મોરબી સહિત ગુજરાતમાં વાવાઝોડું-કમોસમી વરસાદથી થયેલ નુકશાન સામે વળતર આપવા આપના આગેવાનની મુખ્યમંત્રીને રજૂઆત મોરબીમાં મહાપાલિકા દ્વારા નવા બનનારા ઓડિટોરીયમને મહારાજા મહેન્દ્રસિંહજી ઓડિટોરીયમ નામ આપવાની માંગ મોરબીમાં નોકરી અપાવવાના બહાને લઈ ગયા બાદ પરણીતા સાથે દુષ્કર્મ, આરોપીની ધરપકડ-જેલ હવાલે મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ આચારવાના ગુનામાં બે આરોપીની ધરપકડ મોરબીમાં યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપીને વ્યાજની પઠાણી ઉઘરાણી કરવાના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ મોરબીમાં સમસ્ત હિન્દુ સેવા ગ્રુપ ગુજરાત દ્વારા સર્વજ્ઞાતિ સમૂહલગ્નનું આયોજન મોરબીમાં રબારી અને ભરવાડ સમાજની સભામાં શિક્ષણ, સંગઠન અને રાજકારણ ઉપર ભાર મુક્તા આગેવાનો
Breaking news
Morbi Today

ઈચ્છાશક્તિનો ઉત્તમ નમૂનો: મોરબીના અમૃતબેન આદ્રોજાએ ૭૫ વર્ષે ક, ખ, ગ, ઘ લખીને લખ્યા સવા લાખ મંત્ર !


SHARE











ઈચ્છાશક્તિનો ઉત્તમ નમૂનો: મોરબીના અમૃતબેન આદ્રોજાએ ૭૫ વર્ષે ક,,,લખીને લખ્યા સવા લાખ મંત્ર !

મન હોય તો માળવે જવાઈ..આ કહેવાતને મોરબીમાં રવાપર રોડ ઉપર રહેતા મૂળ ભડિયાદ ગામના રહેવાસી ૮૦ વર્ષના વૃદ્ધાએ સાર્થક કરી છે અને ,,,લખીને તેને અક્ષર જ્ઞાન પ્રાપ્ત કર્યું છે

મૂળ મોરબીના ભડિયાદ ગામના રહેવાસી અને હાલમાં મોરબીના રવાપર રોડ ઉપર રહેતા મોરબી પાંજરાપોળના ટ્રસ્ટી ગિરધરભાઈ આદ્રોજાના પત્ની અમૃતબેન ગિરધરભાઈ આદ્રોજા જેમની ઉમર ૮૦ વર્ષ છે તેઓએ અભ્યાસ કર્યો ન હતો જેથી તેમણે લખતા કે વાંચતાં આવડતું ન હતું જો કે, વર્ષ ૨૦૧૭ માં તેને લખવા અને વાંચવાનું મન થયું હતું અને પછી તેને મક્કમ રીતે અભ્યાસ સહરું કર્યો હતો અને નાના બાળકની જેમ જ પહેલા ક,,,લખીને અક્ષર જ્ઞાન લેવાનું શરૂ કર્યું હતું અને બાદમાં કક્કો અને બારખડીની અનેક બુક લખી હતી અને છ મહિનામાં જ અક્ષરજ્ઞાન પ્રાપ્ત કરી લીધું હતું અને પછી અમૃતબેને ઓમ નમઃ ભગવતે વાસુદેવાયમંત્ર લખવાનું શરૂ કર્યું હતું અને તેમણે ૩૦૦ પાનાની એક બુક જેમાં એક પાનામાં ૩૨ મંત્રો આમ કુલ મળીને અત્યાર સુધીમાં ૬ બુક તેને મંત્રથી ભરી દીધી છે અને ૩૧ માર્ચ ૨૦૨૨ સુધીમાં તેઓએ ૧.૨૫ લાખ મંત્ર લખ્યા છે અને આ મંત્ર લખેલી બૂકો મહામંડલેશ્વર કનકેશ્વરી દેવીને બતાવીને તેમના આશીર્વાદ લીધા હતા ત્યારે માતાજીએ તેમણે ડોંગરેજી મહારાજનું ભાગવતપ્રસાદીમાં આપ્યું હતું 




Latest News