કથા ચાલી રહી છે ત્યારે ભારે વાહનોની અવરજવર થતી હોય છે ત્યારે ત્યાં મૂકવામાં આવેલ પોલીસ કર્મચારીઓ પણ જાણે કે મૂક પ્રેક્ષક બની ગયા હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો હતો અને કલેકટર દ્વારા બહાર પાડવામાં આવેલ જાહેરનામાની જો અમલવારી કરવાની ન હોય તો શા માટે જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું હતું કે સૌથી મોટો પ્રશ્ન છે

મોરબીના જેતપર રોડ ઉપર બેલા ગામની આસપાસ માં અનેક નાના-મોટા સિરામિક ઉદ્યોગ આવી ગયા છે અને ખાસ કરીને મોરબીના પીપળીથી લઈને જેતપર સુધીના વિસ્તારની અંદર લગભગ પોણા બસો કરતા વધુ સિરામિકના કારખાના આવેલા છે જેથી કરીને સતત આ રસ્તા ઉપર ભારે વાહનોની અવર-જવર રહેતી હોય છે અને ખાસ કરીને બેલા ગામથી ભરતનગર થઈને નેશનલ હાઈવેને જોડતો રસ્તો નીકળે છે માટે તે રસ્તા ઉપરથી ભારે વાહનોની અવર જવર પણ વધુ રહેતી હોય છે ત્યારે રામકથાના આયોજન દરમિયાન આવતા હજારો લોકોમાંથી કોઈ અકસ્માતનો ભોગ ન બને તે માટે થઇને કલેક્ટર દ્વારા ૮ તારીખથી કથાનો પ્રારંભ થવાનો હતો ત્યાર પહેલાંથી જ આ રસ્તા ઉપર ભારે વાહનોની અવર-જવર પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો પરંતુ હાલમાં જ્યારે કથા ચાલી રહી છે ત્યારે પણ ભારે વાહનોની અવરજવર ચાલુ રહેતી હોય છે અને ખાસ કરીને ટ્રકમાં ટાઇલ્સ અને રોમટીરીયલ્સ ભરીને ટ્રકની અવર-જવર થતી હોય છે ત્યારે કથાનું શ્રવણ કરવા માટે આવેલા લોકોમાંથી કોઈ અકસ્માતનો ભોગ બને તો તેની જવાબદારી કોની તે સૌથી મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે અને જો જિલ્લા કલેકટર દ્વારા બહાર પાડવામાં આવતા જાહેરનામાની પણ અમલવારી પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવતી ન હોય તો તેના માટે જવાબદાર કોણ તે સૌથી મોટો સવાલ અહીં ઊભો થઈ રહ્યો છે






Latest News