મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને કચ્છના સાંસદ વિનોદભાઈ ની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વાડીએ પાણીની કુંડીમાં ડૂબી જવાથી દોઢ વર્ષની બાળકીનું મોત હળવદના ધુળકોટ ગામે શક્તિ માતાજીના મંદિરમાંથી સોના-ચાંદીના 80 છતર, ચાંદીનો મુગટ અને સોનાની બે ટીલડીની ચોરી મોરબીના ન્યુ ચંદ્રનગરમાં શ્રીમદ્ સપ્તાહમાં શિવજી વિવાહનો પ્રસંગ ઉજવાયો વાંકાનેરના ઓળ ગામના હળદર ધાર વિસ્તારમાં ખનીજ માફિયા ઉપર પોલીસે-ખાણ ખનીજની ટિમ ત્રાટકી: 4.10 કરોડનો મુદામાલ કબ્જે
Breaking news
Morbi Today

મોરબીમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ સહિતની હિન્દુ સંસ્થાઓ દ્વારા ભવ્ય શોભાયાત્રા યોજાઇ


SHARE











મોરબીમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ સહિતની હિન્દુ સંસ્થાઓ દ્વારા ભવ્ય શોભાયાત્રા યોજાઇ

મોરબીમાં વિશ્વ હિન્દુ પરીષદ બજરંગદળ સહિતની હિન્દુ સંસ્થાઓ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યુ હતુ. શહેરના સામાકાંઠે મહારાણા પ્રતાપ સર્કલથી નિકળી શોભાયાત્રા શહેરના વિવિધ માર્ગો પર ફરી હતી અને ઠેર-ઠેર શોભાયાત્રા ઉપર પુષ્પવૃષ્ટિ કરીને શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું તે ઉપરાંત પણ અન્ય આયોજનો કરવામાં આવ્યા હતા. જેમાં દરબારગઢ પાસેના રામ મહેલ મંદિર ખાતે મહાઆરતી અને રાત્રીના બજરંગ ધુન મંડળનો કાર્યક્રમ યોજાયો હતો.શહેરના પરસોતમ ચોકમાં આવેલ રાધે ક્રિષ્ના મંદિર ખાતે પણ મહાઆરતી અને અન્નકૂટ દર્શન યોજવામાં આવ્યો હતો. જ્યારે માળિયા-મિંયાણાના ખાખરેચી ગામે અબોલ જીવ એટલે કે પક્ષીના ચણ માટે ૧૨૦ મણ જેટલા ચણ એકત્રીત કરવામાં આવ્યું હતું.તેમજ મોરબીના મહેન્દ્રનગર અને ઘુંટુ ગામે યુવાનો દ્વારા શોભાયાત્રા યોજીને જયશ્રી રામના નારા લગાવવામાં આવ્યા હતા.તે રીતે જ મોરબીના અન્ય તાલુકાઓ એટલે કે માળીયા મીંયાણા, હળવદ, વાંકાનેર, ટંકારા તેમજ મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં આવેલ રામજી મંદિરો ખાતે મહાઆરતીય યોજવામાં આવી હતી અને રામનવમી નિમિતે ઠેર-ઠેર અનેક આયોજનો કરવામાં આવ્યા હતા. 






Latest News