મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીક યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ
Breaking news
Morbi Today

વાંકાનેરમાં માંધાતા ગ્રુપ દ્વારા કાલે ફરીદમીર-બ્રીજરાજદાન ગઢવીની હાજરીમાં લોકડાયરાનું આયોજન


SHARE







વાંકાનેરમાં માંધાતા ગ્રુપ દ્વારા કાલે ફરીદમીર-બ્રીજરાજદાન ગઢવીની હાજરીમાં લોકડાયરાનું આયોજન

(શાહરૂખ ચૌહાણ) વાંકાનેરમાં સમસ્ત કોળી માંધાતા ગ્રુપ દ્વારા ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં બ્રીજરાજદાન ગઢવી, ફરીદા મીર સહિતના કલાકારો આવવાના છે ત્યારે આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં લોકોને લોક ડારો માણવા માટે આયોજકો દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે

વાંકાનેરના હસનપર પાસે થાન રોડ ઉપર જાલી બસ સ્ટેન્ડ નજીક આવેલ ભગવાન માંધાતા તથા સંત શ્રી વેલનાથ બાપુના મંદિરના વિશાળ ગ્રાઉન્ડમાં સમસ્ત કોળી સમાજ માંધાતા ગ્રુપ દ્વારા લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે અને આ લોકડાયરાની અંદર પ્રખ્યાત લોકસાહિત્યકાર બ્રીજરાજદાન ગઢવી, પ્રખ્યાત લોક ગાયિકા ફરીદા મીર તેમજ પ્રખ્યાત લોકગાયક આદિત્યદાન ગઢવી પોતાના કલાના રસથી લોકોને તરબોળ કરવાના છે ત્યારે આ લોકડાયરાની અંદર ભજન અને સાહિત્યની મોજ માણવા માટે થઈને સમાજના લોકોને આવવા માટે આયોજકો દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે






Latest News