મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ મોરબીના જેતપર ગામે આજે ઉપવાસી છાવણી ખાતે રક્તદાન કેમ્પ યોજાશે: ખેડૂતો વીજ કંપની સામે આક્રોશ સાથે રક્તદાન કરવા ઉમટી પડ્યા મોરબીના જેતપર ગામે છેલ્લા છ દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહેલ નેહુલ અમૃતિયાની તબિયત લથડી: ખેડૂતો હજુ પણ તેની માંગ ઉપર મક્કમ
Breaking news
Morbi Today

ગુજરાત રાજ્યની પંચાયતમાં કામ કરતાં વીસીઇના પ્રશ્નો ઉકેવા પંચાયત મંત્રી મેરજાની ધરપત


SHARE











ગુજરાત રાજ્યની પંચાયતમાં કામ કરતાં વીસીઇના પ્રશ્નો ઉકેવા પંચાયત મંત્રી મેરજાની ધરપત

મોરબીના ભરતનગર ગામે આવેલા ભરતવન ખાતે ગુજરાત રાજ્યની તમામ ગ્રામ પંચાયત કચેરીમાં કામા કરતા વીસીઈનું સામેલન રાખવામા આવ્યું હતું જેમાં રાજ્યના પંચાયત વિભાગના બ્રિજેશ મેરજા હાજર રહ્યા હતા અને તેને વીસીઈને નજીવું કમિશન આપવામાં આવે છે તેના બદલે પગાર ધોરણ લાગુ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે

ગુજરાત રાજ્યની દરેક ગ્રામ પંચાયતમાં સરકારી જુદીજુદી યોજનાના ફોર્મ ભરવાના કામથી લઈને યોજનાની માહિતી લોકો સુધી પહોચડવા માટે વિલેજ કોમ્પ્યુટર એન્ટરપ્રિનિયોર (વીસીઈ) કામ કરતાં હોય છે જો કે, તેઓને પૂરતું વળતર મળતું નથી જેથી ગુજરાત રાજ્યના વીસીઈ મંડળ દ્વારા મોરબીના ભરતનગર ગામે આવેલા ભરતવન ખાતે મહા સંમેલન રાખવામા આવ્યું હતું જેમાં ગુજરાત રાજ્યના પંચાયત મંત્રી બ્રિજેશ મેરજા પણ હાજર રહ્યા હતા અને ત્યારે રાજ્યની તમામ ગ્રામ પંચાયત કચેરીમાં કામ કરતાં વીસીઈને જે નજીવું કમિશન આપવામાં આવે છે તેની બદલે પગર ધોરણ લાગુ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે આ તકે રાજ્યના જુદાજુદા જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં વીસીઈ ઉપસ્થિતી રહ્યા હતા અને ત્યારે રાજ્યના પંચાયત મંત્રી બ્રિજેશ મેરજાએ વીસીઇનો પ્રશ્ન ઉકેલવા માટે ધરપત આપી હતી વધુમાં ગુજરાત રાજ્યના વીસીઈ મંડળના પ્રમુખ પંકજભાઈએ જણાવ્યુ છે કે, ગુજરાત રાજ્યના તમામ ગ્રામ પંચાયત કચેરીમાં વીસીઇને કાયમી કમિશન પદ્ધતિ બંધ કરી પગાર ધોરણ લાગુ કરવામાં આવે તેવી માંગ કરી છે






Latest News