મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબીના વનાળીયા-ગોર ખીજડીયા ગામથી વિદ્યાર્થીઓને એસટી બસની સુવિધા આપવાની માંગ


SHARE













મોરબીના વનાળીયા-ગોર ખીજડીયા ગામથી વિદ્યાર્થીઓને એસટી બસની સુવિધા આપવાની માંગ

મોરબી નજીકના વનાળીયા અને ગોર ખીજડીયા ગામથી મોરબીમાં આવેલ શૈક્ષણિક સંસ્થાઓની અંદર અભ્યાસ કરવા માટે ૬૦ થી વધુ વિદ્યાર્થીઓ આવે છે જેને નિયમિત રીતે એસટી બસની સુવિધા ન મળતી હોવાથી વિદ્યાર્થીઓને નાછૂટકે ખાનગી વાહનોમાં અભ્યાસ કરવા માટે અવરજવર કરવી પડતી હોય છે ત્યારે ખીજડીયા ગામના સરપંચ ગૌતમભાઈ અને વનાળિયા ગામના સરપંચની આગેવાનીમાં આ બંને ગામમાંથી મોરબીમાં અભ્યાસ માટે આવતા વિદ્યાર્થીઓને બસની સુવિધા મળે તે માટે મોરબી એસટી ડેપોના મેનેજરને આવેદનપત્ર પાઠવીને વનાળીયા ગામ સુધી શાળાએ અવરજવરમાં અનુરૂપ થાય તે રીતે એસ.ટી બસનો ફેરો આપવા માટે થઈને માંગ કરવામાં આવેલ છે જેથી કરીને વિદ્યાર્થીઓ એસ.ટી.માં મુસાફરી કરીને અભ્યાસ કરવા માટે અવરજવર કરી શકે. અત્રે ઉલ્લેખનીય છે કે આ મોરબીના વનાળિયા અને ગોર ખીજડીયા ગામથી આવતા વિદ્યાર્થીઓને બસની સુવિધા યોગ્ય રીતે ન મળતી હોવાથી વિદ્યાર્થીઓમુશ્કેલીનો સામનો કરતા હોય છે અને ખાનગી વાહનોમાં પોતાના જીવના જોખમે મુસાફરી કરવી પડે છે






Latest News