મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીક યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ
Breaking news
Morbi Today

મોરબીમાં મંજૂર થયેલા ૩૮.૩૫ કરોડના ગટર-પાણીના કામ ટલ્લે ચડતા મુખ્યમંત્રીને રજૂઆત


SHARE







મોરબીમાં મંજૂર થયેલા ૩૮.૩૫ કરોડના ગટર-પાણીના કામ ટલ્લે ચડતા મુખ્યમંત્રીને રજૂઆત

મોરબી પાલિકાના હદ વિસ્તારમાં આવતી સોસાયટીઓ તેમજ વાડી વિસ્તારની અંદર ભૂગર્ભ ગટર અને પાણીની લાઈન માટે સરકારમાંથી ૩૮.૩૫ કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે જોકે આ કામગીરી હાલમાં ચડી ગઈ છે કારણ કે પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા આ કામગીરીને કરવા માટે અસમર્થતા દર્શાવવામાં આવી છે જેથી આ કામ કરવા માટે પાલિકા દ્વારા તૈયારી દર્શાવવામાં આવી છે પરંતુ હજુ સુધી સરકારમાંથી તેના માટેની જરૂરી મંજુરી મળેલ ન હોય તે બાબતે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી, રાજ્યના પંચાયત મંત્રી તેમજ મોરબી જિલ્લાના પ્રભારી મંત્રીને આ મુદ્દે મોરબી નગરપાલિકાના પ્રમુખ સહિતના સતવારા સમાજના આગેવાનો દ્વારા લેખિતમાં રજૂઆત કરવામાં આવેલ છે

રાજ્યની એ ગ્રેડની નગરપાલિકાઓમાં મોરબી નગરપાલિકાનો સમાવેશ થાય છે અને મોરબી નગરપાલિકાની હદ વિસ્તારમાં લોકોને સુવિધા પૂરી પાડવીએ પાલિકાની પ્રાથમિક ફરજ છે જો કે આજની તારીખે મોરબી નગરપાલિકાની હદ વધારવામાં આવ્યા બાદ સમાવેશ કરવામાં આવેલ ૪૦ સોસાયટીઓ તેમજ ૧૧૫ જેટલા વાડી વિસ્તારની અંદર પ્રાથમિક સુવિધા જેમાં પીવાના પાણી, ભૂગર્ભ ગટર, લાઇટ તેમજ રોડ રસ્તા સહિતના પ્રશ્નો છે જેને ઉકેલવા માટે તેને સરકાર દ્વારા ૪૫ કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે અને તેમાંથી ૩૮.૩૫ કરોડ રૂપિયાના ખર્ચે ભૂગર્ભ ગટર અને પીવાના પાણીના કામ ગુજરાત પાણી પુરવઠા બોર્ડ અને ગટર વ્યવસ્થા બોર્ડને સોંપવામાં આવ્યા હતા

જોકે તે કામગીરી કરવા માટે ગુજરાત પાણી પુરવઠા બોર્ડ અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા અસમર્થતા દર્શાવવામાં આવી છે જેથી કરીને આ અંગેની લેખિતમાં જાણ સંબંધિત વિભાગને ગાંધીનગર ખાતે કરી દેવામાં આવી છે અને ત્યારબાદ પાલિકા દ્વારા આ કામગીરી કરવા માટે સહમતિ આપી સમર્થતા દર્શાવવામાં આવી છે તેમ છતાં પણ સરકાર તરફથી કોઇ યોગ્ય નિર્ણય કરવામાં આવ્યો નથી જેથી કામની મંજૂરી મળી ગઇ હોવા છતાં પણ કરોડો રૂપિયાના વિકાસ કામોને પાલિકા દ્વારા હાથ ધરવામાં આવતા નથી જેથી ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, મોરબી માળીયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય અને રાજયના પંચાયત મંત્રી બ્રિજેશભાઇ મેરજા તેમજ મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી દેવાભાઈ માલમને મોરબી નગરપાલિકાના પ્રમુખ કુસુમબેન કે. પરમાર સહિતના વિસ્તારના અને સતવારા સમાજના આગેવાનો દ્વારા લેખિતમાં રજૂઆત કરવામાં આવેલ છે

આ ઉપરાંત વાડી વિસ્તારની અંદર રહેતા પરિવારને વીજ કંપનીમાંથી થ્રી ફેઈઝ અને સિંગલ ફેઈઝના કનેક્શન લેવા માટે મુશ્કેલીનો સામનો કરવો પડે છે જેથી આ પ્રશ્નને પણ કાયમી ધોરણે ઉકેલવા માટે સતવારા સમાજના આગેવાનો દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને રજૂઆત કરી છે તેની સાથોસાથ છેવાડાના વાડી વિસ્તારમાં વર્ષોથી પોતાના બાપદાદાની જમીન પર મકાન બનાવીને રહેતા પરિવારના જમીન રેગ્યુલર કરવા માટે થઈને નોન એગ્રીકલ્ચર કરી રેગ્યુલર કરવા ગત જાન્યુઆરી મહિનામાં લેખિત રજૂઆત કરવામાં આવી છે તેમ છતાં પણ તે મુદ્દે હજુ સુધી કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી જેથી તે મુદે પણ રજૂઆત કરી હતી આ તકે ગણેશભાઈ ડાભી, ભાવેશભાઈ કંજારીયા, કે.કે. પરમાર, હર્ષદભાઈ કંઝરિયા સહિતના સતવારા સમાજના આગેવાનો ત્યાં હાજર રહ્યા હતા






Latest News