તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વાડીએ પાણીની કુંડીમાં ડૂબી જવાથી દોઢ વર્ષની બાળકીનું મોત હળવદના ધુળકોટ ગામે શક્તિ માતાજીના મંદિરમાંથી સોના-ચાંદીના 80 છતર, ચાંદીનો મુગટ અને સોનાની બે ટીલડીની ચોરી
Breaking news
Morbi Today

મોરબીની ખાખરેચી હાઈસ્કૂલના ભૂતપૂર્વ શિક્ષકો માટે યોજાશે ગુરૂ ભાવવંદના કાર્યક્રમ


SHARE











મોરબીની ખાખરેચી હાઈસ્કૂલના ભૂતપૂર્વ શિક્ષકો માટે યોજાશે ગુરૂ ભાવવંદના કાર્યક્રમ

પહેલી મેના ગુરૂજનોના સન્માન સાથે વીર સૈનિકોનું પણ કરાશે બહુમાન

સાર્વજનિક હાઈસ્કુલ ખાખરેચીના ભૂતપૂર્વ વિદ્યાર્થીગણ દ્વારા આગામી તા.1 મે ને રવિવારના રોજ સાર્વજનિક હાઈસ્કુલ ખાખરેચીના ભૂતપૂર્વ શિક્ષકોપ્રત્યે કુતજ્ઞતા અને ઋણ સ્વીકારની ભાવના વ્યકત કરવા ગુરૂભાવ વંદનાનો ભવ્ય કાર્યક્રમ મોરબી ખાતે યોજાશે. આ કાર્યક્રમમાં ખાખરેચી હાઈસ્કૂલના ભૂતપૂર્વ ગુરૂજનો જી.કે. રાઠોડ, સ્વ. એસ.એ. ગોસ્વામી, બી.જી.વડઘાસીયા, સી.એમ.વડસોલા, બી.કે. હુલાણી, વી.બી.પારજીયા, જે.એમ.ગોહિલ વિગેરેનું ભાવવંદના સહ સન્માન કરી સહ પરિવાર આર્શીવાદ મેળવાશે.

ગુરૂજનોના સન્માન સાથે સાથે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓમાંથી ભારતીય સેનામાં ફરજ બજાવી ચૂકેલા તેમજ હાલમાં ફરજ પરના વીર સૈનિકોનું પણ સન્માન કરી તેઓએ કરેલ રાષ્ટ્રસેવા અને પોતાના જીવનના સોનેરી સમયના ત્યાગ બલિદાન અને સમર્પણ ભાવ પ્રત્યે લાગણી વ્યકત કરાશે.કાર્યક્રમમાં હાઈસ્કુલમાં ભણી ગયેલા માણાબા, સુલતાનપુર, ચીખલી, વેણાસર, વેજલપર, કુંભારીયા, રોહીશાળા તેમજ ખાખરેચીના તમામ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ સહપરિવાર સામેલ થશે.કાર્યક્રમના રજિસ્ટ્રેશન તેમજ વિશેષ વિગત માટે મહેશભાઈ પારજીયા મો.નં. 9979752044 અને કાંતિલાલ માનસેતા મો.નં. 9904575474 ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.






Latest News