મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીક યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ
Breaking news
Morbi Today

મોરબીમાં બે મહિલાને માર મરનારા ચાર વ્યક્તિ પૈકીનાં એક આરોપીની ધરપકડ


SHARE







મોરબીમાં બે મહિલાને માર મરનારા ચાર વ્યક્તિ પૈકીનાં એક આરોપીની ધરપકડ

મોરબીના સામાકાંઠે માળીયા ફાટક પાસે આવેલા કાંતિનગર વિસ્તારમાં મસ્જિદ નજીક મારામારીનો બનાવ બન્યો હતો જેમાં ત્યાં રહેતી બે મહિલાઓને ચાર વ્યક્તિઓએ માર માર્યો હતો જેની ફરિયાદ નોંધાઈ હતી જેના આધારે પોલીસે હાલમાં એક આરોપીની ધરપકડ કરેલ છે અને કાયદાના સંઘર્ષમાં આવેલા એક બાળ કિશોરની પૂછપરછ કરીને તેને તેના વાલીને સોફી દેવામાં આવેલ છે

શહેરના સામાકાંઠે માળીયા ફાટક પાસે આવેલ કાંતિનગરમાં ઝુબેદા મસ્જિદની પાસે રહેતા શકીનાબેન હનીફભાઈ ઇશાભાઈ બરેર જાતે માજોઠી (ઉ.૩૦) તથા શેરૂબેન ઇબ્રાહીમભાઇ (.૩૦)ને બે મહિલા સહિત ચાર વ્યક્તિએ માર માર્યો હતો જેથી ભોગ બનેલ શકીનાબેન હનીફભાઈ માજોઠીએ બી ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી જેમાં તેને જણાવ્યુ હતું કે, મુમતાજબેન સીદીકભાઈમહેરૂનબેન હનીફભાઇઅફઝલ ઈદ્રીશભાઈ સહિત ચાર વ્યક્તિઓએ 'તમે મહેરૂનબેનને મારા વિશે કેમ ચડામણી કરો છો..?' તેમ કહીને માર માર્યો હતો તેવું લખાવ્યું હતુ જેના આધારે પોલીસે ગુનો નોંધીને આ ગુનામાં અફઝલભાઇ ઇદ્રીશભાઇ શેખ નામના એક આરોપીની ધરપકડ કરેલ છે અને કાયદાના સંઘર્ષમાં આવેલા એક બાળ કિશોરની પૂછપરછ કરીને તેને તેના વાલીને સોફી દેવામાં આવેલ છે જોકે, બે મહિલા આરોપીને પકડવા માટે તજવીજ ચાલી રહી છે

અકસ્માતથી નુકશાન

મૂળ પોરબંદર જિલ્લાના અમરદળ ગામના રહેવાસી અને હાલમાં વાંકાનેર પેડક સોસા. કિશનભાઈના મકાનમા ભાડેથી રહેતા ગૌતમભાઈ હિતેન્દ્રભાઈ રાઠોડ જાતે સગર (ઉ.૩૦)એ હાલમાં સલમાનભાઈ સઈદભાઈ ખાન (ઉ.૨૬) રહે. ખંડવા સંજયનગર સોસાયટી શેરી નં.૨૮ છોટા ભીલટ બાબાના મંદિર પાસે ઈન્દોર રોડ એમપી વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે વાંકાનેર-મોરબી ને.હા રોડ હસનપર ઓવરબ્રિજ પાસે ફરિયાદી પોતાના હવાલા વાળી ટ્રક નં. જીજે ૨૫ યુ ૯૨૫૪ લઈને જતો હતો ત્યારે પાછળથી આરોપીએ પોતાના હવાલાવાળી ટ્ર્ક નં. એમપી ૧૨ એચ ૬૦૮૩ તેના ટ્રકની ખાલી સાઈડ તરફથી ઓવરટેક કરી હતી અને ફરિયાદીના ટ્રકનો એકદમ કાવો મારતા તેની ટ્રકની ખાલી સાઈડના દરવાજા પાસે આરોપીના ટ્રકની બોડી અથડાઇ હતી જેથી કરીને બમ્પર, પંખા વિગેરેમાં નુકશાની કરી હતી જેથી પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડીને આગળની કાર્યવાહી કરી હતી 






Latest News