વાંકાનેરમાં શનિવારે ગાયત્રી શકિતપીઠનો 34મો પાટોત્સવ ઉજવાશે મોરબીમાં ડ્રેનેજ-સ્ટ્રોમ વોટરના કામ માટે જુદાજુદા ત્રણ રોડને પોણો મહિના સુધી બંધ કરાયા મોરબી જિલ્લા કમલમ ખાતે પ્રભારી મંત્રીની હાજરીમાં ચૂંટણી લક્ષી બેઠક યોજાઈ મોરબીમાં શનિવારે ખાખરેચી દરવાજે આવેલ શ્રી લીલા લીમડાવાળી મેલડીનો નવરંગ માંડવો યોજાશે જય શ્રી રામના નારા સાથે મોરબીમાં રામ નવમીના દિવસે સમગ્ર હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો ભવ્ય શોભાયાત્રા યોજાઇ મોરબીના જલારામ ધામ ખાતે ભગવાન રામનું પૂજન, મહાઆરતી અને મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાયો મોરબી મહાપાલિકાની 12 બેઠકો ઉપર કોંગ્રેસના સત્તાવાર ઉમેદવારોના નામ જાહેર કરાયા, જો સત્તા ઉપર કોંગ્રેસ આવશે તો કૌભાંડીયાઓ થશે જેલ ભેગા: પુષ્પરાજસિંહ જાડેજા મોરબી જિલ્લામાં LCB, SOG તેમજ જુદાજુદા પોલીસ સ્ટેશનમાંથી કુલ 12 પીએની બદલી, નવા 6 મુકાયા
Breaking news
Morbi Today

મોરબીમાં મંજૂર થયેલા ૩૮.૩૫ કરોડના ગટર-પાણીના કામ ટલ્લે ચડતા મુખ્યમંત્રીને રજૂઆત


SHARE











મોરબીમાં મંજૂર થયેલા ૩૮.૩૫ કરોડના ગટર-પાણીના કામ ટલ્લે ચડતા મુખ્યમંત્રીને રજૂઆત

મોરબી પાલિકાના હદ વિસ્તારમાં આવતી સોસાયટીઓ તેમજ વાડી વિસ્તારની અંદર ભૂગર્ભ ગટર અને પાણીની લાઈન માટે સરકારમાંથી ૩૮.૩૫ કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે જોકે આ કામગીરી હાલમાં ચડી ગઈ છે કારણ કે પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા આ કામગીરીને કરવા માટે અસમર્થતા દર્શાવવામાં આવી છે જેથી આ કામ કરવા માટે પાલિકા દ્વારા તૈયારી દર્શાવવામાં આવી છે પરંતુ હજુ સુધી સરકારમાંથી તેના માટેની જરૂરી મંજુરી મળેલ ન હોય તે બાબતે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી, રાજ્યના પંચાયત મંત્રી તેમજ મોરબી જિલ્લાના પ્રભારી મંત્રીને આ મુદ્દે મોરબી નગરપાલિકાના પ્રમુખ સહિતના સતવારા સમાજના આગેવાનો દ્વારા લેખિતમાં રજૂઆત કરવામાં આવેલ છે

રાજ્યની એ ગ્રેડની નગરપાલિકાઓમાં મોરબી નગરપાલિકાનો સમાવેશ થાય છે અને મોરબી નગરપાલિકાની હદ વિસ્તારમાં લોકોને સુવિધા પૂરી પાડવીએ પાલિકાની પ્રાથમિક ફરજ છે જો કે આજની તારીખે મોરબી નગરપાલિકાની હદ વધારવામાં આવ્યા બાદ સમાવેશ કરવામાં આવેલ ૪૦ સોસાયટીઓ તેમજ ૧૧૫ જેટલા વાડી વિસ્તારની અંદર પ્રાથમિક સુવિધા જેમાં પીવાના પાણી, ભૂગર્ભ ગટર, લાઇટ તેમજ રોડ રસ્તા સહિતના પ્રશ્નો છે જેને ઉકેલવા માટે તેને સરકાર દ્વારા ૪૫ કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે અને તેમાંથી ૩૮.૩૫ કરોડ રૂપિયાના ખર્ચે ભૂગર્ભ ગટર અને પીવાના પાણીના કામ ગુજરાત પાણી પુરવઠા બોર્ડ અને ગટર વ્યવસ્થા બોર્ડને સોંપવામાં આવ્યા હતા

જોકે તે કામગીરી કરવા માટે ગુજરાત પાણી પુરવઠા બોર્ડ અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા અસમર્થતા દર્શાવવામાં આવી છે જેથી કરીને આ અંગેની લેખિતમાં જાણ સંબંધિત વિભાગને ગાંધીનગર ખાતે કરી દેવામાં આવી છે અને ત્યારબાદ પાલિકા દ્વારા આ કામગીરી કરવા માટે સહમતિ આપી સમર્થતા દર્શાવવામાં આવી છે તેમ છતાં પણ સરકાર તરફથી કોઇ યોગ્ય નિર્ણય કરવામાં આવ્યો નથી જેથી કામની મંજૂરી મળી ગઇ હોવા છતાં પણ કરોડો રૂપિયાના વિકાસ કામોને પાલિકા દ્વારા હાથ ધરવામાં આવતા નથી જેથી ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, મોરબી માળીયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય અને રાજયના પંચાયત મંત્રી બ્રિજેશભાઇ મેરજા તેમજ મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી દેવાભાઈ માલમને મોરબી નગરપાલિકાના પ્રમુખ કુસુમબેન કે. પરમાર સહિતના વિસ્તારના અને સતવારા સમાજના આગેવાનો દ્વારા લેખિતમાં રજૂઆત કરવામાં આવેલ છે

આ ઉપરાંત વાડી વિસ્તારની અંદર રહેતા પરિવારને વીજ કંપનીમાંથી થ્રી ફેઈઝ અને સિંગલ ફેઈઝના કનેક્શન લેવા માટે મુશ્કેલીનો સામનો કરવો પડે છે જેથી આ પ્રશ્નને પણ કાયમી ધોરણે ઉકેલવા માટે સતવારા સમાજના આગેવાનો દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને રજૂઆત કરી છે તેની સાથોસાથ છેવાડાના વાડી વિસ્તારમાં વર્ષોથી પોતાના બાપદાદાની જમીન પર મકાન બનાવીને રહેતા પરિવારના જમીન રેગ્યુલર કરવા માટે થઈને નોન એગ્રીકલ્ચર કરી રેગ્યુલર કરવા ગત જાન્યુઆરી મહિનામાં લેખિત રજૂઆત કરવામાં આવી છે તેમ છતાં પણ તે મુદ્દે હજુ સુધી કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી જેથી તે મુદે પણ રજૂઆત કરી હતી આ તકે ગણેશભાઈ ડાભી, ભાવેશભાઈ કંજારીયા, કે.કે. પરમાર, હર્ષદભાઈ કંઝરિયા સહિતના સતવારા સમાજના આગેવાનો ત્યાં હાજર રહ્યા હતા






Latest News