મોરબીની ત્રાજપર ચોકડી પાસેથી 49.380 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો: 1.53 લાખનો મુદ્દામાલ કબજે વાંકાનેરના સમથેરવા ગામે એક કરોડના અનુદાનથી આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રાથમિક શાળા માટે MOU કરાયા માળીયા (મી)ના ભોળીપાટ વાંઢ વિસ્તારમાં શાળાના બે રૂમ બનાવવા માટે ૧૩૦૦ ચો.મી.જમીન આપનારા દાતાનુ કરાયું સન્માન મોરબી નજીકના રવાપર ગામે રોડ વચ્ચે કરવામાં આવેલ ખાડામાં સ્કૂટર સહિત માતા-પુત્રી પડ્યા: કોઈ જાનહાનિ નહી મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી
Breaking news
Morbi Today

મોરબીમાં બે મહિલાને માર મરનારા ચાર વ્યક્તિ પૈકીનાં એક આરોપીની ધરપકડ


SHARE











મોરબીમાં બે મહિલાને માર મરનારા ચાર વ્યક્તિ પૈકીનાં એક આરોપીની ધરપકડ

મોરબીના સામાકાંઠે માળીયા ફાટક પાસે આવેલા કાંતિનગર વિસ્તારમાં મસ્જિદ નજીક મારામારીનો બનાવ બન્યો હતો જેમાં ત્યાં રહેતી બે મહિલાઓને ચાર વ્યક્તિઓએ માર માર્યો હતો જેની ફરિયાદ નોંધાઈ હતી જેના આધારે પોલીસે હાલમાં એક આરોપીની ધરપકડ કરેલ છે અને કાયદાના સંઘર્ષમાં આવેલા એક બાળ કિશોરની પૂછપરછ કરીને તેને તેના વાલીને સોફી દેવામાં આવેલ છે

શહેરના સામાકાંઠે માળીયા ફાટક પાસે આવેલ કાંતિનગરમાં ઝુબેદા મસ્જિદની પાસે રહેતા શકીનાબેન હનીફભાઈ ઇશાભાઈ બરેર જાતે માજોઠી (ઉ.૩૦) તથા શેરૂબેન ઇબ્રાહીમભાઇ (.૩૦)ને બે મહિલા સહિત ચાર વ્યક્તિએ માર માર્યો હતો જેથી ભોગ બનેલ શકીનાબેન હનીફભાઈ માજોઠીએ બી ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી જેમાં તેને જણાવ્યુ હતું કે, મુમતાજબેન સીદીકભાઈમહેરૂનબેન હનીફભાઇઅફઝલ ઈદ્રીશભાઈ સહિત ચાર વ્યક્તિઓએ 'તમે મહેરૂનબેનને મારા વિશે કેમ ચડામણી કરો છો..?' તેમ કહીને માર માર્યો હતો તેવું લખાવ્યું હતુ જેના આધારે પોલીસે ગુનો નોંધીને આ ગુનામાં અફઝલભાઇ ઇદ્રીશભાઇ શેખ નામના એક આરોપીની ધરપકડ કરેલ છે અને કાયદાના સંઘર્ષમાં આવેલા એક બાળ કિશોરની પૂછપરછ કરીને તેને તેના વાલીને સોફી દેવામાં આવેલ છે જોકે, બે મહિલા આરોપીને પકડવા માટે તજવીજ ચાલી રહી છે

અકસ્માતથી નુકશાન

મૂળ પોરબંદર જિલ્લાના અમરદળ ગામના રહેવાસી અને હાલમાં વાંકાનેર પેડક સોસા. કિશનભાઈના મકાનમા ભાડેથી રહેતા ગૌતમભાઈ હિતેન્દ્રભાઈ રાઠોડ જાતે સગર (ઉ.૩૦)એ હાલમાં સલમાનભાઈ સઈદભાઈ ખાન (ઉ.૨૬) રહે. ખંડવા સંજયનગર સોસાયટી શેરી નં.૨૮ છોટા ભીલટ બાબાના મંદિર પાસે ઈન્દોર રોડ એમપી વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે વાંકાનેર-મોરબી ને.હા રોડ હસનપર ઓવરબ્રિજ પાસે ફરિયાદી પોતાના હવાલા વાળી ટ્રક નં. જીજે ૨૫ યુ ૯૨૫૪ લઈને જતો હતો ત્યારે પાછળથી આરોપીએ પોતાના હવાલાવાળી ટ્ર્ક નં. એમપી ૧૨ એચ ૬૦૮૩ તેના ટ્રકની ખાલી સાઈડ તરફથી ઓવરટેક કરી હતી અને ફરિયાદીના ટ્રકનો એકદમ કાવો મારતા તેની ટ્રકની ખાલી સાઈડના દરવાજા પાસે આરોપીના ટ્રકની બોડી અથડાઇ હતી જેથી કરીને બમ્પર, પંખા વિગેરેમાં નુકશાની કરી હતી જેથી પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડીને આગળની કાર્યવાહી કરી હતી 






Latest News