ફાર્મર જેન-ઝી સમગ્ર ગુજરાતમાં પૂરા વળતર માટે ખાનગી કંપની અને ગુજરાત સરકારને ઝુકાવશે: મોરબીના જેતપર ગામેથી ખેડૂતોનો લલકાર મોરબીના મહેન્દ્રનગર ગામે ભાઈને સ્કૂલે મૂકવા જવાનું કહીને ઘરેથી નીકળેલ યુવતી ગુમ મોરબીના ગાળા ગામ પાસે કારખાનામાં પાણી ભરેલા ખાડામાં ડૂબી જવાથી 2 વર્ષના બાળકનું મોત મોરબી : રાજગોર (કાઠી) બ્રાહ્મણ જ્ઞાતિ પરિવાર દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો  મોરબીમાં એક દિવસ પહેલા જ વતનમાંથી આવેલા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી શહેર 2 અને વાંકાનેર શહેર-તાલુકામાં જુગારની 2 રેડ: 16 આરોપી પકડાયા-6 ની શોધખોળ મોરબીના લાલપર પાસે કારખાનામાં મશીનના બેલ્ટમાં આવી જવાથી મહિલાનું મોત મોરબી નજીક સિરામિક કારખાનામાં બોઈલરના ગરમ પાણીમાં પડી જતાં દાઝી ગયેલા યુવાનનું સારવારમાં મોત
Breaking news
Morbi Today

વાંકાનેરના હોલમઢથી વેલનાથ બાપુની જન્મ જયંતી નિમિત્તે નીકળશે ભવ્ય શોભાયાત્રા


SHARE







વાંકાનેરના હોલમઢથી વેલનાથ બાપુની જન્મ જયંતી નિમિત્તે નીકળશે ભવ્ય શોભાયાત્રા

વાંકાનેર તાલુકાના હોલમઢ ગામે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના વાંકાનેર દ્વારા મીટીંગ યોજાઈ હતી તેમાં સમગ્ર વાંકાનેર તાલુકા કોળી ઠાકોર સમાજના આગેવાન અને યુવાનો જોડાયા હતા તેમજ રાજકોટ ઠાકોર સેના, મોરબી ઠાકોર સેના, હળવદ ઠાકોર સેનાના હોદેદારો કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા વાંકાનેર તાલુકાના ૧૭ ગામના આગેવાન અને યુવાનો આ બેઠકમાં જોડાયા હતા અને આવનારી તા. ૧૬/૪ ના રોજ વેલનાથ બાપુ જન્મ જયંતી નિમિત્તે શોભાયાત્રા માટે ચર્ચા કરવામાં આવી હતી આશરે ૪૦ કી.મી. ની સોભાયાત્રા છે અને ૧૫ થી વઘારે ગામ દર્શનનો લાવો લેશે ત્યારે મચ્છુ ડેમ રોડ હોલમઢ ગામથી તા. ૧૬/૪ ના રોજ સવારે ૮ વાગ્યે આ શોભાયાત્રાનું પ્રસ્થાન થશે અને મહીકા, કોઠી, જોધપર, લીબાળા, કેરાળા, ઘમલપર ચોકડી પાસે વેલનાથ બાપુનો મહા પ્રસાદ રાખેલ છે અને બાદમાં ઘમલપર-૨, હસનપર, શક્તિપરા, વીછીપરા, મિલ પ્લોટ, નવાપરા હાઈવે, જીનપરા મેઇન બજાર, માર્કેટ ચોક, દિવાનપરા, વેલનાથપરા, આરોગ્ય નગર ખાતે શોભાયાત્રા પૂર્ણ થશે તેવું વાંકાનેર ઠાકોર સેના દ્વારા જણાવવામાં આવ્યું છે






Latest News