તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વાડીએ પાણીની કુંડીમાં ડૂબી જવાથી દોઢ વર્ષની બાળકીનું મોત હળવદના ધુળકોટ ગામે શક્તિ માતાજીના મંદિરમાંથી સોના-ચાંદીના 80 છતર, ચાંદીનો મુગટ અને સોનાની બે ટીલડીની ચોરી
Breaking news
Morbi Today

મોરબી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા મહાઆરતી, રામધૂન, વેશભુષા હરીફાઈ, મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો સાથે રામનવમી ભક્તિભાવપૂર્વક ઉજવાઇ


SHARE











મોરબી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા મહાઆરતી, રામધૂન, વેશભુષા હરીફાઈ, મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો સાથે રામનવમી ભક્તિભાવપૂર્વક ઉજવાઇ
 
બાળસ્વરૂપે પ્રભુશ્રી રામ, સીતાજી, લક્ષ્મણજી તથા હનુમાનજી પધાર્યા :વેશભુષા હરીફાઈમા બહોળી સંખ્યામા બાળકોએ રામદરબારનો વેશ ધારણ કરી ભાગ લીધો. દરેક બાળકો ને વિવિધ ઈનામો અર્પણ કરી પ્રોત્સાહીત કરાયા
 
આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સંસ્થાપક ડો. પ્રવિણભાઈ તોગડીયાના માર્ગદર્શન હેઠળ આંતરરાષ્ટ્રીય  હિન્દુ પરિષદ-મોરબી દ્વારા સનાતન હિન્દુ ધર્મના આરાધ્ય દેવ પ્રભુ શ્રી રામનો જન્મોત્સવ ભક્તિભાવપૂર્વક ધામધૂમથી ઉજવવાનુ આયોજન કરવામા આવ્યુ હતુ. જે અંતર્ગત મોરબી અયોધ્યાપુરી રોડ સ્થિત જલારામ મંદિર ખાતે રામધૂન, મહાઆરતી, બાળકો માટે વેશભુષા હરીફાઈ, મહાપ્રસાદ સહીતના કાર્યક્રમોનુ આયોજન કરવામા આવ્યુ હતુ.

બાળકોમા ધાર્મિક ભાવના કેળવાય તેમજ પ્રભુ શ્રી રામના જીવન ચરિત્ર વિશે જ્ઞાન પ્રાપ્ત થાય તે હેતુસર નાના બાળકો માટે વેશભુષા સ્પર્ધાનુ આયોજન કરવામા આવ્યુ હતુ.જેમા બહોળી સંખ્યામા બાળકોએ રામદરબારનો વેશ ધારણ કરી ઉપસ્થિત લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા.મોરબી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા વિજેતા બાળકો સહીત દરેક બાળકોને વિવિધ ઈનામો અર્પણ કરી પ્રોત્સાહીત કર્યા હતા.દરેક રામભક્તો માટે ફરાળ મહાપ્રસાદનુ આયોજન કરવામા આવ્યુ હતુ,જેમા બહોળી સંખ્યામા રામભક્તોએ પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી.કાર્યક્રમને સફળ બનાવવા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સૌરાષ્ટ્ર પ્રાંત પદાધિકારી ગીરીશભાઈ ઘેલાણી, કૌશલભાઈ જાની, મનિષભાઈ પટેલ, હરીશભાઈ રાજા, પોલાભાઈ પટેલ, પંકજભાઈ પટેલ, સી.પી.પોપટ, જયેશભાઈ કંસારા, ભાવિનભાઈ ઘેલાણી, નિર્મિતભાઈ કક્કડ, હીતેશભાઈ જાની, હસુભાઈ પંડિત સહીતના સંસ્થાના અગ્રણીઓએ જહેમત ઉઠાવી હતી.





Latest News