સોશ્યલ મીડિયાનો ફાયદો: મોરબી નજીકથી ગુમ થયેલ યુવાન જામનગરમાંથી મળી આવ્યો મોરબીના લાલબાગ સેવા સદનમાં વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું ! સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આવતા : મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે મહત્વની બેઠક યોજાઈ મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર ચાલતા રોડના કામની સાથે વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર લાઇન નાખવા માંગ મોરબીના મોહનભાઈ કુંડારીયાની BBSSL ના ડિરેક્ટર પદે નિમણૂક મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મહિલા લીડરશીપ કોન્કલેવ યોજાયો મોરબીમાં વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલા લોકોની રજૂઆત સાંભળવા માટે પોલીસ દ્વારા જનસંપર્ક સભાનુ આયોજન વાંકાનેર વિધાનસભા બેઠકના વિસ્તારમાં 11 કરોડના ખર્ચે બનનારા નવા રોડનું ધારાસભ્યએ કર્યું ખાતમુહૂર્ત
Breaking news
Morbi Today

મોરબીના લીલાપર નજીક દિવાલ ઉપરથી પડી ગયેલ યુવાનનું સારવાર દરમિયાન મોત


SHARE











મોરબીના લીલાપર નજીક દિવાલ ઉપરથી પડી ગયેલ યુવાનનું સારવાર દરમિયાન મોત

મોરબીના લીલાપર રોડ ઉપર આવેલા કારખાનાની દિવાલ ઉપરથી યુવાન નીચે પડી ગયો હતો જેથી કરીને તેને મોરબી બાદ વધુ સારવાર માટે અમદાવાદ ખસેડાયો હતો જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું અને અમદાવાદ ખાતેથી તપાસના કાગળ આવતા હાલમાં મોરબી પોલીસે બનાવની નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે.

મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે મૂળ મોરબી તાલુકાના નવા સાદુળકા ગામના રહેવાસી અને હાલ મોરબીના લીલાપર રોડ પર આવેલા કિરીટ કારખાનામાં રહીને ત્યાં કામકાજ કરતા ખીમજીભાઈ ગોરાભાઈ ભંખોડીયા નામનો ૪૯ વર્ષીય યુવાન ગત તા.૨૦-૨ ના રાત્રીના સાડા આઠ વાગ્યાના અરસામાં કારખાનામાં દિવાલ ઉપરથી નીચે પટકાયો હતો જેથી કરીને ગંભીર ઇજાઓ થવાથી તેને અહીંની આયુષ હોસ્પિટલે લઇ જવાયો હતો જ્યાં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે તેને અમદાવાદ સિવિલમાં ખસેડાયો હતો અને ત્યાં ટૂંકી સારવાર દરમિયાન તા.૨૨-૨ ના સાંજના છ વાગ્યાના અરસામાં ખીમજીભાઈ ભંખોડીયાનું મોત નીપજયું હતું.અમદાવાદ ખાતેથી તપાસ અંગેના કાગળો (બે માસ બાદ..!) મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશને આવતા હાલમાં એ ડિવિઝન પોલીસ મથકના એએસઆઇ જે.એ.ઝાલાએ બનાવની નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે.

મારામારીમા ઇજા

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર સરતાનપર રોડ નજીકના સનફોલ્ડ સિરામિક નામના કારખાના પાસે મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવમાં ઇજાઓ થવાથી ઉદયસિંહ વેલસીંગ રાવત નામના ૨૭ વર્ષીય પરપ્રાંતીય યુવાનને ઇજાઓ થતાં તેને સારવાર માટે અહીંની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યો હોય હાલમાં એ ડિવિઝન પોલીસ મથકના એમ.જી.વાળાએ પ્રાથમિક તપાસ કરીને વધુ તપાસ અર્થે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરી હતી.જ્યારે મોરબીના શનાળા ગામ પાસે પટેલ સમાજની વાડી નજીક થયેલ મારામારીના બનાવમાં સામાન્ય ઇજાઓ થતાં ઉષાબેન ભુપતભાઈ વિકાણી નામની ૩૫ વર્ષીય મહિલાને સારવાર માટે સિવિલે લાવવામાં આવી હતી.

આધેડ મહિલા સારવારમાં

મોરબીના વાંકાનેર હઇવે ઉપર આવેલા પાનેલી ગામના રહેવાસી મુક્તાબેન ગોવિંદભાઈ કણજારીયા નામની ૫૦ વર્ષીય મહિલા ગામમાં પોતાની વાડીએથી પરત ઘરે જતા હતા ત્યારે બાઇકમાં બેઠેલા મુક્તાબેન કણજારીયાને બાજુમાંથી પસાર થતી ભેંસે ઢીક મારી દેતા તેઓ નીચે પડી ગયા હતા જેથી પગના ભાગે ઈજાગ્રસ્ત મુક્તાબેન કણજારીયાને સારવારમાં ખસેડાયા હતા.






Latest News