મોરબીની ત્રાજપર ચોકડી પાસેથી 49.380 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો: 1.53 લાખનો મુદ્દામાલ કબજે વાંકાનેરના સમથેરવા ગામે એક કરોડના અનુદાનથી આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રાથમિક શાળા માટે MOU કરાયા માળીયા (મી)ના ભોળીપાટ વાંઢ વિસ્તારમાં શાળાના બે રૂમ બનાવવા માટે ૧૩૦૦ ચો.મી.જમીન આપનારા દાતાનુ કરાયું સન્માન મોરબી નજીકના રવાપર ગામે રોડ વચ્ચે કરવામાં આવેલ ખાડામાં સ્કૂટર સહિત માતા-પુત્રી પડ્યા: કોઈ જાનહાનિ નહી મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી
Breaking news
Morbi Today

મોરબી શહેર તેમજ જીલ્લામાં તા.૧૦ ના ધામધુમથી રામનવમી ઉજવવા તડામાર તૈયારીઓ શરૂ


SHARE











મોરબી શહેર તેમજ જીલ્લામાં તા.૧૦ ના ધામધુમથી રામનવમી ઉજવવા તડામાર તૈયારીઓ શરૂ

મોરબીના રાધાકૃષ્ણ મંદિરે રામનવમીની ભવ્ય ઉજવણી કરવા આયોજન હાથ ધરાયેલ છે જેમા છપ્પનભોગનો પ્રસાદ, મહાઆરતી સહીતના કાર્યક્રમો યોજાનાર છે.આગામી તા.૧૦ ને રવિવારના રોજ રાધાકૃષ્ણ મંદિર પરસોતમ ચોક રવાપર રોડ મોરબી ખાતે ધામધુમથી રામનવમીની ઉજવણી કરાશે.જેમાં તા.૧૦ ના રોજ સવારે ૧૦ વાગ્યે છપ્પનભોગ પ્રસાદ યોજાશે.વધુમાં આયોજકોએ જણાવ્યું છેકે જે કોઇ છપ્પનભોગ પ્રસાદમાં પોતાનો પ્રસાદ મુકવા ઇચ્છતા હોય તેમણે નવ વાગ્યા પહેલા પ્રસાદ મંદિરે પહોંચાડવાનો રહેશે.તેમજ બપોરે ૧૨ વાગ્યે મહાઆરતી યોજાશે.જેમા પણ લોકો પોતાની આરતી સાથે લાવીને આરતી ઉતારી શકે છે.શહેરની ધર્મપ્રેમા જનતાને લાભ લેવા યાદીમાં જણાવાયેલ છે.


શોભાયાત્રા યોજાશે


મોરબીમાં વિશ્વ હિન્દુ પરિષદ , બજરંગ દળ, ગૌરક્ષાદળ, દુર્ગાવાહીની અને માતૃશક્તિ દ્વારા રામનવમી નિમિતે રામ ભગવાનની શોભાયાત્રા યોજાશે. આગામી તા.૧૦ ને રવિવારે સાંજે ૪:૩૦ વાગ્યે સામાકાંઠે મહારાણા પ્રતાપ સર્કલથી શોભાયાત્રા શરૂ થશે અને મયુરપુલ, મહેન્દ્રસિંહજી ડ્રાઇવ રોડ, દરબારગઢ, ગ્રીનચોક, નગરદરવાજા ચોક, જુના બસ સ્ટેશન રામચોક, શનાળા રોડ, નવા બસ સ્ટેશનની સામેના રસ્તાથી બાપાસીતારામ ચોક, એવન્યુ પાર્ક રવાપર રોડથી સીતારામ ચોક, ચકીયા હનુમાનથી શાક માર્કેટ, જેઈલ રોડ થઇને વિહીપ કાર્યાલયે પુરી થશે. આ શોભાયાત્રામાં જોડાવા મોરબીવાસીઓને જાહેર આમંત્રણ પાઠવવામાં આવેલ છે.

કાનગોપી રાસ યોજાશે


માળીયા(મિં.)ના દેરાળા ગામે શ્રીમદ્દ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તા.૭ ના રોજ કાનગોપી રાસનું આયોજન કરાયેલ છે.દેરાળા (નંદનવન) ગામમાં શ્રીમદ્દ ભાગવત કથાનું આયોજન કરાયેલ છે. કથાના યજમાન સ્વ.પ્રવીણભાઈ ખીમજીભાઈ દેત્રોજા,અનિલભાઈ પ્રવીણભાઈ દેત્રોજા,આનંદભાઈ પ્રવીણભાઈ દેત્રોજા તથા દેત્રોજા પરિવાર છે.કથા અંતર્ગત તા.૭ ને ગુરુવારના રોજ આદિત્ય ગૃપના કાનગોપી રાસનું આયોજન કાયેલ હોય તેમો લાભ લેવા આયોજકો દ્રારા જાહેર આમંત્રણ પાઠવવામાં આવેલ છે.






Latest News