મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ મોરબીના જેતપર ગામે આજે ઉપવાસી છાવણી ખાતે રક્તદાન કેમ્પ યોજાશે: ખેડૂતો વીજ કંપની સામે આક્રોશ સાથે રક્તદાન કરવા ઉમટી પડ્યા મોરબીના જેતપર ગામે છેલ્લા છ દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહેલ નેહુલ અમૃતિયાની તબિયત લથડી: ખેડૂતો હજુ પણ તેની માંગ ઉપર મક્કમ
Breaking news
Morbi Today

મોરબીમાં નવરંગ નેચર ક્લબ રાજકોટ દ્રારા ઘર વપરાશની વિવિધ વસ્તુઓનું થશે રાહત દરે વિતરણ


SHARE











મોરબીમાં નવરંગ નેચર ક્લબ રાજકોટ દ્રારા ઘર વપરાશની વિવિધ વસ્તુઓનું થશે રાહત દરે વિતરણ

મોરબીમાં આગામી તા.૧૦ ને રવિવારના રોજ નવરંગ નેચર ક્લબ રાજકોટ દ્રારા ઘર વપરાશની વિવિધ વસ્તુઓનું રાહત દરે વિતરણ કરાશે.જેમા ઓર્ગેનિક તરબૂચ રૂા.૨૦ ના ૧ કિલો લેખે તેમજ ફૂલછોડનું રાહત દરે વિતરણ થશે.

ટંકારા તાલુકાના હરિપર ગામેથી ચંદુભાઈ ભાગિયા કે જેઓ પ્રગતિશીલ ખેડૂત છે તેઓ પોતાની વાડીમાં ઓર્ગનીક તરબૂચ વાવે છે તે પોતાના ઓર્ગનીક તરબૂચ લઈને ત્યાં રાહતદરે વેચાણ કરશે.તે ઉપરાંત અળસિયાનું ખાતર અને કોકોપીટનું ખાતર, પ્યોર મધ, હાથે ખાંડેલ દેસી ઓસડિયા, માટીના કુંડા, તાવડી, દેસી હાથ ઘડાવ માટીના પાટિયા, રસોડાને ઉપયોગી લાકડાની વિવિધ ચીજવસ્તુઓ, વિવિધ જાતના કઠોળ, વિવિધ જાતના શાકભાજીના બિયારણો, પાપડ તેમજ વિવિધ જાતના ફૂલછોડનું રાહત દરે વિતરણ કરવામાં આવશે.જે દરમિયાન સોસીયલ ડિસટન્સનું પાલન કરીને ફરજીયાત માસ્ક પહેરવા જણાવાયેલ છે.મોરબીના ઉમિયા સર્કલ નજીક મહાદેવ મંદિર પાસે તા.૧૦-૪ ના રોજ સવારે ૮:૩૦ થી બોપોરે ૧ સુધી વિતરણ થશે.તે અંગે વધુ વિગત માટે લવજીભાઈ પ્રજાપતિ (મો.૯૯૨૫૩ ૬૯૪૬૫) અથવા વી.ડી.બાલા પ્રમુખ: નવરંગ નેચર ક્લબ-રાજકોટ (મો.૯૪૨૭૫ ૬૩૮૯૮) નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયેલ છે

બહેનોને ફળ અને શાકભાજી ઉછેરની તાલીમ આપશે

સરકારના બાગાયત ખાતા દ્વારા  બહેનો માટે બાગાયત પાકોના મુલ્યવર્ધન અંગેની વિવિધ ફળોનાં જામ, જેલી, અથાણા તેમજ શરબત અને ઘર આંગણાની ખાલી જગ્યામાં ફળ શાકભાજીનાં ઉછેરની તાલીમ ઓછામાં ઓછા ૨૦ બહેનો અને વધુમાં વધુ ૫૦ બહેનોમાં બે દિવસીય અને પાંચ દિવસીય તાલીમ યોજાશે. આ તાલીમમાં જોડાનાર બહેનોને પ્રતિ દિન ૨૫૦ રૂપિયા સ્ટાઇપેન્ડ તરીકે સરકારના બાગાયત ખાતા દ્વારા આપવામાં આવશે. તાલીમ મેળવવા માટે આઇ ખેડુત પોર્ટલ www.ikhedut.gujarat.gov.in પર તા.૩૦/૪/૨૦૨૨ સુધીમાં અરજી કરી અરજીની પ્રિંટ સાથે આધાર કાર્ડ, રેશન કાર્ડ, બેંક પાસબુકની નકલ નાયબ બાગાયત નિયામકની કચેરી, ૨૨૬-૨૨૭, તાલુકા સેવા સદન, લાલબાગ(ફોન નં:-૦૨૮૨૨-૨૪૧૨૪૦), મોરબીના સરનામે મોકલી આપવા નાયબ બાગાયત નિયામક મોરબીની યાદીમાં જણાવાયું છે.






Latest News