વાંકાનેર: પત્નીએ કામમાં બારોબાર ધ્યાન આપવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન
Breaking news
Morbi Today

ઈચ્છાશક્તિનો ઉત્તમ નમૂનો: મોરબીના અમૃતબેન આદ્રોજાએ ૭૫ વર્ષે ક, ખ, ગ, ઘ લખીને લખ્યા સવા લાખ મંત્ર !


SHARE











ઈચ્છાશક્તિનો ઉત્તમ નમૂનો: મોરબીના અમૃતબેન આદ્રોજાએ ૭૫ વર્ષે ક,,,લખીને લખ્યા સવા લાખ મંત્ર !

મન હોય તો માળવે જવાઈ..આ કહેવાતને મોરબીમાં રવાપર રોડ ઉપર રહેતા મૂળ ભડિયાદ ગામના રહેવાસી ૮૦ વર્ષના વૃદ્ધાએ સાર્થક કરી છે અને ,,,લખીને તેને અક્ષર જ્ઞાન પ્રાપ્ત કર્યું છે

મૂળ મોરબીના ભડિયાદ ગામના રહેવાસી અને હાલમાં મોરબીના રવાપર રોડ ઉપર રહેતા મોરબી પાંજરાપોળના ટ્રસ્ટી ગિરધરભાઈ આદ્રોજાના પત્ની અમૃતબેન ગિરધરભાઈ આદ્રોજા જેમની ઉમર ૮૦ વર્ષ છે તેઓએ અભ્યાસ કર્યો ન હતો જેથી તેમણે લખતા કે વાંચતાં આવડતું ન હતું જો કે, વર્ષ ૨૦૧૭ માં તેને લખવા અને વાંચવાનું મન થયું હતું અને પછી તેને મક્કમ રીતે અભ્યાસ સહરું કર્યો હતો અને નાના બાળકની જેમ જ પહેલા ક,,,લખીને અક્ષર જ્ઞાન લેવાનું શરૂ કર્યું હતું અને બાદમાં કક્કો અને બારખડીની અનેક બુક લખી હતી અને છ મહિનામાં જ અક્ષરજ્ઞાન પ્રાપ્ત કરી લીધું હતું અને પછી અમૃતબેને ઓમ નમઃ ભગવતે વાસુદેવાયમંત્ર લખવાનું શરૂ કર્યું હતું અને તેમણે ૩૦૦ પાનાની એક બુક જેમાં એક પાનામાં ૩૨ મંત્રો આમ કુલ મળીને અત્યાર સુધીમાં ૬ બુક તેને મંત્રથી ભરી દીધી છે અને ૩૧ માર્ચ ૨૦૨૨ સુધીમાં તેઓએ ૧.૨૫ લાખ મંત્ર લખ્યા છે અને આ મંત્ર લખેલી બૂકો મહામંડલેશ્વર કનકેશ્વરી દેવીને બતાવીને તેમના આશીર્વાદ લીધા હતા ત્યારે માતાજીએ તેમણે ડોંગરેજી મહારાજનું ભાગવતપ્રસાદીમાં આપ્યું હતું 






Latest News