મોરબીમાં જકસીની વાડીમાં મંત્રી મેરજાએ કર્યું પેવાર બ્લોકના કામનું ખાતમહુર્ત
મોરબી જલારામ પ્રાર્થના મંદિરે મહાપ્રસાદ યોજી જન્મદીનની ડોકટરે કરી ઉજવણી
SHARE
મોરબી જલારામ પ્રાર્થના મંદિરે મહાપ્રસાદ યોજી જન્મદીનની ડોકટરે કરી ઉજવણી
મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે બપોરે તેમજ સાંજે સદાવ્રત દ્વારા લોકો ની જઠરાગ્નિ તૃપ્ત કરવા નો અનોખો સેવા યજ્ઞ ચલાવવા મા આવે છે ત્યારે મુળ નવાગામ(લખધીરનગર) ના વતની મોરબી નિવાસી તબિબ ડો.પ્રિન્સ પ્રફુલ્લભાઈ ફેફર દ્વારા તેમના જન્મદીનની ઉજવણી સદાવ્રતમા મહાપ્રસાદ યોજી કરી હતી. તેઓએ સહપરિવાર ઉપસ્થિત રહી પોતાના વરદ્ હસ્તે પ્રસાદ વિતરણ કર્યુ હતુ. આ પ્રેરક ઉજવણી બદલ મોરબી જલારામ પ્રાર્થના મંદિરના ગીરીશભાઈ ઘેલાણી, ભાવીનભાઈ ઘેલાણી, નિર્મિત કક્કડ,ચિરાગ રાચ્છ, અનિલભાઈ રાચ્છ, હસુભાઈ પંડિત, પપ્પુભાઈ ચંડીભમર, દીનેશભાઈ સોલંકી સહીતના અગ્રણીઓ એ અભિનંદન સહ જન્મદીનની શુભકામના પાઠવી હતી