મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

ટંકારા શહેર-તાલુકા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખે ખાતરના ભાવમાં થયેલ વધારો પાછો ખેંચવાની કરી માંગ


SHARE













ટંકારા શહેર-તાલુકા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખે ખાતરના ભાવમાં થયેલ વધારો પાછો ખેંચવાની કરી માંગ

તાજેતરમાં ખાતરના ભાવમાં વધારો કરવામાં આવે છે જેથી કરીને ટંકારા શહેર અને ટંકારા તાલુકા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ દ્વારા કેન્દ્રના મંત્રીને રજૂઆત કરીને ખાતરમાં કરવામાં આવેલા ભાવ વધારાને પાછો ખેંચવાની માંગ કરવામાં આવેલ છે

વર્તમાન સમયમાં ખેતીમાં રાસાયણિક ખાતરોનો ઉપયોગ કરવામાં આવે છે જેમાં ડીએપીમાં ૧૫૦ રૂપિયા અને એનપીકે માં ૨૮૦ રૂપિયાનો ભાવ વધારો કરવામાં આવ્યો છે જેથી કરીને ખેતી મોંઘી બની રહી હોય ખેડૂતોને ખેતી કરવી પરવડે તેમ નથી અને ખેડૂતોને આર્થિક નુકશાન સહન કરવું પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને રાસાયણિક ખાતરનો ઉપયોગ ખેડૂતો દ્વારા પોતાના ખેતરની અંદર વધુ ઉત્પાદન લેવા માટે કરવામાં આવે છે જેથી કરીને ટંકારા શહેર અને ટંકારા તાલુકા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ ગૌતમભાઈ વામજાએ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાને આ મુદ્દે લેખિતમાં રજૂઆત કરીને ખાતરના ભાવમાં કરવામાં આવેલા વધારાને પાછો ખેંચવાની માગણી કરેલ છે






Latest News